ETV Bharat / bharat

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું વિમાન શુક્રવારે કરાચી એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 98 પ્રવાસીઓના મોત નીપજ્યા હતા. આ અકસ્માત જિન્ના એરપોર્ટ લેન્ડ કરતા પહેલા સર્જાયો હતો. આ અકસ્માત અંગે PM મોદી અને પાકિસ્તાન PM ઈમરાન ખાને શોક વ્યક્ત કર્યો હતો.

author img

By

Published : May 23, 2020, 10:36 AM IST

પાકિસ્તાન વિમાન દુર્ઘટના
પાકિસ્તાન વિમાન દુર્ઘટના

કરાચી: પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું વિમાન શુક્રવારે ક્રેશ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં 98 લોકો હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત જિન્ના એરપોર્ટ લેન્ડ કરતા પહેલા સર્જાયો હતો. લાહોરથી આવેલી ફ્લાઈટ નંબર PK-303 કરાચીમાં લેન્ડ કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. PIA વિમાનના કેપ્ટન સજ્જાદ ગુલ હતા.

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

માલીરમાં મોડેલ કોલોની પાસેના જિન્ના ગાર્ડન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 7 ક્રૂ સભ્યો અને 91 પ્રવાસી સહિત કુલ 98 લોકો સવાર હતા. વિમાન સાથેનો સંપર્ક લેન્ડિંગના એક મિનિટ પહેલા તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં આસપાસના ઘરોને પણ ભારે હાલાકી વેઠવી પડી છે.

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

પાક આર્મીએ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પાકિસ્તાનના આરોગ્ય પ્રધાને અકસ્માત બાદ કરાચીની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. વિમાનની પાંખોમાં આગ લાગી હતી, જે ક્રેશ થતાં પહેલાં મકાનોની છત પર તૂટી પડી હતી.

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

કરાચીના મેયર વસીમ અખ્તરે જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના એરપોર્ટના વળાંક પર બની હતી. આ અકસ્માતમાં છ મકાનોને નુકસાન પહોંચ્યું છે. જાન-માલના નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. 98 લોકોનાં મોત નીપજ્યા છે.

  • Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured.

    — Narendra Modi (@narendramodi) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીએ વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

કરાચીમાં વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા PM મોદીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટનાને કારણે જાન-માલનું નુકસાન ઘણું દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યેની સંવેદના અને ઘાયલો વહેલી તકે સાજા થાય તેવી પ્રર્થના.

  • Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased.

    — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાકિસ્તાન PM ઈમરાન ખાને વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, પીઆઈએ દુર્ઘટનાથી મને ખૂબ દુ:ખ થયું છે. હું પીઆઈએના સીઈઓ સાથે સંપર્કમાં છું. આ સમયે રાહત અને બચાવ કારગીરી અમારી પ્રથમિકતા છે. મૃતકના પરિવાર પ્રત્યે મને સંવેદના છે.

  • Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured.

    — Narendra Modi (@narendramodi) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કરાચી: પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું વિમાન શુક્રવારે ક્રેશ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં 98 લોકો હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત જિન્ના એરપોર્ટ લેન્ડ કરતા પહેલા સર્જાયો હતો. લાહોરથી આવેલી ફ્લાઈટ નંબર PK-303 કરાચીમાં લેન્ડ કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. PIA વિમાનના કેપ્ટન સજ્જાદ ગુલ હતા.

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

માલીરમાં મોડેલ કોલોની પાસેના જિન્ના ગાર્ડન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 7 ક્રૂ સભ્યો અને 91 પ્રવાસી સહિત કુલ 98 લોકો સવાર હતા. વિમાન સાથેનો સંપર્ક લેન્ડિંગના એક મિનિટ પહેલા તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં આસપાસના ઘરોને પણ ભારે હાલાકી વેઠવી પડી છે.

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

પાક આર્મીએ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પાકિસ્તાનના આરોગ્ય પ્રધાને અકસ્માત બાદ કરાચીની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. વિમાનની પાંખોમાં આગ લાગી હતી, જે ક્રેશ થતાં પહેલાં મકાનોની છત પર તૂટી પડી હતી.

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

કરાચીના મેયર વસીમ અખ્તરે જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના એરપોર્ટના વળાંક પર બની હતી. આ અકસ્માતમાં છ મકાનોને નુકસાન પહોંચ્યું છે. જાન-માલના નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. 98 લોકોનાં મોત નીપજ્યા છે.

  • Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured.

    — Narendra Modi (@narendramodi) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીએ વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

કરાચીમાં વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા PM મોદીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટનાને કારણે જાન-માલનું નુકસાન ઘણું દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યેની સંવેદના અને ઘાયલો વહેલી તકે સાજા થાય તેવી પ્રર્થના.

  • Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased.

    — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાકિસ્તાન PM ઈમરાન ખાને વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, પીઆઈએ દુર્ઘટનાથી મને ખૂબ દુ:ખ થયું છે. હું પીઆઈએના સીઈઓ સાથે સંપર્કમાં છું. આ સમયે રાહત અને બચાવ કારગીરી અમારી પ્રથમિકતા છે. મૃતકના પરિવાર પ્રત્યે મને સંવેદના છે.

  • Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured.

    — Narendra Modi (@narendramodi) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.