એક્સપ્રેસ ટ્રિબ્યુનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના ડેપ્યુટી કમિશનર મહેમૂદ વજીરે શનિવારના રોજ જણાવ્યું હતું કે, બે દેશ વચ્ચેના 18 સરહદ માર્ગોમાંથી તોરખામ માર્ગને પહેલીવાર વેપાર માટે ખોલવામાં આવે છે. તોરખામ પાકિસ્તાનના ખૈબર જિલ્લા અને અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતની સરહદને જોડતો માર્ગ છે. આ પહેલા પણ તોરખામ માર્ગને 12 કલાક માટે ખોલવામાં આવ્યો હતો. જેના કારણે બંને તરફના ટ્રકચાલકોને રાતભર જાગવું પડ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, સરહદને ચકાસણી હેતુથી છેલ્લા પાંચ દિવસથી 24 માટે ખોલવામાં આવી હતી. જે દરમિયાન લગભગ 16000 જેટલાં ટ્રકો પસાર થયાં હતા. વજીરે આ અંગે જણાવ્યું હતું કે, "અફઘાન અધિકારીઓની સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તોરખામ સરહદ પર 18 સપ્ટેમ્બરે પહોંચવાના છે. જેથી 24 કલાક માટે સરહદ ખોલવા માટેનું ઔપચારિક ઉદ્ઘાટન થવાની સંભાવના છે."