ETV Bharat / bharat

ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

ઉત્તર કોરિયાનું ફિશિંગ કેમ્પેન સાયબર એટેકનું કાવતરું ઘડી રહ્યું છે. જાણો શું છે આ ફિશિંગ અને કેવી રીતે તેનાથી બતી શકાય અમારા આ વિશેષ એહવાલમાં...

author img

By

Published : Jun 20, 2020, 8:38 PM IST

Updated : Jun 22, 2020, 7:14 PM IST

a
ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તર કોરિયાનું ફિશિંગ કેમ્પેન જે કોવિડ -19 થીમ પર આધારીત છે, એક મોટા સાયબર એટેકનું કાવતરું ઘડી રહ્યું છે. ઉત્તર કોરિયાનું હેકર ગ્રુપ 'લૈજારસ' 20 લાખ ભારતીયોને નિશાન બનાવશે. તેઓ ફિશિંગ મારફતે ભારતીઓને દગો કરી શકે છે, છેતરી શકે છે. આ યુક્તિ સાયબર ક્રાઈમના પુસ્તકની સૌથી જૂની યુક્તિ છે, ઘણા લોકો હજી પણ તેમાં છેતરાઇ જાય છે. તેનાથી બચવાનો એક માત્ર રસ્તો છે કે તેમની પદ્ધતિઓ વિશે જાગૃત રહેવું.

a
ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

કોરોના વાઇરસના માર સહન કરી રહેલા ભારત દેશ પર હવે સાયબર એટેકનો ભય સતાવી રહ્યો છે. સાયબર હેકરો રવિવાર 21 જૂને ભારત સહિત છ દેશો પર હુમલો કરી શકે છે. ઉત્તર કોરિયન હેકર જૂથ 'લૈજારસ' કોવિડ -19 સંબંધિત રાહત કાર્યના નામે આ દેશોમાં લોકોને છેતરવાની યોજના બનાવી રહ્યું છે. આ છ દેશોમાં ભારત પણ શામેલ છે.

ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

ZDNetના અહેવાલ મુજબ, આ હુમલાના 50 લાખથી વધુ લોકો શિકાર થઇ શકે છે. ઉપરાંત, હેકર્સ છ મોટા દેશોના નાના અને મોટા ઉદ્યોગોને નિશાન બનાવી શકે છે. આ છ દેશોમાં ભારત, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જાપાન, બ્રિટન અને અમેરિકા શામેલ છે.

સિંગાપોરમાં સાયબર સિક્યુરિટી વિક્રેતા વફિરમાના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયન હેકર સમૂહ આર્થિક લાભ મેળવવા માંગે છે, જ્યાં તે ઇમેલ મોકલીને છલ-કપટથી વેબસાઇટ્સ પર લઇ જઇને તેમના અંગત અને નાણાકીય ડેટા જાહેર કરવાની લાલચ આપશે. 'લૈજારસ' નામના આ હેકર સમૂહે જાપાનના 11 લાખ લોકો અને ભારતના 20 લાખ લોકોની ઇમેઇલ આઈડી ઉપરાંત યુકેમાં 180,000 વ્યાપારિક સંપર્કો હોવાનો દાવો કર્યો છે.

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તર કોરિયાનું ફિશિંગ કેમ્પેન જે કોવિડ -19 થીમ પર આધારીત છે, એક મોટા સાયબર એટેકનું કાવતરું ઘડી રહ્યું છે. ઉત્તર કોરિયાનું હેકર ગ્રુપ 'લૈજારસ' 20 લાખ ભારતીયોને નિશાન બનાવશે. તેઓ ફિશિંગ મારફતે ભારતીઓને દગો કરી શકે છે, છેતરી શકે છે. આ યુક્તિ સાયબર ક્રાઈમના પુસ્તકની સૌથી જૂની યુક્તિ છે, ઘણા લોકો હજી પણ તેમાં છેતરાઇ જાય છે. તેનાથી બચવાનો એક માત્ર રસ્તો છે કે તેમની પદ્ધતિઓ વિશે જાગૃત રહેવું.

a
ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

કોરોના વાઇરસના માર સહન કરી રહેલા ભારત દેશ પર હવે સાયબર એટેકનો ભય સતાવી રહ્યો છે. સાયબર હેકરો રવિવાર 21 જૂને ભારત સહિત છ દેશો પર હુમલો કરી શકે છે. ઉત્તર કોરિયન હેકર જૂથ 'લૈજારસ' કોવિડ -19 સંબંધિત રાહત કાર્યના નામે આ દેશોમાં લોકોને છેતરવાની યોજના બનાવી રહ્યું છે. આ છ દેશોમાં ભારત પણ શામેલ છે.

ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

ZDNetના અહેવાલ મુજબ, આ હુમલાના 50 લાખથી વધુ લોકો શિકાર થઇ શકે છે. ઉપરાંત, હેકર્સ છ મોટા દેશોના નાના અને મોટા ઉદ્યોગોને નિશાન બનાવી શકે છે. આ છ દેશોમાં ભારત, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જાપાન, બ્રિટન અને અમેરિકા શામેલ છે.

સિંગાપોરમાં સાયબર સિક્યુરિટી વિક્રેતા વફિરમાના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયન હેકર સમૂહ આર્થિક લાભ મેળવવા માંગે છે, જ્યાં તે ઇમેલ મોકલીને છલ-કપટથી વેબસાઇટ્સ પર લઇ જઇને તેમના અંગત અને નાણાકીય ડેટા જાહેર કરવાની લાલચ આપશે. 'લૈજારસ' નામના આ હેકર સમૂહે જાપાનના 11 લાખ લોકો અને ભારતના 20 લાખ લોકોની ઇમેઇલ આઈડી ઉપરાંત યુકેમાં 180,000 વ્યાપારિક સંપર્કો હોવાનો દાવો કર્યો છે.

Last Updated : Jun 22, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.