ETV Bharat / bharat

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરાયા - એઈમ્સ હોસ્પિટલ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ, ભૂતપૂર્વ વડાપ્રધાનને રાત્રે 8:45 કલાકે હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ AIIMSમાં દાખલ
ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ AIIMSમાં દાખલ
author img

By

Published : May 10, 2020, 11:05 PM IST

નવી દિલ્હી: ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ, છાતીના ભાગે દુખાવાને પગલે રાત્રે 8:45 કલાકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાલમાં નિરીક્ષણ હેઠળ છે અને આઈસીયુમાં દાખલ છે.

ઉલ્લેખનીય છે કે, મનમોહનસિંહે સતત 10 વર્ષ વડાપ્રધાન તરીકે દેશનું શાસન સંભાળ્યું હતું. વર્ષ 2004માં તેઓ સૌપ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા હતા અને ફરી વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટીએ તેમના નેતૃત્વ હેઠળ સત્તા હાસિલ કરી હતી. મનમોહનસિંહ અગાઉ પણ દેશના નાણાં પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યાં છે. દેશના અર્થતંત્રના વર્તમાન સ્વરૂપનું શ્રેય તેમને આપવામાં આવે છે.

નવી દિલ્હી: ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ, છાતીના ભાગે દુખાવાને પગલે રાત્રે 8:45 કલાકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાલમાં નિરીક્ષણ હેઠળ છે અને આઈસીયુમાં દાખલ છે.

ઉલ્લેખનીય છે કે, મનમોહનસિંહે સતત 10 વર્ષ વડાપ્રધાન તરીકે દેશનું શાસન સંભાળ્યું હતું. વર્ષ 2004માં તેઓ સૌપ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા હતા અને ફરી વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટીએ તેમના નેતૃત્વ હેઠળ સત્તા હાસિલ કરી હતી. મનમોહનસિંહ અગાઉ પણ દેશના નાણાં પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યાં છે. દેશના અર્થતંત્રના વર્તમાન સ્વરૂપનું શ્રેય તેમને આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.