ETV Bharat / bharat

બિહારમાં 'મેન્ગો મેને' વડાપ્રધાનના નામથી રાખ્યા ફળના નામ

બિહારના ભાગલપુરમાં અશોક ચૌધરીએ 150 થી વધુ જાતોના કેરીનું ઉત્પાદન કર્યું હતું. તેમણે ક્રોસ બ્રીડિંગ દ્વારા બે ખાસ પ્રકારના કેરીઓનું ઉત્પાદન કર્યું અને આંબાના નામ 'મોદી 1' અને 'મોદી 2' રાખ્યા.

author img

By

Published : May 2, 2020, 8:10 AM IST

PM Modi in Bihar
PM Modi in Bihar

પટણા: સુગંધ અને મીઠાશ માટે પ્રખ્યાત જર્દલુ કેરીનું ઉત્પાદન કર્યા પછી, ભાગલપુરના 'કેરી મેન'એ બે પ્રકારના શાહી ફળ ઉગાડ્યા છે, જેનું નામ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખ્યું છે.

સુલ્તાગંજ મહેશીના અશોક ચૌધરીના બાગની કેરી બિહારના ભાગલપુર જિલ્લામાં પ્રખ્યાત છે. 'મધુબન' એ કેરીની મીઠાશનો ઉલ્લેખ કરતી વાડીને આપવામાં આવેલું નામ હતું.

ચૌધરીએ મધુબનમાં 150 થી વધુ જાતોના કેરીનું ઉત્પાદન કર્યું છે. તેમણે ક્રોસ બ્રીડિંગ દ્વારા બે ખાસ પ્રકારના કેરીઓનું ઉત્પાદન કર્યું અને આંબાના નામ 'મોદી 1' અને 'મોદી 2' રાખ્યા છે.

શરૂઆતમાં, વાવેતર 500 એકર જમીનમાં કરાયું હતું પરંતુ પછીથી, અશોકે ખેતીની જમીનમાં કેરીના વાવેતરમાં ફેરવ્યું. રાજ્ય સરકારની સહાયથી 2000 એકર જમીનમાં કેરીની અશોક ખેતી કરવામાં આવી રહી છે. લગભગ 20,000 થી 25,000 ક્વિન્ટલ જર્દલુ કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

અશોક ચૌધરીએ કહ્યું: "જર્દાલુ કેરીની જેટલી ખેતી કરવી જરૂરી છે તે હું કરીશ જેથી તેને વિશ્વમાં માન્યતા મળે અને માંગ પણ વધે. હું ઇચ્છું છું કે લોકો તેનો સ્વાદ જાણી શકે."

દરમિયાન, આ ક્રોસ-બ્રીડ કેરીનું વાવેતર માટે ખેડુતોમાં વિતરણ કરવામાં આવ્યું છે. જેથી વધુમાં વધુ લોકો આ નવી જાતનો સ્વાદ ચાખી શકે.

લોકડાઉન વિશે વાત કરતાં, ચૌધરીએ કહ્યું: "દેશમાં લોકડાઉનને કારણે નુકસાન થયું છે. પાકની જાળવણી અને તૈયારી જરૂરી છે, પરંતુ હવે તે શક્ય નથી. ઉત્પાદન માટેની તૈયારીઓ માર્ચથી શરૂ થાય છે અને કોરોના વાઇરસ રોગચાળો પણ તે જ સમયે શરૂ થયો હતો. આવી સ્થિતિમાં, અમે આશરે 50 ટકાના નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. "

બિહાર સરકાર જર્દલુ કેરીને દર વર્ષે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપીને 2006થી ગિફ્ટ ઓફ ટોકન તરીકે ભેટ કરે છે.

પટણા: સુગંધ અને મીઠાશ માટે પ્રખ્યાત જર્દલુ કેરીનું ઉત્પાદન કર્યા પછી, ભાગલપુરના 'કેરી મેન'એ બે પ્રકારના શાહી ફળ ઉગાડ્યા છે, જેનું નામ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખ્યું છે.

સુલ્તાગંજ મહેશીના અશોક ચૌધરીના બાગની કેરી બિહારના ભાગલપુર જિલ્લામાં પ્રખ્યાત છે. 'મધુબન' એ કેરીની મીઠાશનો ઉલ્લેખ કરતી વાડીને આપવામાં આવેલું નામ હતું.

ચૌધરીએ મધુબનમાં 150 થી વધુ જાતોના કેરીનું ઉત્પાદન કર્યું છે. તેમણે ક્રોસ બ્રીડિંગ દ્વારા બે ખાસ પ્રકારના કેરીઓનું ઉત્પાદન કર્યું અને આંબાના નામ 'મોદી 1' અને 'મોદી 2' રાખ્યા છે.

શરૂઆતમાં, વાવેતર 500 એકર જમીનમાં કરાયું હતું પરંતુ પછીથી, અશોકે ખેતીની જમીનમાં કેરીના વાવેતરમાં ફેરવ્યું. રાજ્ય સરકારની સહાયથી 2000 એકર જમીનમાં કેરીની અશોક ખેતી કરવામાં આવી રહી છે. લગભગ 20,000 થી 25,000 ક્વિન્ટલ જર્દલુ કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

અશોક ચૌધરીએ કહ્યું: "જર્દાલુ કેરીની જેટલી ખેતી કરવી જરૂરી છે તે હું કરીશ જેથી તેને વિશ્વમાં માન્યતા મળે અને માંગ પણ વધે. હું ઇચ્છું છું કે લોકો તેનો સ્વાદ જાણી શકે."

દરમિયાન, આ ક્રોસ-બ્રીડ કેરીનું વાવેતર માટે ખેડુતોમાં વિતરણ કરવામાં આવ્યું છે. જેથી વધુમાં વધુ લોકો આ નવી જાતનો સ્વાદ ચાખી શકે.

લોકડાઉન વિશે વાત કરતાં, ચૌધરીએ કહ્યું: "દેશમાં લોકડાઉનને કારણે નુકસાન થયું છે. પાકની જાળવણી અને તૈયારી જરૂરી છે, પરંતુ હવે તે શક્ય નથી. ઉત્પાદન માટેની તૈયારીઓ માર્ચથી શરૂ થાય છે અને કોરોના વાઇરસ રોગચાળો પણ તે જ સમયે શરૂ થયો હતો. આવી સ્થિતિમાં, અમે આશરે 50 ટકાના નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. "

બિહાર સરકાર જર્દલુ કેરીને દર વર્ષે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપીને 2006થી ગિફ્ટ ઓફ ટોકન તરીકે ભેટ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.