નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાયઇરસની દવાના નામે જે ગ્લેનમાર્કની ફેવીપીરાવીર નામની દવાની પરવાનગી આપી હતી. તે દિલ્હી સરકારની સૌથી મોટી હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશના ડોક્ટર્સે તેનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી છે. તે દવાના ઉપયોગથી દર્દીઓને સાઇડ ઇફેક્ટ થઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે જે ફેબી ફ્લૂ દવાની પરવાનગી આપી હતી. જેના ઉપયોગથી દર્દીઓને 6 રીતે સાઈડ ઇફેક્ટ થાય છે. તે માટે આ દવાનો ઉપયોગ નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે.
26 જૂનના રોજ દિલ્હી હોસ્પિટલમાં ચેરમેન સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દવાને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.