પકડાયેલા આતંકવાદીઓ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવે છે. જેની ઓળખ નાવેદ બાબૂ અને એહમદ તરીકે કરવામાં આવી છે.
આતંકવાદીઓની સાથે એક DSPની પણ ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ દેવેન્દ્ર સિંહ તરીકે કરવામાં આવી છે. પકડાયેલા બન્ને આતંકીઓ વાહન નંબર JK-03-H-1738 લઈને શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર DSP દેવેન્દ્ર સિંહ આતંકીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરી રહ્ય હતા. ધરપકડ દરમિયાન આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ અને એક એકે-47 મળી આવી હતી.
પોલીસે DSP દેવેન્દ્ર સિંહના ઘરે પણ તપાસ કરી છે, જ્યાંથી પણ તેમને હથિયાર મળી આવ્યા છે.