ETV Bharat / bharat

મે મહિનામાં 21 મિલિયન નોકરીનો ઉમેરો થયો

author img

By

Published : Jun 24, 2020, 8:33 PM IST

બેરોજગારીનો દર 23.5 ટકા સુધી સ્થિર રહ્યો હોવા છંતાય, મે 2020માં શ્રમિકોની માંગમાં સુધારો નોંધાયો છે.ખાસ કરીને શ્રમીકના ભાગીદારી દર અને રોજગારી દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. મે 2020 દરમિયાન રોજગાર મેળવનારા લોકોની સંખ્યામાં 21 મિલિયનનો વધારો થયો છે.

job increased in may month
મે મહિનામાં 21 મિલિયન નોકરીનો ઉમેરો થયો

ન્યૂઝ ડેસ્કઃ મે 2020માં બેરોજદારીનો દર એપ્રિલ 2020 જેટલો જ રહ્યો હતો. પરંતુ, શ્રમિકોની ભાગીદારીનો દર 35.6 ટકાથી વધીને 38.2 ટકા અને રોજગારીનો દર 27.2 ટકાથી વધીને 29.2 ટકા થયો છે. જ્યારે મુખ્ય શ્રમિક બજારના આંકડા એપ્રિલની તુલનામાં મે મહિનામાં ઘણો સુધારો થયો છે. પરંતુ, હજુ લોકડાઉન પહેલાના તુલનામાં ઘણી નબળી છે.

2019-20માં રોજગારી મેળવનાર 404 મિલિયન લોકોની તુલનામાં મે 2020માં 303 મિલિયન લોકોએ રોજગારી મેળવી હતી. 2019-20ની તુલનામાં 100 કરોડથી વધારે લોકો નોકરીથી વંચિત રહ્યા. તેમ છંતાય , એપ્રિલ 2020ની સરખામણીમાં આકંડા સુધારા પર છે. જ્યારે રોજગારી ઘટીને 282 મિલિયન થઇ છે. જેનો અર્થ એ થાય કે 2019-20ની સરેરાશ તુલનામાં લગભગ 122 મલિયન જેટલી રોજગારીને નુકશાન છે.

એપ્રિલથી મે 2020 દરમિયાન રોજગારી મેળવનારાઓની ગણતરીમાં 21.2 મિલયિયનનો વધારો થયો છે. જ્યારે બેરોજગારીની સંખ્યામાં પણ 6.3 મિલિયનનો વધારો થયો ચે. તો શ્રમિકોના બળમાં 27.5 મિલિયનનો વધારો નોંધાયો છે.

સક્રિય શ્રમિકો એપ્રિલમાં બજારો છોડીને ચાલ્યા ગયા હતા જે મે મહિનામાં પરત ફર્યા છે. જેમાં મોટાભાગના લોકોએ એપ્રિલમાં નોકરી ગુમાવતા બજાર છોડી દીધુ હતુ અને નિષ્ક્રિય બેરોજગાર તરીકે પોતાની જાતને મુકી દીધી હતી. તેઓએ પોતાને બેરોજગાર જાહેર કર્યા પણ નોકરી માટે સક્રિય ન થયા. તો તે પૈકી મે મહિનામાં ઘણા પરત ફર્યા હતા અને નોકરીની શોધમાં લાગ્યા હતા.

મે મહિનામાં જોડાયેલા 21 મિલિયન નોકરીઓમાં 14.4 મિલિયન જેટલા નાના વેપારીઓ અને દરરોજ મજુરી પર કામ કરતા શ્રમિકો હતા આ લોકોને લોકડાઉનનાં સૌથી વધારે સંવેનશીલતાની જરુર હતી. જે કુલ રોજગારીની કુલ વસ્તીના ત્રીજા ભાગનો હિસ્સો છે. પરંતુ, એપ્રિલમાં તે પૈકીના 71 ટકા લોકોએ નોકરી ગુમાવી હતી. જો કે દેશના વિવિધ ભાગોમાં આર્થિક પ્રવૃતિઓ ખુલતા તેઓ પોતાના વ્યવસાય તરફ પરત ફર્યા છે. મુખ્યત્વે આ લોકો સ્વ રોજગારી ધરાવતા હોવાથી પરવાનગી મળવાની સાથે જ કામ શરુ કરે છે.

મે મહિનામાં 21 મિલિયન નોકરીમાં વધારો થતા એપ્રિલ કરતા કુલ વધારો 7.5 ટકા વધારે નોંધાયો. તો નાના વેપારીઓ અને શ્રમિકોની નોકરીમાં 39 ટકાનો નોંધપાત્ર વધારો થયો. મે મહિનામા ઉદ્યોગો સાથે જોડાયેલી વ્યક્તિઓની નોકરીમાં 9.3 ટકાનો વધારો થયો છે. એપ્રિલમાં આ વ્યક્તિઓએ 18.2 મિલિયન નોકરી ગુમાવી હતી. જેમાંથી 5.5 પરત આવ્યા છે. ખાસ કરીને ફાર્મા સેક્ટરમાં રોજગારી વધી છે. જે 1.4 મિલિયન નોકરી કે તેમાં 1.2 ટકાનો વધારો છે.

જો કે મે મહિનામાં એક માત્ર સેગમેન્ટ નોકરીમાં કોઇ વધારો જોવા મળ્યો નહોતો અને તે પગારદાર વ્યક્તિઓનો હતો. પગારદાર લોકોની નોકરી એપ્રિલમાં 68.4 મિલિયન હતી. જે મે 2020માં 68.3 મિલિયન થઇ હતી. જે વર્ષ 2019-20માં 86 મિલિયન હતી. પગારદાર નોકરી મેળવવી પ્રમાણમાં મુશ્કેલ છે અને લોકડાઉન દરમિયાન ગુમાવવેલી નોકરી પુનઃપ્રાપ્ત કરવી તે તો વધુ મુશ્કેલ છે. જેમાં સારી નોકરી ગુમાવવી તે ચિંતાનજક બાબત છે.

મે 2020માં ઉમેરવામાં આવેલી નોકરી 21 મિલિયન નોકરીને ઉમર આધારિત જોવામાં આવે તો ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે. જ્યારે અલગ અલગ વયજુથમાં રોજગારીમાં વધારો થયો છે તો 25 થી 29 વર્ષની વય જુથમાં રોજગારમાં ઘટાડો થયો છે. તો એપ્રિલ 2020માં નોકરી કરતા કરતા લોકોની સંખ્યામાં 30.8 મિલિયન તો મે 2020માં 30.5 મિલિયન નોંધવામાં આવ્યુ હતુ. જ્યારે 65 વર્ષથી વધુ વયના લોકોની નોકરીમાં ઘટાડો થયો છે..

લોકડાઉનમાં મે 2020માં નોકરીઓમાં વધારો લોકડાઉન આંશિક અસર ઓછી થયાની વાતને દર્શાવે છે. આ પ્રકારની રાહત સ્વ રોજગારીમાં નોકરીમા વધારો થઇ શકે છે. ખાસ કરીને અસગંઠિત ક્ષેત્રમાં ફાયદો થશે. 25 થી 29 વયજુથના લોકો માટે તેમના સારી નોકરી નથી મેળવી શકતા. આ કર્મચારીઓ નોકરી નથી મેળવી શક્યા . ત્યારે પગારદાર નોકરી ક્યારે વધશે ? તે કહેવુ એક દુરના સ્વપ્ન સમાન છે.

મે મહિના છેલ્લા સપ્તાહમાં બેરોજગારીનો ગ્રાફ 20.2 ટકા જેટલો નીચો ગયો છે. જે લોકડાઉન લાગુ થયા પછીને સૌથી ઓછો બેરોજગારીનો દર છે.તો શ્રમિકોની ભાગીદારીનો દર વધીને 38.7 ટકા થયો છે. સૌથી મહત્વનું છે કે લોકડાઉન બાદ રોજગારીનો દર 30.9 ટકા હત. જે સૌથી વધુ હતો.

કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી ઘોષણાઓ સુચવે છે કે જુન દરમિયાન લોકડાઉન તબક્કા વાર હટી શકે છે. જેમાં આ મહિનાઓમાં શ્રમિકોના આંકડામાં સુધારો થઇ શકે તેમ છે. જો કે મોટાભાગના આરંભિક સુધારા ઓછી ગુણવતાવાળી નોકરીમાં જોવા મળશે. જો કે લોકડાઉનન દરમિયાન મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી છે તેમની નુકશાનને સુધારવામાં ખુબ લાંબો સમય લાગશે.

ન્યૂઝ ડેસ્કઃ મે 2020માં બેરોજદારીનો દર એપ્રિલ 2020 જેટલો જ રહ્યો હતો. પરંતુ, શ્રમિકોની ભાગીદારીનો દર 35.6 ટકાથી વધીને 38.2 ટકા અને રોજગારીનો દર 27.2 ટકાથી વધીને 29.2 ટકા થયો છે. જ્યારે મુખ્ય શ્રમિક બજારના આંકડા એપ્રિલની તુલનામાં મે મહિનામાં ઘણો સુધારો થયો છે. પરંતુ, હજુ લોકડાઉન પહેલાના તુલનામાં ઘણી નબળી છે.

2019-20માં રોજગારી મેળવનાર 404 મિલિયન લોકોની તુલનામાં મે 2020માં 303 મિલિયન લોકોએ રોજગારી મેળવી હતી. 2019-20ની તુલનામાં 100 કરોડથી વધારે લોકો નોકરીથી વંચિત રહ્યા. તેમ છંતાય , એપ્રિલ 2020ની સરખામણીમાં આકંડા સુધારા પર છે. જ્યારે રોજગારી ઘટીને 282 મિલિયન થઇ છે. જેનો અર્થ એ થાય કે 2019-20ની સરેરાશ તુલનામાં લગભગ 122 મલિયન જેટલી રોજગારીને નુકશાન છે.

એપ્રિલથી મે 2020 દરમિયાન રોજગારી મેળવનારાઓની ગણતરીમાં 21.2 મિલયિયનનો વધારો થયો છે. જ્યારે બેરોજગારીની સંખ્યામાં પણ 6.3 મિલિયનનો વધારો થયો ચે. તો શ્રમિકોના બળમાં 27.5 મિલિયનનો વધારો નોંધાયો છે.

સક્રિય શ્રમિકો એપ્રિલમાં બજારો છોડીને ચાલ્યા ગયા હતા જે મે મહિનામાં પરત ફર્યા છે. જેમાં મોટાભાગના લોકોએ એપ્રિલમાં નોકરી ગુમાવતા બજાર છોડી દીધુ હતુ અને નિષ્ક્રિય બેરોજગાર તરીકે પોતાની જાતને મુકી દીધી હતી. તેઓએ પોતાને બેરોજગાર જાહેર કર્યા પણ નોકરી માટે સક્રિય ન થયા. તો તે પૈકી મે મહિનામાં ઘણા પરત ફર્યા હતા અને નોકરીની શોધમાં લાગ્યા હતા.

મે મહિનામાં જોડાયેલા 21 મિલિયન નોકરીઓમાં 14.4 મિલિયન જેટલા નાના વેપારીઓ અને દરરોજ મજુરી પર કામ કરતા શ્રમિકો હતા આ લોકોને લોકડાઉનનાં સૌથી વધારે સંવેનશીલતાની જરુર હતી. જે કુલ રોજગારીની કુલ વસ્તીના ત્રીજા ભાગનો હિસ્સો છે. પરંતુ, એપ્રિલમાં તે પૈકીના 71 ટકા લોકોએ નોકરી ગુમાવી હતી. જો કે દેશના વિવિધ ભાગોમાં આર્થિક પ્રવૃતિઓ ખુલતા તેઓ પોતાના વ્યવસાય તરફ પરત ફર્યા છે. મુખ્યત્વે આ લોકો સ્વ રોજગારી ધરાવતા હોવાથી પરવાનગી મળવાની સાથે જ કામ શરુ કરે છે.

મે મહિનામાં 21 મિલિયન નોકરીમાં વધારો થતા એપ્રિલ કરતા કુલ વધારો 7.5 ટકા વધારે નોંધાયો. તો નાના વેપારીઓ અને શ્રમિકોની નોકરીમાં 39 ટકાનો નોંધપાત્ર વધારો થયો. મે મહિનામા ઉદ્યોગો સાથે જોડાયેલી વ્યક્તિઓની નોકરીમાં 9.3 ટકાનો વધારો થયો છે. એપ્રિલમાં આ વ્યક્તિઓએ 18.2 મિલિયન નોકરી ગુમાવી હતી. જેમાંથી 5.5 પરત આવ્યા છે. ખાસ કરીને ફાર્મા સેક્ટરમાં રોજગારી વધી છે. જે 1.4 મિલિયન નોકરી કે તેમાં 1.2 ટકાનો વધારો છે.

જો કે મે મહિનામાં એક માત્ર સેગમેન્ટ નોકરીમાં કોઇ વધારો જોવા મળ્યો નહોતો અને તે પગારદાર વ્યક્તિઓનો હતો. પગારદાર લોકોની નોકરી એપ્રિલમાં 68.4 મિલિયન હતી. જે મે 2020માં 68.3 મિલિયન થઇ હતી. જે વર્ષ 2019-20માં 86 મિલિયન હતી. પગારદાર નોકરી મેળવવી પ્રમાણમાં મુશ્કેલ છે અને લોકડાઉન દરમિયાન ગુમાવવેલી નોકરી પુનઃપ્રાપ્ત કરવી તે તો વધુ મુશ્કેલ છે. જેમાં સારી નોકરી ગુમાવવી તે ચિંતાનજક બાબત છે.

મે 2020માં ઉમેરવામાં આવેલી નોકરી 21 મિલિયન નોકરીને ઉમર આધારિત જોવામાં આવે તો ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે. જ્યારે અલગ અલગ વયજુથમાં રોજગારીમાં વધારો થયો છે તો 25 થી 29 વર્ષની વય જુથમાં રોજગારમાં ઘટાડો થયો છે. તો એપ્રિલ 2020માં નોકરી કરતા કરતા લોકોની સંખ્યામાં 30.8 મિલિયન તો મે 2020માં 30.5 મિલિયન નોંધવામાં આવ્યુ હતુ. જ્યારે 65 વર્ષથી વધુ વયના લોકોની નોકરીમાં ઘટાડો થયો છે..

લોકડાઉનમાં મે 2020માં નોકરીઓમાં વધારો લોકડાઉન આંશિક અસર ઓછી થયાની વાતને દર્શાવે છે. આ પ્રકારની રાહત સ્વ રોજગારીમાં નોકરીમા વધારો થઇ શકે છે. ખાસ કરીને અસગંઠિત ક્ષેત્રમાં ફાયદો થશે. 25 થી 29 વયજુથના લોકો માટે તેમના સારી નોકરી નથી મેળવી શકતા. આ કર્મચારીઓ નોકરી નથી મેળવી શક્યા . ત્યારે પગારદાર નોકરી ક્યારે વધશે ? તે કહેવુ એક દુરના સ્વપ્ન સમાન છે.

મે મહિના છેલ્લા સપ્તાહમાં બેરોજગારીનો ગ્રાફ 20.2 ટકા જેટલો નીચો ગયો છે. જે લોકડાઉન લાગુ થયા પછીને સૌથી ઓછો બેરોજગારીનો દર છે.તો શ્રમિકોની ભાગીદારીનો દર વધીને 38.7 ટકા થયો છે. સૌથી મહત્વનું છે કે લોકડાઉન બાદ રોજગારીનો દર 30.9 ટકા હત. જે સૌથી વધુ હતો.

કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી ઘોષણાઓ સુચવે છે કે જુન દરમિયાન લોકડાઉન તબક્કા વાર હટી શકે છે. જેમાં આ મહિનાઓમાં શ્રમિકોના આંકડામાં સુધારો થઇ શકે તેમ છે. જો કે મોટાભાગના આરંભિક સુધારા ઓછી ગુણવતાવાળી નોકરીમાં જોવા મળશે. જો કે લોકડાઉનન દરમિયાન મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી છે તેમની નુકશાનને સુધારવામાં ખુબ લાંબો સમય લાગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.