રાંચીઃ ઝારખંડમાં કોવિડ-19ના 187 નવા કેસ બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1330 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, 8 જૂન રાત સુધીમાં ઝારખંડમાં કોવિડ-19ના 187 નવા કેસ નોંધાયા છે. કુલ સંક્રમિત કેસની સંખ્યા 1330 થઈ છે.
1066 શ્રમિક છે જે દેશના જુદા-જુદા ભાગોથી રાજ્યમાં તેમના ઘરે પાછા ફર્યા છે. રાજ્યમાં 1330માંથી 519 સ્વસ્થ થઈ ગયા છે. તેઓ તેમના ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં 804 ચેપગ્રસ્ત લોકોની સારવાર ચાલુ છે. જ્યારે અન્ય 7 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં, કુલ 3732 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 187 કોવિડ-19ના નવા કેસ નોંધાયા છે.