ETV Bharat / bharat

તેલંગણાઃ 45 દિવસનું બાળક કોરોનામુક્ત થતાં તેને રજા અપાઈ

author img

By

Published : Apr 30, 2020, 11:28 AM IST

મહેબૂબનગર જિલ્લાના 45 દિવસના બાળકને તેના પિતા પાસેથી કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેને તેલંગાણામાં 15 દિવસથી સારવાર આપવામાં આવી હતી. જેના પગલે તેની તબિયતમાં સુધાર આવતા તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

COVID-19
COVID-19

હૈદરાબાદ: 45 દિવસના બાળકને કોરોના પોઝિટીવ નીકળતા તેને તેલંગાણાની હોસ્પિટલમાં 15 દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. જેના પગલે તેની તબિયતમાં સુધાર આવ્યો છે. તેથી તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નોંધનીય છે કે, પિતા પાસેથી ચેપ લાગતાં મહાબુબનગર જિલ્લાનાં બાળકને 4 એપ્રિલે નિયુક્ત ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળક 20-દિવસનું જ હોવાથી તે દેશમાં સૌથી નાનો કોરોના સંક્રમિત દર્દી બન્યો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેન્દરે બાળકને રિકવરી પછી ડિસ્ચાર્જ કરવામાં આવતાં ખુશી વ્યક્ત કરી હતી. એક અધિકારીએ બુલેટિનમાં જણાવ્યું હતું કે, બુધવારે 13 બાળકો સહિત 35 લોકોને રજા આપવામાં આવી હતી.

તાજા કેસોના ઘટાડાને પ્રતિબિંબિત કરતાં, માત્ર સાત લોકોએ જ સકારાત્મક પરીક્ષણ કર્યુ હતું. રાજ્યમાં પોઝિટીવ કેસની સંખ્યા 1016 પર પહોંચી ગઈ છે.જેમાંથી સક્રિય કેસની સંખ્યા 582 હતી.

હૈદરાબાદ: 45 દિવસના બાળકને કોરોના પોઝિટીવ નીકળતા તેને તેલંગાણાની હોસ્પિટલમાં 15 દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. જેના પગલે તેની તબિયતમાં સુધાર આવ્યો છે. તેથી તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નોંધનીય છે કે, પિતા પાસેથી ચેપ લાગતાં મહાબુબનગર જિલ્લાનાં બાળકને 4 એપ્રિલે નિયુક્ત ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળક 20-દિવસનું જ હોવાથી તે દેશમાં સૌથી નાનો કોરોના સંક્રમિત દર્દી બન્યો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેન્દરે બાળકને રિકવરી પછી ડિસ્ચાર્જ કરવામાં આવતાં ખુશી વ્યક્ત કરી હતી. એક અધિકારીએ બુલેટિનમાં જણાવ્યું હતું કે, બુધવારે 13 બાળકો સહિત 35 લોકોને રજા આપવામાં આવી હતી.

તાજા કેસોના ઘટાડાને પ્રતિબિંબિત કરતાં, માત્ર સાત લોકોએ જ સકારાત્મક પરીક્ષણ કર્યુ હતું. રાજ્યમાં પોઝિટીવ કેસની સંખ્યા 1016 પર પહોંચી ગઈ છે.જેમાંથી સક્રિય કેસની સંખ્યા 582 હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.