નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની મહામારીમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખથી વધારે થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 306 લોકોના મોત થયાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલી માહિતી અનુસાર દેશમાં કેરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,10,461 થઇ ગઇ છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,69,451 છે. જ્યારે 13,254 લોકોના મોત થયાં છે.
આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં જોવા મળી છે. જેમાં મહારાષ્ટ્રમાં 1,28,205 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ તમિલનાડુમાં 56,845 દિલ્હીમાં 56,746 અને ગુજરાતમાં 26,680 અને ઉતર પ્રદેશમાં 16,594 કેસ નોંધાયા છે.