ETV Bharat / bharat

શાહીન બાગના દેખાવકારો વિરુદ્ધની અરજી પર આજે 'સુપ્રીમ' સુનાવણી

author img

By

Published : Feb 10, 2020, 9:55 AM IST

રાજધાની દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA વિરુદ્ધ દેખાવો કરી રહેલા વિરોધીઓને હટાવવાની માગણી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાશે.

supreme Court
સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. મહત્વનું છે કે, નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધમાં શાહીન બાગમાં ડિસેમ્બર-2019થી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના દિવસે કેસની સુનાવણી કરીને વિધાનસભા ચૂંટણીની શાંતિને અસર થાય તેવું કોઈ કામ थશે નહીં.

- ચૂંટણીને કારણે ટાળવામાં આવી સુનાવણી

જ્યારે અરજદારો પૈકી એકના વકીલે રજૂઆત કરી હતી કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, એટલા માટે જ અમે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી પ્રભાવિત કરવા નથી ઈચ્છતા. સુપ્રીમ કોર્ટના જજોની બેંચે અરજદારોને જણાવ્યું હતું કે, સોમવારે એ મુદ્દે ચર્ચા કરવા તૈયાર રહે કે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પરત કેમ ન મોકલવો જોઈએ?

- હાઈકોર્ટમાં પણ દાખલ કરવામાં આવી હતી અરજી

આ પહેલા ગત 13 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં શાહીન બાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને હટાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ કર્યો હતો કે, તે લોકહિતને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક કાર્યવાહી કરે.

નવી દિલ્હી: શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. મહત્વનું છે કે, નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધમાં શાહીન બાગમાં ડિસેમ્બર-2019થી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના દિવસે કેસની સુનાવણી કરીને વિધાનસભા ચૂંટણીની શાંતિને અસર થાય તેવું કોઈ કામ थશે નહીં.

- ચૂંટણીને કારણે ટાળવામાં આવી સુનાવણી

જ્યારે અરજદારો પૈકી એકના વકીલે રજૂઆત કરી હતી કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, એટલા માટે જ અમે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી પ્રભાવિત કરવા નથી ઈચ્છતા. સુપ્રીમ કોર્ટના જજોની બેંચે અરજદારોને જણાવ્યું હતું કે, સોમવારે એ મુદ્દે ચર્ચા કરવા તૈયાર રહે કે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પરત કેમ ન મોકલવો જોઈએ?

- હાઈકોર્ટમાં પણ દાખલ કરવામાં આવી હતી અરજી

આ પહેલા ગત 13 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં શાહીન બાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને હટાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ કર્યો હતો કે, તે લોકહિતને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક કાર્યવાહી કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.