પંચમહાલ જિલ્લામાં હોળીના પર્વને લઈને ગ્રામીણ વિસ્તારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં બહારગામ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મજૂરીકામ કે અન્યકામ કરતો વર્ગ પોતાના વતનમાં જ હોળીની ઉજવણી કરતો હોય છે. ત્યારે પોતાના વતનમાં આવીને હોળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે વિશેષ બસો દોડાવાનું આયોજન ST વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે
પંચમહાલ જિલ્લાના હાલોલ,ગોધરા, ડેપોમાં બહાર ગામથી આવેલા લોકો પોતાના વતન સુધી પહોંચી શકે તે માટે બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા લુણાવાડા,બારીયા,સંજેલી ,દાહોદ, તરફના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં બસોનું દોડાવાનું આયોજન ST વિભાગ તરફથી કરવામાં આવ્યું છે.