શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર કુલગામના ગુદર વિસ્તારમાં ભારતીય સેના, CRPFના જવાન, જમ્મુ કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયું હતું.
જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લામાં સૈન્ય અધિકારી અને આતંકીઓ વચ્ચે સોમવારે ગોળીબાર શરૂ થયો હતો. આ ગોળીબારમાં ચાર આતંકીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ વિસ્તારના લોઅર મુંડામાં પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબીર કર્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઇ છે.