ETV Bharat / bharat

તણાવને લઈ ભારત-ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે ચુશૂલમાં વાતચીત શરૂ

author img

By

Published : Jun 29, 2020, 8:06 PM IST

Updated : Jun 30, 2020, 12:09 PM IST

ભારત-ચીન સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર-સ્તરની વાતચીતનો ત્રીજો તબક્કો શરૂ થયો છે.

Eastern Ladakh standoff: India, China to hold third round of Lt Gen talks on Tuesday
ભારત-ચીન વચ્ચે આવતીકાલે ત્રીજા તબક્કાની સૈન્ય સ્તરે વાતચીત થશે

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર-સ્તરની વાતચીતનો ત્રીજો તબક્કો શરૂ થશે. મળતી માહિતી મુજબ આ વાતચીત આજે સવારે 10.30 કલાકે લદ્દાખના ચુશુલમાં થશે. પ્રથમ બે બેઠકો મોલ્દોમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની ચીન બાજુએ થઈ હતી. બીજા તબક્કાની વાતચીત 22 જૂને થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે બંને પક્ષો 6 જૂને વાતચીતના પહેલા તબક્કામાં પહોંચેલા કરારના અમલીકરણ અંગેની અપેક્ષા રાખે છે. વાતચીતમાં ભારતનું નેતૃત્વ 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ કરશે. જ્યારે ચીની ટીમનું નેતૃત્વ તિબેટ લશ્કરી જિલ્લાના કમાન્ડર કરશે.

15 જૂને ગલવાન ઘાટીમાં અથડામણ બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીની સૈનિકોએ પથ્થર, લોખંડની રોડ અને ખીલ્લા વાળા પાઈપથી હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણ પછી, બંને પક્ષોએ મેજર-જનરલ સ્તરની વાટાઘાટોના ઓછામાં ઓછા ત્રણ તબક્કા યોજ્યા હતા, જેથી બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થાય તેવા માર્ગો શોધી શકાય.

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર-સ્તરની વાતચીતનો ત્રીજો તબક્કો શરૂ થશે. મળતી માહિતી મુજબ આ વાતચીત આજે સવારે 10.30 કલાકે લદ્દાખના ચુશુલમાં થશે. પ્રથમ બે બેઠકો મોલ્દોમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની ચીન બાજુએ થઈ હતી. બીજા તબક્કાની વાતચીત 22 જૂને થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે બંને પક્ષો 6 જૂને વાતચીતના પહેલા તબક્કામાં પહોંચેલા કરારના અમલીકરણ અંગેની અપેક્ષા રાખે છે. વાતચીતમાં ભારતનું નેતૃત્વ 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ કરશે. જ્યારે ચીની ટીમનું નેતૃત્વ તિબેટ લશ્કરી જિલ્લાના કમાન્ડર કરશે.

15 જૂને ગલવાન ઘાટીમાં અથડામણ બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીની સૈનિકોએ પથ્થર, લોખંડની રોડ અને ખીલ્લા વાળા પાઈપથી હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણ પછી, બંને પક્ષોએ મેજર-જનરલ સ્તરની વાટાઘાટોના ઓછામાં ઓછા ત્રણ તબક્કા યોજ્યા હતા, જેથી બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થાય તેવા માર્ગો શોધી શકાય.

Last Updated : Jun 30, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.