ETV Bharat / bharat

લોકડાઉન વચ્ચે DHFLના પ્રમોટર્સ સહિત 21 લોકો ફાર્મહાઉસમાંથી ઝડપાયા - IPCની કલમ 188

લોકડાઉન વચ્ચે પ્રતિબંધક હુકમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઇ પોલીસે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મહાબળેશ્વર ખાતે DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવનની અટકાયત કરી હતી. પોલીસે વાધવન પરિવારના સભ્યો સહિત 23 લોકોને તેમના ફાર્મહાઉસમાં પણ શોધી કાઢ્યાં હતાં.

DHFL promoters
DHFL promoters
author img

By

Published : Apr 10, 2020, 7:50 AM IST

મુંબઈ: લોકડાઉન વચ્ચે પ્રતિબંધક હુકમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુરુવારે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મહાબળેશ્વર ખાતે DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવનની અટકાયત કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસને તેમના ફાર્મહાઉસમાં વાધવન પરિવારના સભ્યો સહિત 23 લોકો મળી આવ્યાં હતાં.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, 'વાધવન પરિવારના 23 સભ્યોને કેવી રીતે ખંડાલાથી મહાબળેશ્વરની મુસાફરી કરવાની મંજૂરી મળી, તેની તપાસ કરાશે.'

  • We will conduct an inquiry to find out how 23 members of Wadhwan family travelled to Mahabaleshwar.

    — ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાધવન પરિવાર અન્ય લોકો સાથે બુધવારે સાંજે તેમની કારમાં ખંડાલાથી મહાબળેશ્વર ગયો હતો, ત્યારે પણ પુણે અને સાતારા જિલ્લા બંને કોરોના વાઈરસ ધરાવતાં લોકડાઉન વચ્ચે સીલ થઈ ગયા છે. કપિલ અને ધીરજ વાધવણન યસ બેંક અને DHFLની સાથે છેતરપિંડીના કેસમાં આરોપી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓને અધિકારીઓ સાથે 'દિવાન ફાર્મહાઉસ'માં જોવામાં આવ્યાં હતાં. મહાબળેશ્વર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ 23 લોકો સામે IPCની કલમ 188 (જાહેર સેવકના કાયદાકીય આદેશનું અનાદર) હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.

મુંબઈ: લોકડાઉન વચ્ચે પ્રતિબંધક હુકમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુરુવારે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મહાબળેશ્વર ખાતે DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવનની અટકાયત કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસને તેમના ફાર્મહાઉસમાં વાધવન પરિવારના સભ્યો સહિત 23 લોકો મળી આવ્યાં હતાં.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, 'વાધવન પરિવારના 23 સભ્યોને કેવી રીતે ખંડાલાથી મહાબળેશ્વરની મુસાફરી કરવાની મંજૂરી મળી, તેની તપાસ કરાશે.'

  • We will conduct an inquiry to find out how 23 members of Wadhwan family travelled to Mahabaleshwar.

    — ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાધવન પરિવાર અન્ય લોકો સાથે બુધવારે સાંજે તેમની કારમાં ખંડાલાથી મહાબળેશ્વર ગયો હતો, ત્યારે પણ પુણે અને સાતારા જિલ્લા બંને કોરોના વાઈરસ ધરાવતાં લોકડાઉન વચ્ચે સીલ થઈ ગયા છે. કપિલ અને ધીરજ વાધવણન યસ બેંક અને DHFLની સાથે છેતરપિંડીના કેસમાં આરોપી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓને અધિકારીઓ સાથે 'દિવાન ફાર્મહાઉસ'માં જોવામાં આવ્યાં હતાં. મહાબળેશ્વર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ 23 લોકો સામે IPCની કલમ 188 (જાહેર સેવકના કાયદાકીય આદેશનું અનાદર) હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.