નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે શનિવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું કે, કન્હૈયા કુમાર અને કેટલાક અન્ય લોકો સામે દેશદ્રોહના કેસની મંજૂરી આપવામાં આવી છે. જેથી રાજદ્રોહના કાયદા અંગે દિલ્હી સરકારની ગેરસમજ છે.
ચિદમ્બરે ટ્વીટ કર્યુ હતું કે, 'રાજદ્રોહના કાયદા અંગે દિલ્હી સરકારની સમજણ કેન્દ્રથી કંઇ ઓછી નથી.' તેમણે કહ્યું કે, 'હું ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ અને 120 બી હેઠળ કન્હૈયા કુમાર અને અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરીને નકારું છું.'
ખરેખરમાં દિલ્હી સરકારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને બે અન્ય લોકો પર દેશદ્રોહના કેસમાં કાર્યવાહી કરવા માટેની દિલ્હી પોલીસને મંજૂરી આપી દીધી હતી. પોલીસે 2016ના આ કેસમાં કુમારની સાથે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ય સામે પણ ચાર્જશીટ દાખલ કરી હતી.