ETV Bharat / bharat

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં CM રુપાણી પણ હાજર રહ્યાં

author img

By

Published : Mar 17, 2019, 10:51 AM IST

રાજકોટઃ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની 65 વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું કાલાવડ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન યોજાયું હતું.

સ્પોટ ફોટો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં ચેમ્બરના હોદેદારો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ વેપાર ઉદ્યોગમાં નવી સિદ્ધીઓ હાંસલ કરનારા વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટનો લઘુઉદ્યોગ વધુને વધુ મજબૂત બની આગળ આવે તે માટે રાજકોટ ચેમ્બર કામ કરી રહી છે. જેમાં સરકારની મદદની જરૂર હશે ત્યાં સરકાર જરૂરથી મદદ કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં કેટલાક ગુજરાતીઓ પણ લાપતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઇમિગ્રન્ટસ પર નમાજ પહેલા હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 40થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 40 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ હુમલામાં ન્યુઝીલેન્ડમાં રહેતા કેટલાક ગુજરાતીઓને પણ અસર પહોંચી હોવાનુ સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ન્યુઝીલેન્ડ ખાતે સતત સંપર્કમાં રહી માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતમાં રહેતા પરિવારજનોનો સંપર્ક તૂટ્યો હોય તો તેની મદદ કરવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈને તાત્કાલિક વિઝાની જરૂર જણાય તો તેમને વિઝાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં ચેમ્બરના હોદેદારો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ વેપાર ઉદ્યોગમાં નવી સિદ્ધીઓ હાંસલ કરનારા વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટનો લઘુઉદ્યોગ વધુને વધુ મજબૂત બની આગળ આવે તે માટે રાજકોટ ચેમ્બર કામ કરી રહી છે. જેમાં સરકારની મદદની જરૂર હશે ત્યાં સરકાર જરૂરથી મદદ કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં કેટલાક ગુજરાતીઓ પણ લાપતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઇમિગ્રન્ટસ પર નમાજ પહેલા હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 40થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 40 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ હુમલામાં ન્યુઝીલેન્ડમાં રહેતા કેટલાક ગુજરાતીઓને પણ અસર પહોંચી હોવાનુ સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ન્યુઝીલેન્ડ ખાતે સતત સંપર્કમાં રહી માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતમાં રહેતા પરિવારજનોનો સંપર્ક તૂટ્યો હોય તો તેની મદદ કરવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈને તાત્કાલિક વિઝાની જરૂર જણાય તો તેમને વિઝાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે.

Intro:એન્કર :- રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની 65 વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ નું આજે કાલાવડ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમા સ્નેહમિલન યોજયુ હતું.


વિઓ :- રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના સ્નેહમિલન મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખાસ હાજરી આપી હતી.. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમ મા ચેમ્બર ના હોદેદારો , ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં ખાસ વેપાર ઉદ્યોગમાં નવી સિધ્ધીઓ હાસિલ કરનાર વેપારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.. રાજકોટ ચેમ્બર ના સ્નેહમિલન કાર્યક્રમ1 મા હાજરી આપવા આવેલ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે રાજકોટ નો લઘુઉદ્યોગ વધુ ને વધુ મજબૂત બની આગળ આવે તે માટે રાજકોટ ચેમ્બર કામ કરી રહી છે જેમાં સરકારની મદદ ની જરૂર હશે ત્યાં સરકાર જરૂર થી મદદ કરશે.


વિઓ :- ન્યુઝીલેન્ડમા થયેલ આતંકી હુમલામા કેટલાક ગુજરાતીઓ પણ લાપતા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે ન્યુઝીલેન્ડ ના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસ્જિદોમા આવેલા ઇમિગ્રન્ટસ પર નમાજ પહેલા હુમલો થવા પામ્યો હતો આ હુમલામાં લગભગ 40 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 40 થી વધુ લોકો ને ઇજા પહોંચી છે આ હુમલામાં ન્યુઝીલેન્ડ માં રહેતા કેટલાક ગુજરાતીઓ ને પણ અસર પહોંચી હોવાનુ સામે આવ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ન્યુઝીલેન્ડ ખાતે સતત સંપર્કમાં રહી માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે સાથે જ ગુજરાતમાં રહેતા પરિવાર જનો નો સંપર્ક તૂટ્યો હોય તો તેની મદદ કરવા સૂચના આપવામાં આવી છે.. ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે , જો કોઈ ને તાત્કાલિક વિઝા ની જરૂરજનાય તો તેમને વિઝા ની પણ વ્યવસ્થા કરી દેવામા આવશે.. 







Body:બાઈટ :- વિજય રૂપાણી (મુખ્યપ્રધાન - ગુજરાત રાજ્ય)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.