ETV Bharat / bharat

સ્પષ્ટ માહિતી અને આરોગ્ય સુવિધાની તૈયારીને કારણે ન્યૂઝીલેન્ડેને મળી કોવિડ-19 સામે સફળતાઃ ભારતીય રાજદૂત

author img

By

Published : Jun 13, 2020, 1:11 AM IST

9મી જૂનના રોજ ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી કે, તે કોવિડ-19 મુક્ત દેશ બન્યો છે. આ રીતે તે વિશ્વનો 9મો કોરોનામુક્ત દેશ બન્યો છે. ન્યૂઝીલેન્ડમાં 29 મે બાદ કોઈ નવો કેસ નોંધાયો નથી. ન્યૂઝીલેન્ડના યુવા મહિલા વડાંપ્રધાન જેસિન્ડા આર્ડને જણાવ્યું કે, આ સિદ્ધિની ઉજવણી કરવા માટે તેમને ડાન્સ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ ખાતે ભારતના ઉચ્ચાયુક્ત મુક્તેશ પરદેશી જણાવે છે કે, રોગચાળાની આગોતરી જાણ કરતી સિસ્ટમ, સ્પષ્ટ માહિતી અને સંદેશ અને દેશનાં લોકપ્રિય વડાંપ્રધાન પર નાગરિકોના વિશ્વાસને કારણે કોવિડ-19 સામે ન્યૂઝીલેન્ડને આ સફળતા મળી છે.

Indian envoy
Indian envoy

ન્યૂઝ ડેસ્ક: સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા સાથે ઑકલેન્ડથી વાતચીત કરતાં ભારતીય ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કેવી રીતે ન્યૂઝીલેન્ડે નાગરિકોને આગોતરી માહિતી આપી અને શિક્ષિત કર્યા છે. આ સાથે જ આગોતરાં પગલાં પણ લીધા છે. દેશમાં હવે આંતરિક પ્રવાસ માટેના બધા પ્રતિબંધો હટાવી લેવાયા છે અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ ગઈ છે. માત્ર સરહદો હજૂ નથી ખોલવામાં આવી અને માત્ર ઓસ્ટ્રેલિયા અને નજીકના નાના પેસિફિક ટાપુઓ સુધીની જ હવાઇ સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા અને મુક્તેશ પરદેશી વચ્ચે થયેલી વાતચીત

ઉચ્ચાયુક્ત પરદેશીના જણાવ્યા અનુસાર કદાચ ન્યૂઝીલેન્ડે એક માત્ર એવો દેશ હશે કે, જે કોવિડ-19 પહેલાંની રાબેતા મુજબની સ્થિતિ પ્રમાણે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. ચીન સાથે ન્યૂઝીલેન્ડેનો મોટો વેપાર છે. તે અંગે વાતચીત કરતાં પરદેશીએ જણાવ્યું કે, એક જ દેશ પર વેપાર માટે આધાર રાખવાથી થનારા નુકસાનનો ખ્યાલ કિવિઝ નાગરિકોને આવ્યો છે.

સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા અને મુક્તેશ પરદેશી વચ્ચે થયેલી વાતચીતના અંશો

સવાલઃ ભારત અને ન્યૂઝીલેન્ડે વિસ્તાર અને વસતિની રીતે ઘણા જુદા છે, પણ છતાંય તેની સફળતામાંથી ભારત ઘણું શીખી શકે કે નહિ?

આવા સમયે મને ન્યૂઝીલેન્ડમાં રહેવા મળ્યું તે માટે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પોતાને કોરોના ફ્રી જાહેર કરીને દેશ રોલ મૉડલ બન્યો છે. 9 જૂને ન્યૂઝીલેન્ડે કોરોનામુક્ત બનનારો 9મો દેશ બન્યો છે. વિકસિત અને પશ્ચિમ સાથે જોડાયેલા હોવાથી ન્યૂઝીલેન્ડે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 29 મે પછી કોઈ નવો કેસ નોંધાયો નથી. કુલ કેસ 1504 થયા અને માત્ર 22 લોકોના મોત નીપજ્યા છે. ન્યૂઝીલેન્ડ નાનો દેશ અને વસ્તી ગીચતા ઓછી વગેરે પરિબળો ઉપયોગી થયા છે. ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 50 લાખની છે. તેથી ભારતની સરખામણીએ અંતર જાળવવું અને અળગા રહેવું ઘણું સહેલું હતું.

સવાલઃ ભારતમાં વિશ્વનું સૌથી કડક લૉકડાઉન થયું, તેમ છતાં કેસ વધી ગયા. તમને ન્યૂઝીલેન્ડમાંથી શું બોધપાઠ મળ્યો તે જણાવો.

સૌથી વ્યવહારૂ રીત એ હતી કે, પ્રથમ જ અઠવાડિયે 4 તબક્કાની હેલ્થ એલાર્મ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ચોથો તબક્કો સૌથી જોખમી એ રીત 20 માર્ચની આસપાસ પ્રથમ તબક્કો જાહેર કરાયો હતો. બે કે ત્રણ દિવસમાં જ ચોથા તબક્કાની ચેતવણી અપાઈ, કેમ કે સરકારને લાગ્યું કે ચેપ અહીં ફેલાઇ શકે છે. શરૂઆતમાં ચેપ આવ્યો તે મોટા ભાગે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓ હતા. કેટલાક ઇરાનની આવનારા પ્રવાસીઓ હતા. આ દેશો સાથે સંપર્ક બંધ કરી દેવાયો અને દરેક તબક્કે શું થશે તેની માહિતી લોકોને અપાતી રહી.

પ્રથમ તબક્કાની જાહેરાત કરાઈ ત્યારે જ લોકોને જણાવી દેવાયું હતું કે ચોથા તબક્કે શું સ્થિતિ હશે. તેથી વડાંપ્રધાને ચોથા તબક્કાની ચેતવણી જાહેર કરી ત્યારે નાગરિકો તે માટે તૈયાર હતા. તેથી મને લાગે છે કે આ સિસ્ટમ બહુ સારી હતી કે સરકાર કઈ રીતે નાગરિકોને વિશ્વાસમાં લઈ શકે. વડાંપ્રધાન જેસિન્ડા લોકપ્રિય છે. તેથી સરકારી ચેતવણીને લોકોએ પાળી. હું કહીશ કે સ્પષ્ટ સંદેશ, સતત અને આગોતરી ચેતવણીની સિસ્ટમને કારણે ન્યૂઝીલેન્ડને ફાયદો થયો.

સવાલઃ દક્ષિણ કોરિયાને પણ સફળ મૉડલ ગણવામાં આવે છે. તેની સાથે ઘણા દેશો બીજા શક્ય રોગચાળાની તૈયારીમાં છે. ન્યૂઝીલેન્ડ શું કાળજી લઈ રહ્યો છે?

9મી જૂનથી દેશમાં આરોગ્યની ચેતવણી પ્રથમ તબક્કાની છે. એટલે કે તદ્દન નોર્મલ છે. લોકો હળેમળે છે. પ્રવાસ પર પ્રતિબંધ નથી. અર્થતંત્ર ચાલતું થઈ ગયું છે, લગભગ 95 ટકા જેટલું. પણ પ્રથમ તબક્કામાં વિદેશથી કોઈને પ્રવેશ અપાતો નથી. ફ્લાઇટમાં પરત લાવવામાં આવે તે લોકોને 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે.

ગયા અઠવાડિયે એર ઇન્ડિયાનું વિમાન પ્રવાસીને લઈને આવ્યું તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જવાયા હતા. ત્રણેક અઠવાડિયા નવા કેસના આવે ત્યાં સુધી વિદેશ સાથેનો સંપર્ક અટકાવેલો જ રખાશે. તે પછી કદાચ ઓસ્ટ્રેલિયા અને પેસિફિક આઇલેન્ડ દેશો સાથે ફ્લાઇટ શરૂ થશે, કેમ કે તેમના નીકટના સંબંધો છે. તે સિવાય હાલમાં સરહદો ખોલવામાં આવશે નહિ.

સવાલઃ ભારતના ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ કહ્યું છે કે, ઑગસ્ટથી કદાચ થોડી આંતરારાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલશે. તો શું લાગે છે કે ભારત સાથે આવનજાવન શક્ય બનશે?

હાલમાં આપણે નાગરિકોને પરત લાવવામાં લાગ્યા છીએ. અહીં 3000 જેટલા ભારતીયો ફસાયેલા છે. ભારત મિશન હેઠળ આ મહિને એર ઇન્ડિયાની 9 ફ્લાઇટ્સ ચાલશે, 30 જૂન સુધી ચાલતી રહેશે. એર ઇન્ડિયાના વિમાનો અહીં આવે ત્યારે ભારતમાં ફસાયેલા કિવિ નાગરિકોને લેતું આવે છે. એ રીતે નાગરિકોની આવનજાવન આ મહિને કરીને સૌને વતન પહોંચાડાશે.

સવાલઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે HCQ દવા સહિત કેવો સહયોગ છે? ન્યૂઝીલેન્ડમાંથી શીખવા જેવી બાબતો અંગે તમે વિદેશ મંત્રાલયને શું ફિડબેક આપ્યા છે?

બંને દેશો એકબીજાને સહકાર આપી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલાં આપણા વિદેશ પ્રધાને ન્યૂઝીલેન્ડના ડેપ્યુડી પીએમ સાથે વાતચીત કરી હતી. હકીકતમાં ફેબ્રુઆરીમાં જ ડેપ્યુટી પીએમ ભારતના પ્રવાસે હતા. ત્યારબાદ ફોન પર સંપર્કમાં રહ્યા હતા. દવાઓ માટે ન્યૂઝીલેન્ડ ભારત પર ઘણો આધાર રાખે છે. અમને આ બાબતમાં જણાવાયું ત્યારે અમે દિલ્હીને જાણ કરીને પુરવઠો ચાલુ રહે તેવું કરાવ્યું હતું. વિદેશ પ્રધાન સાથે ઇન્ડો-પેસિફિક દેશોની પણ વાતચીત થઈ હતી. હકીકતમાં આ દેશોના ગ્રુપની ચર્ચા ન્યૂઝીલેન્ડની આગેવાની હેઠળ થઈ હતી. તેમના પુરવઠો આપવો, રોગચાળાનો સામનો કેવી રીતે કરવો, WHOના ફ્રેમવર્કમાં કેવી રીતે સહયોગ કરવો વગેરે ચર્ચાઓ થઈ હતી. હાલમાં વંદે ભારત મિશન હેઠળ નાગરિકોની વતન વાપસી માટે પણ સહયોગ કરાયો છે.

સવાલઃ બંને વચ્ચે સમાન રસનો વિષય છે ક્રિકેટ. શું ત્યાં લોકોને પણ ક્રિકેટ વિના મજા નથી આવતી? ભવિષ્યમાં કેવી રીતે ક્રિકેટ રમાશે?

જાન્યુઆરીમાં જ ભારતની ક્રિકેટ ટીમ અહીં હતી તે છેક પાંચમી માર્ચ સુધીમાં ન્યૂઝીલેન્ડે સરહદો બંધ કરવાનો નિર્ણય કર્યો તેના થોડા દિવસ પહેલાં જ ટીમ અહીંથી રવાના થઈ હતી. અહીં લોકોને રગ્બીમાં વધારે રસ છે અને તેની ડોમેસ્ટિક સિરિઝ શરૂ થવાની છે.

સવાલઃ પ્રેક્ષકો વિના મેચ થશે કે કેમ?

હવે લોકોના એકઠા થવા પર કે પ્રવાસ પર પ્રતિબંધ નથી. હકીકતમાં અહીં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાશે. અગાઉના વર્ષોની જેમ જ ઉજવાશે. એટલે કદાચ ન્યૂઝીલેન્ડ એક માત્ર એવો દેશ હશે જે કોવિડ-19 પહેલાંની રાબેતા મુજબની રીતે યોગ દિવસ મનાવશે. એટલે તમે મોટી સંખ્યામાં લોકો એકઠાં કરી શકો. માત્ર વિદેશથી આવનજાવન પર જ પ્રતિબંધ છે.

સવાલઃ કોવીડ-19ની તપાસ માટે આગ્રહ રાખ્યો તે માટે ચીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને વેપારની બાબતમાં ધમકીઓ આપી છે. ન્યૂઝીલેન્ડમાં અને કોર્પોરેટ જગતમાં ચીનની બાબતમાં શું ચર્ચાઓ ચાલે છે?

એ હકીકત છે કે ચીન સાથે ન્યૂઝીલેન્ડ સાથે દાયકાઓથી વ્યાપક વેપારી સંબંધો છે. તેમની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલા છે. ચીન સૌથી મોટો વેપારી ભાગીદાર છે. રોગચાળા પછી ભાન થયું છે કે, એક જ દેશ પર વધારે આધાર રાખવો જોઈએ નહિ. આવી ચર્ચાઓ સીઈઓ અને ઉદ્યોગમાં થઈ રહી છે. અખબારોમાં પણ ચર્ચા છે કે, કોવિડ-19 બાદ ન્યૂઝીલેન્ડ પોતાના પુરવઠા બાબતમાં વૈવિધ્યકરણ કરશે.

સવાલઃ ભારતની જેમ ન્યૂઝીલેન્ડને પણ ચીનમાંથી ખામીયુક્ત ટેસ્ટિંગ કિટ વગેરેની સમસ્યા નડી હતી ખરી?

ટેસ્ટિંગ કિટ બહારથી આયાત કરવામાં આવી હતી અને સ્થાનિક ધોરણે પણ તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેથી મને લાગે છે કે, તે બાબતે કોઈ સમસ્યા થઈ ન હતી.

ન્યૂઝ ડેસ્ક: સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા સાથે ઑકલેન્ડથી વાતચીત કરતાં ભારતીય ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કેવી રીતે ન્યૂઝીલેન્ડે નાગરિકોને આગોતરી માહિતી આપી અને શિક્ષિત કર્યા છે. આ સાથે જ આગોતરાં પગલાં પણ લીધા છે. દેશમાં હવે આંતરિક પ્રવાસ માટેના બધા પ્રતિબંધો હટાવી લેવાયા છે અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ ગઈ છે. માત્ર સરહદો હજૂ નથી ખોલવામાં આવી અને માત્ર ઓસ્ટ્રેલિયા અને નજીકના નાના પેસિફિક ટાપુઓ સુધીની જ હવાઇ સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા અને મુક્તેશ પરદેશી વચ્ચે થયેલી વાતચીત

ઉચ્ચાયુક્ત પરદેશીના જણાવ્યા અનુસાર કદાચ ન્યૂઝીલેન્ડે એક માત્ર એવો દેશ હશે કે, જે કોવિડ-19 પહેલાંની રાબેતા મુજબની સ્થિતિ પ્રમાણે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. ચીન સાથે ન્યૂઝીલેન્ડેનો મોટો વેપાર છે. તે અંગે વાતચીત કરતાં પરદેશીએ જણાવ્યું કે, એક જ દેશ પર વેપાર માટે આધાર રાખવાથી થનારા નુકસાનનો ખ્યાલ કિવિઝ નાગરિકોને આવ્યો છે.

સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા અને મુક્તેશ પરદેશી વચ્ચે થયેલી વાતચીતના અંશો

સવાલઃ ભારત અને ન્યૂઝીલેન્ડે વિસ્તાર અને વસતિની રીતે ઘણા જુદા છે, પણ છતાંય તેની સફળતામાંથી ભારત ઘણું શીખી શકે કે નહિ?

આવા સમયે મને ન્યૂઝીલેન્ડમાં રહેવા મળ્યું તે માટે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પોતાને કોરોના ફ્રી જાહેર કરીને દેશ રોલ મૉડલ બન્યો છે. 9 જૂને ન્યૂઝીલેન્ડે કોરોનામુક્ત બનનારો 9મો દેશ બન્યો છે. વિકસિત અને પશ્ચિમ સાથે જોડાયેલા હોવાથી ન્યૂઝીલેન્ડે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 29 મે પછી કોઈ નવો કેસ નોંધાયો નથી. કુલ કેસ 1504 થયા અને માત્ર 22 લોકોના મોત નીપજ્યા છે. ન્યૂઝીલેન્ડ નાનો દેશ અને વસ્તી ગીચતા ઓછી વગેરે પરિબળો ઉપયોગી થયા છે. ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 50 લાખની છે. તેથી ભારતની સરખામણીએ અંતર જાળવવું અને અળગા રહેવું ઘણું સહેલું હતું.

સવાલઃ ભારતમાં વિશ્વનું સૌથી કડક લૉકડાઉન થયું, તેમ છતાં કેસ વધી ગયા. તમને ન્યૂઝીલેન્ડમાંથી શું બોધપાઠ મળ્યો તે જણાવો.

સૌથી વ્યવહારૂ રીત એ હતી કે, પ્રથમ જ અઠવાડિયે 4 તબક્કાની હેલ્થ એલાર્મ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ચોથો તબક્કો સૌથી જોખમી એ રીત 20 માર્ચની આસપાસ પ્રથમ તબક્કો જાહેર કરાયો હતો. બે કે ત્રણ દિવસમાં જ ચોથા તબક્કાની ચેતવણી અપાઈ, કેમ કે સરકારને લાગ્યું કે ચેપ અહીં ફેલાઇ શકે છે. શરૂઆતમાં ચેપ આવ્યો તે મોટા ભાગે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓ હતા. કેટલાક ઇરાનની આવનારા પ્રવાસીઓ હતા. આ દેશો સાથે સંપર્ક બંધ કરી દેવાયો અને દરેક તબક્કે શું થશે તેની માહિતી લોકોને અપાતી રહી.

પ્રથમ તબક્કાની જાહેરાત કરાઈ ત્યારે જ લોકોને જણાવી દેવાયું હતું કે ચોથા તબક્કે શું સ્થિતિ હશે. તેથી વડાંપ્રધાને ચોથા તબક્કાની ચેતવણી જાહેર કરી ત્યારે નાગરિકો તે માટે તૈયાર હતા. તેથી મને લાગે છે કે આ સિસ્ટમ બહુ સારી હતી કે સરકાર કઈ રીતે નાગરિકોને વિશ્વાસમાં લઈ શકે. વડાંપ્રધાન જેસિન્ડા લોકપ્રિય છે. તેથી સરકારી ચેતવણીને લોકોએ પાળી. હું કહીશ કે સ્પષ્ટ સંદેશ, સતત અને આગોતરી ચેતવણીની સિસ્ટમને કારણે ન્યૂઝીલેન્ડને ફાયદો થયો.

સવાલઃ દક્ષિણ કોરિયાને પણ સફળ મૉડલ ગણવામાં આવે છે. તેની સાથે ઘણા દેશો બીજા શક્ય રોગચાળાની તૈયારીમાં છે. ન્યૂઝીલેન્ડ શું કાળજી લઈ રહ્યો છે?

9મી જૂનથી દેશમાં આરોગ્યની ચેતવણી પ્રથમ તબક્કાની છે. એટલે કે તદ્દન નોર્મલ છે. લોકો હળેમળે છે. પ્રવાસ પર પ્રતિબંધ નથી. અર્થતંત્ર ચાલતું થઈ ગયું છે, લગભગ 95 ટકા જેટલું. પણ પ્રથમ તબક્કામાં વિદેશથી કોઈને પ્રવેશ અપાતો નથી. ફ્લાઇટમાં પરત લાવવામાં આવે તે લોકોને 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે.

ગયા અઠવાડિયે એર ઇન્ડિયાનું વિમાન પ્રવાસીને લઈને આવ્યું તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જવાયા હતા. ત્રણેક અઠવાડિયા નવા કેસના આવે ત્યાં સુધી વિદેશ સાથેનો સંપર્ક અટકાવેલો જ રખાશે. તે પછી કદાચ ઓસ્ટ્રેલિયા અને પેસિફિક આઇલેન્ડ દેશો સાથે ફ્લાઇટ શરૂ થશે, કેમ કે તેમના નીકટના સંબંધો છે. તે સિવાય હાલમાં સરહદો ખોલવામાં આવશે નહિ.

સવાલઃ ભારતના ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ કહ્યું છે કે, ઑગસ્ટથી કદાચ થોડી આંતરારાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલશે. તો શું લાગે છે કે ભારત સાથે આવનજાવન શક્ય બનશે?

હાલમાં આપણે નાગરિકોને પરત લાવવામાં લાગ્યા છીએ. અહીં 3000 જેટલા ભારતીયો ફસાયેલા છે. ભારત મિશન હેઠળ આ મહિને એર ઇન્ડિયાની 9 ફ્લાઇટ્સ ચાલશે, 30 જૂન સુધી ચાલતી રહેશે. એર ઇન્ડિયાના વિમાનો અહીં આવે ત્યારે ભારતમાં ફસાયેલા કિવિ નાગરિકોને લેતું આવે છે. એ રીતે નાગરિકોની આવનજાવન આ મહિને કરીને સૌને વતન પહોંચાડાશે.

સવાલઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે HCQ દવા સહિત કેવો સહયોગ છે? ન્યૂઝીલેન્ડમાંથી શીખવા જેવી બાબતો અંગે તમે વિદેશ મંત્રાલયને શું ફિડબેક આપ્યા છે?

બંને દેશો એકબીજાને સહકાર આપી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલાં આપણા વિદેશ પ્રધાને ન્યૂઝીલેન્ડના ડેપ્યુડી પીએમ સાથે વાતચીત કરી હતી. હકીકતમાં ફેબ્રુઆરીમાં જ ડેપ્યુટી પીએમ ભારતના પ્રવાસે હતા. ત્યારબાદ ફોન પર સંપર્કમાં રહ્યા હતા. દવાઓ માટે ન્યૂઝીલેન્ડ ભારત પર ઘણો આધાર રાખે છે. અમને આ બાબતમાં જણાવાયું ત્યારે અમે દિલ્હીને જાણ કરીને પુરવઠો ચાલુ રહે તેવું કરાવ્યું હતું. વિદેશ પ્રધાન સાથે ઇન્ડો-પેસિફિક દેશોની પણ વાતચીત થઈ હતી. હકીકતમાં આ દેશોના ગ્રુપની ચર્ચા ન્યૂઝીલેન્ડની આગેવાની હેઠળ થઈ હતી. તેમના પુરવઠો આપવો, રોગચાળાનો સામનો કેવી રીતે કરવો, WHOના ફ્રેમવર્કમાં કેવી રીતે સહયોગ કરવો વગેરે ચર્ચાઓ થઈ હતી. હાલમાં વંદે ભારત મિશન હેઠળ નાગરિકોની વતન વાપસી માટે પણ સહયોગ કરાયો છે.

સવાલઃ બંને વચ્ચે સમાન રસનો વિષય છે ક્રિકેટ. શું ત્યાં લોકોને પણ ક્રિકેટ વિના મજા નથી આવતી? ભવિષ્યમાં કેવી રીતે ક્રિકેટ રમાશે?

જાન્યુઆરીમાં જ ભારતની ક્રિકેટ ટીમ અહીં હતી તે છેક પાંચમી માર્ચ સુધીમાં ન્યૂઝીલેન્ડે સરહદો બંધ કરવાનો નિર્ણય કર્યો તેના થોડા દિવસ પહેલાં જ ટીમ અહીંથી રવાના થઈ હતી. અહીં લોકોને રગ્બીમાં વધારે રસ છે અને તેની ડોમેસ્ટિક સિરિઝ શરૂ થવાની છે.

સવાલઃ પ્રેક્ષકો વિના મેચ થશે કે કેમ?

હવે લોકોના એકઠા થવા પર કે પ્રવાસ પર પ્રતિબંધ નથી. હકીકતમાં અહીં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાશે. અગાઉના વર્ષોની જેમ જ ઉજવાશે. એટલે કદાચ ન્યૂઝીલેન્ડ એક માત્ર એવો દેશ હશે જે કોવિડ-19 પહેલાંની રાબેતા મુજબની રીતે યોગ દિવસ મનાવશે. એટલે તમે મોટી સંખ્યામાં લોકો એકઠાં કરી શકો. માત્ર વિદેશથી આવનજાવન પર જ પ્રતિબંધ છે.

સવાલઃ કોવીડ-19ની તપાસ માટે આગ્રહ રાખ્યો તે માટે ચીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને વેપારની બાબતમાં ધમકીઓ આપી છે. ન્યૂઝીલેન્ડમાં અને કોર્પોરેટ જગતમાં ચીનની બાબતમાં શું ચર્ચાઓ ચાલે છે?

એ હકીકત છે કે ચીન સાથે ન્યૂઝીલેન્ડ સાથે દાયકાઓથી વ્યાપક વેપારી સંબંધો છે. તેમની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલા છે. ચીન સૌથી મોટો વેપારી ભાગીદાર છે. રોગચાળા પછી ભાન થયું છે કે, એક જ દેશ પર વધારે આધાર રાખવો જોઈએ નહિ. આવી ચર્ચાઓ સીઈઓ અને ઉદ્યોગમાં થઈ રહી છે. અખબારોમાં પણ ચર્ચા છે કે, કોવિડ-19 બાદ ન્યૂઝીલેન્ડ પોતાના પુરવઠા બાબતમાં વૈવિધ્યકરણ કરશે.

સવાલઃ ભારતની જેમ ન્યૂઝીલેન્ડને પણ ચીનમાંથી ખામીયુક્ત ટેસ્ટિંગ કિટ વગેરેની સમસ્યા નડી હતી ખરી?

ટેસ્ટિંગ કિટ બહારથી આયાત કરવામાં આવી હતી અને સ્થાનિક ધોરણે પણ તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેથી મને લાગે છે કે, તે બાબતે કોઈ સમસ્યા થઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.