ETV Bharat / bharat

ભારત માટે જળ સંકટ ઉભુ કરી રહ્યું છે ચીન

author img

By

Published : Dec 20, 2020, 9:49 PM IST

આસામ અને અરૂણાચલ પ્રદેશ જેવા ભારતના ઇશાન ભારતના રાજ્યોમાં જળ સંકટ ઊભું થાય તેવી રીતે ચીન બ્રહ્મપુત્રા નદી પર બંધો બાંધવાની તૈયારી કરી રહ્યું છે. તિબેટમાંથી શરૂ થઈને વહેતી નદીઓ પર મોટા બંધો બાંધીને ભારત, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, લાઓસ, કંબોડિયા અને વિયેટનામ જેવા પડોશી દેશોમાં જળ સંસાધનો સામે જોખમ ઊભું થાય તેવી ચાલ ચીન ચાલી રહ્યું છે.

ભારત માટે જળ સંકટ ઉભુ કરી રહ્યું છે ચીન
ભારત માટે જળ સંકટ ઉભુ કરી રહ્યું છે ચીન

ન્યુઝ ડેસ્કઃ પડોશી દેશોને પરેશાન કરવા માટે ચીન એકથી વધુ જળ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. તેના કારણે અગ્નિ એશિયાના દેશોમાં સિંચાઈની સમસ્યાઓ ઊભી થઈ છે. તે પછી ચીન હવે ભારતનો જળ સ્ત્રોત ઘટે તેવી વિશાળ કાય બંધોની યોજના ચીને શરૂ કરી છે.

બ્રહ્મપુત્રા નદી પર ચીન જંગી જળવિદ્યુત પરિયોજના તૈયાર કરી રહ્યું છે, જેના કારણે ભારત અને બાંગ્લાદેશ બંને મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ચીન દ્વારા ડેમ તૈયાર થવાના કારણે થનારા નુકસાનનો સામનો કરવા ભારત તૈયારીમાં લાગ્યું છે. ભારતે પણ જાહેરાત કરી છે બ્રહ્મપુત્રા નદી પર અરૂણાચલમાં બહુઉદ્દેશીય બંધ બાંધવામાં આવશે.

બ્રહ્મપુત્રા નદી તિબેટમાંથી શરૂ થાય છે અને અરૂણાચલ, આસામમાંથી પસાર થયા પછી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. ભારતે ચીનને જણાવ્યું છે કે તેણે ડેમની યોજના એવી રીતે કરવી જોઈએ, જેથી ભારતને નુકસાન ના થાય.

ચીને ઉપરથી ઉપરથી તેના માટે ખાતરી આપી છે. પરંતુ ચીને હંમેશા બોલ્યું પાળ્યું નથી અને વાત કંઈ કરે અને વર્તન જૂદું કરે તેવું જોવા મળ્યું છે. ચીનની યોજના નદીઓ પર બંધ બાંધીને જળવિદ્યુત, સિંચાઈ કરવા ઉપરાંત પડોસી દેશોને ધમકાવાનું રાજકીય દબાણ પણ અપનાવ્યું છે.

ભારત, બાંગ્લાદેશ અને અગ્નિ એશિયાના પડોશી દેશોને જાણ કર્યા વિના ચીને તિબેટમાંથી વહેતી નદીઓ પર 11 બંધો બાંધી લીધા છે. મેકોંગ નદી પર 8 ડેમ બાંધ્યા છે અને વધુ 3 બંધોની તૈયારી ચાલી રહી છે. તે રીતે ચીને પોતાની મેલી મુરાદ દાખવી છે. અત્યારે ચીન ભારતની સરહદથી માત્ર 30 કિમી દૂર જ જંગી બંધ બાંધવાની તૈયારી કરી દીધી છે.

ચીનનું જળ આક્રમણ

ચીને અત્યાર સુધીમાં તિબેટમાં 55 બંધો બાંધ્યા છે. તે જળ સ્રોતનો ઉપયોગ યુદ્ધના સાધન તરીકે કરી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી પર બંધના કારણે ભારત અને બાંગ્લાદેશને નુકસાન થશે, જ્યારે મેકોંગ નદીના જળને અટકાવીને ચીને મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કંબોડિયા અને વિયેટનામને નુકસાન કર્યું છે. પોતાની જરૂરિયાતો માટે પડોશી દેશોને નુકસાન કરવાની નીતિ ચીને અપનાવી છે.

ચીનના મોટા ભાગના રાજ્યોમાં જળ સ્રોતની તંગી ઊભી થયેલી છે. પીવાના પાણી માટે અને સિંચાઇ ઉપરાંત ઉદ્યોગો માટે પણ પાણીની માગ વધી રહી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને યારલંગ-સાંગ્પો નદી પર વિશાળ બંધ બાંધવાનું શરૂ કર્યું છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં સાંગ્પો તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશાળ જળજથ્થાનો ઉપયોગ ચીન જળ વિદ્યુત અને સિંચાઈ માટે કરવા માગે છે.

ભારતમાં પણ જળ સ્રોતોની વધારે નવે વધારે જરૂર ઊભી થઈ રહી છે. દુનિયાની ત્રીજા ભાગની વસતિ ચીન અને ભારતમાં વસે છે. તેની સામે વિશ્વના કુલ જળ સ્રોતનો 7 ટકા હિસ્સો ચીન પાસે છે. ભારત પાસે માત્ર 4 ટકા જ છે.

બ્રહ્મપુત્રા ઉપરાંત પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાંથી પસાર થતી સિંધુ નદી પર ચીન બંધો બાંધી રહ્યું છે. તેના કારણે ઉનાળામાં બરફ ઓગળવાથી આવતું પાણી આવતું ઓછું થઈ શકે છે. બીજી બાજુ ભારે વરસાદ વખતે બંધોના દરવાજા ખોલી નખાય ત્યારે ભારતીય વિસ્તારોમાં ભારે પૂર આવવાનું જોખમ પણ રહે છે. ખાસ કરીને આસામ અને અરૂણાચર પ્રદેશમાં આમ પણ બે કાંઠે વહેતી બ્રહ્મપુત્રામાં એક સાથે પાણી છોડવામાં આવે ત્યારે ભારે નુકસાન થઈ શકે છે.

અગાઉ ચીને ખાતરી આપી હતી કે જૂન અને ઑક્ટોબરના મહિનાઓ દરમિયાન પાણી છોડવામાં આવે ત્યારે આગોતરી માહિતી આપવામાં આવશે. આમ છતાં 2017માં દોકલામમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું તે પછી ચીને આવી આગોતરી માહિતી આપવાનું બંધ કરી દીધું છે. આ પછી 2018માં ફરી માહિતી આપવાનું ચાલુ કર્યું હતું, પરંતુ ચીન ક્યારે રંગ દેખાડે અને માહિતી આપવાનું બંધ કરી દે તેનો ભરોસો નથી.

આ જોખમને ધ્યાનમાં રાખીને જ ભારતે પણ અરૂણાચલ પ્રદેશમાં 10,000 MWનો જંગી જળવિદ્યુત પ્રોજેક્ટ કરવાનું વિચાર્યું છે. બ્રહ્મપુત્રાના ધસમસતા જળને કાબૂમાં રાખવા માટે આ વિશાળ ડેમ બાંધવામાં આવશે. ચીને તિબેટનો કબજો કર્યો ત્યારથી જ તેના જળસ્રોતનો પોતાને ફાવે તે રીતે ઉપયોગ કરવાની નીતિ અપનાવી છે.

તે તિબેટની નદીઓના પાણીના પ્રવાહને વાળીને ઉત્તર ચીનમાં સૂકા પ્રદેશો તરફ પાણી પહોંચાડી રહ્યું છે. ચીન હજારો કિમી લાંબી ટનલ બનાવીને બ્રહ્મપુત્રાના જળ શિન્જિયાંગ પ્રાંતમાં પહોંચાડવા માગે છે.

2016ના અંદાજ પ્રમાણે નદીઓ પર વિશ્વમાં 87,000 બંધો બનેલા છે. ચીન ધૂમાડા કાઢતા બળતણની જગ્યાએ જળ વિદ્યુત વધારવા માગે છે એટલે આગામી વર્ષોમાં વધુ બંધો બનશે. ચીન સોલાર ઉપરાંત જળ વિદ્યુત પર આધાર રાખવા માગે છે, પણ તેના કારણે તેના પડોશી દેશોને ભોગવવું પડશે.

ગયા વર્ષે મેકોંગ નદીનો જળ પ્રવાહ ઘટી ગયો ત્યારે ચીને એવું બહાનું કાઢ્યું હતું કે આ વર્ષે પૂરતો વરસાદ થયો નથી. પરંતુ તે વખતે મેકોંગ નદી પરના ચીનના બંધો પાણીથી છલકાયેલા હતા.

ચીને આ બંધોમાંથી સમયસર પાણી છોડ્યું નહિ, તેના કારણે થાઇલેન્ડમાં શેરડીનું ઉત્પાદન ઘટી ગયું. થાઇલેન્ડ માટે મેકોંગનું જળ જરૂરી છે, પરંતુ પાણી ના મળતા છેલ્લા 9 વર્ષમાં સૌથી ઓછી શેરડી પાકી હતી. ઘટેલા જળ સ્રોતના કારણે વિયેટનામમા ડાંગરનું ઉત્પાદન ઘટી ગયું છે. લાઓસ અને કંબોડિયા પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે.

ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશાળ બંધ બાંધીને જોખમ ઊભું કરે તેની સામે ભારતે આસામ અને અરૂણાચલના બચાવ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે. ભારતે આ મુદ્દે બીજા દેશો સાથે મળીને ચીન પર દબાણ લાવવું જોઈએ.

જળ સ્રોતનો ભંડાર તિબેટ

આર્કટિક અને એન્ટાર્કટિકા પછી તિબેટના ઉચ્ચ પ્રદેશોમાં વિશ્વના સૌથી વધુ ગ્લેસિયર્સ આવેલા છે. તેના કારણે તેને ત્રીજો ધ્રૂવ પણ કહેવામાં આવે છે. સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા, મેકોંગ, ઇરાવતી, યાંગત્સે, અને પીળી નદી બધી જ તિબેટન પઠારમાં આવેલા 46,000 જેટલા ગ્લેસિયરમાંથી, બરફીલા પહાડોમાંથી નીકળે છે. આ બારે માસ વહેતી નદીઓ છે અને સમગ્ર એશિયા માટે જીવાદોરી સમાન છે.

બ્રહ્મપુત્રા અને સિંધુ બંને તિબેટમાંથી નીકળે છે અને હજારો કિમીનો પ્રવાસ કરીને દરિયાને મળે છે. સમગ્ર ઉત્તર અને ઇશાન ભારતમાં તેના આધારે કેતી થાય છે. તિબેટમાંથી ઉદભવતી મોટી 10 નદીઓ પર જ દક્ષિણ અને અગ્નિ એશિયાની પ્રજાનો આધાર છે.

તિબેટ પર કબજો જમાવ્યો ત્યારથી જ ચીને આ જળ સ્રોતનો લાભ ઉઠાવ્યો છે અને પડોશી દેશોની સામે જળ સ્રોતનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. બીજી બાજુ વધતા તાપમાનને કારણે ગ્લેસિયર ઝડપથી ઓગળી રહ્યા છે. તેના કારણે તિબેટમાંથી વહેતી નદીઓના જળસ્તરમાં વધારો થતો રહેશે તેવી આગાહી પણ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. 2050 સુધી ઓગળતા બરફના કારણે ભારે જળ પ્રવાહ આવતો રહેશે, પણ તે પછી બરફ ખૂટી પડતા જળની તંગી ઊભી થઈ શકે છે.

વિજ્ઞાનીઓનો અંદાજ છે કે 2100 સુધીમાં તિબેટના ગ્લેસિયર ઓગળી ગયા હશે. 1050ના દાયકાથી તિબેટના ગ્લેસિયર દર વર્ષે 247 ચોરસ કિલોમિટર જેટલા ઓગળતા રહ્યા છે. તેના કારણે એશિયાની પ્રજાની માથે જળ અને અનાજનું સંકટ તોળાઈ રહ્યું છે.

ઓગળી રહેલા ગ્લેસિયર અને પર્યાવરણીય સંતુલનમાં થઈ રહેલા ફેરફારોને કારણે તિબેટમાં પૂર, જમીન ધસી પડવી અને કાંપનો ભરાવો થવો વગેરે જેવી સમસ્યા વધવા લાગી છે. આ બધાના દુષ્પરિણામો માત્ર તિબેટે નહિ, પણ ભારત સહિયના અગ્નિ એશિયાના દેશોએ પણ ભોગવવા પડશે.

ન્યુઝ ડેસ્કઃ પડોશી દેશોને પરેશાન કરવા માટે ચીન એકથી વધુ જળ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. તેના કારણે અગ્નિ એશિયાના દેશોમાં સિંચાઈની સમસ્યાઓ ઊભી થઈ છે. તે પછી ચીન હવે ભારતનો જળ સ્ત્રોત ઘટે તેવી વિશાળ કાય બંધોની યોજના ચીને શરૂ કરી છે.

બ્રહ્મપુત્રા નદી પર ચીન જંગી જળવિદ્યુત પરિયોજના તૈયાર કરી રહ્યું છે, જેના કારણે ભારત અને બાંગ્લાદેશ બંને મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ચીન દ્વારા ડેમ તૈયાર થવાના કારણે થનારા નુકસાનનો સામનો કરવા ભારત તૈયારીમાં લાગ્યું છે. ભારતે પણ જાહેરાત કરી છે બ્રહ્મપુત્રા નદી પર અરૂણાચલમાં બહુઉદ્દેશીય બંધ બાંધવામાં આવશે.

બ્રહ્મપુત્રા નદી તિબેટમાંથી શરૂ થાય છે અને અરૂણાચલ, આસામમાંથી પસાર થયા પછી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. ભારતે ચીનને જણાવ્યું છે કે તેણે ડેમની યોજના એવી રીતે કરવી જોઈએ, જેથી ભારતને નુકસાન ના થાય.

ચીને ઉપરથી ઉપરથી તેના માટે ખાતરી આપી છે. પરંતુ ચીને હંમેશા બોલ્યું પાળ્યું નથી અને વાત કંઈ કરે અને વર્તન જૂદું કરે તેવું જોવા મળ્યું છે. ચીનની યોજના નદીઓ પર બંધ બાંધીને જળવિદ્યુત, સિંચાઈ કરવા ઉપરાંત પડોસી દેશોને ધમકાવાનું રાજકીય દબાણ પણ અપનાવ્યું છે.

ભારત, બાંગ્લાદેશ અને અગ્નિ એશિયાના પડોશી દેશોને જાણ કર્યા વિના ચીને તિબેટમાંથી વહેતી નદીઓ પર 11 બંધો બાંધી લીધા છે. મેકોંગ નદી પર 8 ડેમ બાંધ્યા છે અને વધુ 3 બંધોની તૈયારી ચાલી રહી છે. તે રીતે ચીને પોતાની મેલી મુરાદ દાખવી છે. અત્યારે ચીન ભારતની સરહદથી માત્ર 30 કિમી દૂર જ જંગી બંધ બાંધવાની તૈયારી કરી દીધી છે.

ચીનનું જળ આક્રમણ

ચીને અત્યાર સુધીમાં તિબેટમાં 55 બંધો બાંધ્યા છે. તે જળ સ્રોતનો ઉપયોગ યુદ્ધના સાધન તરીકે કરી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી પર બંધના કારણે ભારત અને બાંગ્લાદેશને નુકસાન થશે, જ્યારે મેકોંગ નદીના જળને અટકાવીને ચીને મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કંબોડિયા અને વિયેટનામને નુકસાન કર્યું છે. પોતાની જરૂરિયાતો માટે પડોશી દેશોને નુકસાન કરવાની નીતિ ચીને અપનાવી છે.

ચીનના મોટા ભાગના રાજ્યોમાં જળ સ્રોતની તંગી ઊભી થયેલી છે. પીવાના પાણી માટે અને સિંચાઇ ઉપરાંત ઉદ્યોગો માટે પણ પાણીની માગ વધી રહી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને યારલંગ-સાંગ્પો નદી પર વિશાળ બંધ બાંધવાનું શરૂ કર્યું છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં સાંગ્પો તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશાળ જળજથ્થાનો ઉપયોગ ચીન જળ વિદ્યુત અને સિંચાઈ માટે કરવા માગે છે.

ભારતમાં પણ જળ સ્રોતોની વધારે નવે વધારે જરૂર ઊભી થઈ રહી છે. દુનિયાની ત્રીજા ભાગની વસતિ ચીન અને ભારતમાં વસે છે. તેની સામે વિશ્વના કુલ જળ સ્રોતનો 7 ટકા હિસ્સો ચીન પાસે છે. ભારત પાસે માત્ર 4 ટકા જ છે.

બ્રહ્મપુત્રા ઉપરાંત પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાંથી પસાર થતી સિંધુ નદી પર ચીન બંધો બાંધી રહ્યું છે. તેના કારણે ઉનાળામાં બરફ ઓગળવાથી આવતું પાણી આવતું ઓછું થઈ શકે છે. બીજી બાજુ ભારે વરસાદ વખતે બંધોના દરવાજા ખોલી નખાય ત્યારે ભારતીય વિસ્તારોમાં ભારે પૂર આવવાનું જોખમ પણ રહે છે. ખાસ કરીને આસામ અને અરૂણાચર પ્રદેશમાં આમ પણ બે કાંઠે વહેતી બ્રહ્મપુત્રામાં એક સાથે પાણી છોડવામાં આવે ત્યારે ભારે નુકસાન થઈ શકે છે.

અગાઉ ચીને ખાતરી આપી હતી કે જૂન અને ઑક્ટોબરના મહિનાઓ દરમિયાન પાણી છોડવામાં આવે ત્યારે આગોતરી માહિતી આપવામાં આવશે. આમ છતાં 2017માં દોકલામમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું તે પછી ચીને આવી આગોતરી માહિતી આપવાનું બંધ કરી દીધું છે. આ પછી 2018માં ફરી માહિતી આપવાનું ચાલુ કર્યું હતું, પરંતુ ચીન ક્યારે રંગ દેખાડે અને માહિતી આપવાનું બંધ કરી દે તેનો ભરોસો નથી.

આ જોખમને ધ્યાનમાં રાખીને જ ભારતે પણ અરૂણાચલ પ્રદેશમાં 10,000 MWનો જંગી જળવિદ્યુત પ્રોજેક્ટ કરવાનું વિચાર્યું છે. બ્રહ્મપુત્રાના ધસમસતા જળને કાબૂમાં રાખવા માટે આ વિશાળ ડેમ બાંધવામાં આવશે. ચીને તિબેટનો કબજો કર્યો ત્યારથી જ તેના જળસ્રોતનો પોતાને ફાવે તે રીતે ઉપયોગ કરવાની નીતિ અપનાવી છે.

તે તિબેટની નદીઓના પાણીના પ્રવાહને વાળીને ઉત્તર ચીનમાં સૂકા પ્રદેશો તરફ પાણી પહોંચાડી રહ્યું છે. ચીન હજારો કિમી લાંબી ટનલ બનાવીને બ્રહ્મપુત્રાના જળ શિન્જિયાંગ પ્રાંતમાં પહોંચાડવા માગે છે.

2016ના અંદાજ પ્રમાણે નદીઓ પર વિશ્વમાં 87,000 બંધો બનેલા છે. ચીન ધૂમાડા કાઢતા બળતણની જગ્યાએ જળ વિદ્યુત વધારવા માગે છે એટલે આગામી વર્ષોમાં વધુ બંધો બનશે. ચીન સોલાર ઉપરાંત જળ વિદ્યુત પર આધાર રાખવા માગે છે, પણ તેના કારણે તેના પડોશી દેશોને ભોગવવું પડશે.

ગયા વર્ષે મેકોંગ નદીનો જળ પ્રવાહ ઘટી ગયો ત્યારે ચીને એવું બહાનું કાઢ્યું હતું કે આ વર્ષે પૂરતો વરસાદ થયો નથી. પરંતુ તે વખતે મેકોંગ નદી પરના ચીનના બંધો પાણીથી છલકાયેલા હતા.

ચીને આ બંધોમાંથી સમયસર પાણી છોડ્યું નહિ, તેના કારણે થાઇલેન્ડમાં શેરડીનું ઉત્પાદન ઘટી ગયું. થાઇલેન્ડ માટે મેકોંગનું જળ જરૂરી છે, પરંતુ પાણી ના મળતા છેલ્લા 9 વર્ષમાં સૌથી ઓછી શેરડી પાકી હતી. ઘટેલા જળ સ્રોતના કારણે વિયેટનામમા ડાંગરનું ઉત્પાદન ઘટી ગયું છે. લાઓસ અને કંબોડિયા પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે.

ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશાળ બંધ બાંધીને જોખમ ઊભું કરે તેની સામે ભારતે આસામ અને અરૂણાચલના બચાવ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે. ભારતે આ મુદ્દે બીજા દેશો સાથે મળીને ચીન પર દબાણ લાવવું જોઈએ.

જળ સ્રોતનો ભંડાર તિબેટ

આર્કટિક અને એન્ટાર્કટિકા પછી તિબેટના ઉચ્ચ પ્રદેશોમાં વિશ્વના સૌથી વધુ ગ્લેસિયર્સ આવેલા છે. તેના કારણે તેને ત્રીજો ધ્રૂવ પણ કહેવામાં આવે છે. સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા, મેકોંગ, ઇરાવતી, યાંગત્સે, અને પીળી નદી બધી જ તિબેટન પઠારમાં આવેલા 46,000 જેટલા ગ્લેસિયરમાંથી, બરફીલા પહાડોમાંથી નીકળે છે. આ બારે માસ વહેતી નદીઓ છે અને સમગ્ર એશિયા માટે જીવાદોરી સમાન છે.

બ્રહ્મપુત્રા અને સિંધુ બંને તિબેટમાંથી નીકળે છે અને હજારો કિમીનો પ્રવાસ કરીને દરિયાને મળે છે. સમગ્ર ઉત્તર અને ઇશાન ભારતમાં તેના આધારે કેતી થાય છે. તિબેટમાંથી ઉદભવતી મોટી 10 નદીઓ પર જ દક્ષિણ અને અગ્નિ એશિયાની પ્રજાનો આધાર છે.

તિબેટ પર કબજો જમાવ્યો ત્યારથી જ ચીને આ જળ સ્રોતનો લાભ ઉઠાવ્યો છે અને પડોશી દેશોની સામે જળ સ્રોતનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. બીજી બાજુ વધતા તાપમાનને કારણે ગ્લેસિયર ઝડપથી ઓગળી રહ્યા છે. તેના કારણે તિબેટમાંથી વહેતી નદીઓના જળસ્તરમાં વધારો થતો રહેશે તેવી આગાહી પણ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. 2050 સુધી ઓગળતા બરફના કારણે ભારે જળ પ્રવાહ આવતો રહેશે, પણ તે પછી બરફ ખૂટી પડતા જળની તંગી ઊભી થઈ શકે છે.

વિજ્ઞાનીઓનો અંદાજ છે કે 2100 સુધીમાં તિબેટના ગ્લેસિયર ઓગળી ગયા હશે. 1050ના દાયકાથી તિબેટના ગ્લેસિયર દર વર્ષે 247 ચોરસ કિલોમિટર જેટલા ઓગળતા રહ્યા છે. તેના કારણે એશિયાની પ્રજાની માથે જળ અને અનાજનું સંકટ તોળાઈ રહ્યું છે.

ઓગળી રહેલા ગ્લેસિયર અને પર્યાવરણીય સંતુલનમાં થઈ રહેલા ફેરફારોને કારણે તિબેટમાં પૂર, જમીન ધસી પડવી અને કાંપનો ભરાવો થવો વગેરે જેવી સમસ્યા વધવા લાગી છે. આ બધાના દુષ્પરિણામો માત્ર તિબેટે નહિ, પણ ભારત સહિયના અગ્નિ એશિયાના દેશોએ પણ ભોગવવા પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.