નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય કુલદીપ કુમારની મોટી બેદરકારી સામે આવી છે. કુલદીપ કુમારે 29 સપ્ટેમ્બરના રોજ ટ્વીટ કરીને પોતાને કોરોના પોઝિટિવ ગણાવ્યા હતા, પરંતુ તે પછી 4 ઓક્ટોબરે તે હાથરસ પીડિત પરિવારના સભ્યોને મળવા ગયા હતા.
તેના બે ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેણે પોતે જ કહ્યું છે કે તે કોરોના પોઝિટિવ થયા છે. તે જ સમયે, આ પછી, 5 ઓક્ટોબરના રોજ વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે તે હાથરસ પીડિતના પરિવારને મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં આપના ધારાસભ્ય વિરુદ્ધ મહામારી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તેમના બંને ટ્વીટ્સને જોતા ઘણી બેદરકારી જોવા મળી રહી છે. આપના ધારાસભ્યએ 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 2.24 કલાકે પહેલું ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં તેણે લખ્યું છે કે તેમને હળવો તાવ હતો, જેના પછી તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પરીક્ષણ સકારાત્મક છે. તેણે લખ્યું હતું કે તે ઘરેજ આસોલેટ થશે.
આ બાદ કુલદીપ કુમારે 4 ઓક્ટોબરે બીજુ ટ્વીટ કર્યો જેમાં તેણે લખ્યું છે કે તે હાથરસ પીડિત પરિવારને મળવા તેના ગામ ગયા હતા. હવે સવાલ છે કે જ્યારે ધારાસભ્ય કોરોના પોઝિટિવ હોવા છતા તે પરિવારના સભ્યોને મળવા કેમ ગયા?