ETV Bharat / bharat

ભારત-ચીન તણાવ અંગે રાહુલે પૂછ્યું- શું સરકાર ચીની સૈન્યના પ્રવેશની પુષ્ટિ કરી શકે છે?

author img

By

Published : Jun 3, 2020, 3:18 PM IST

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘૂસણખોરી સંબંધિત અહેવાલોની પૃષ્ઠભૂમિમાં સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'શું ભારત સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?'

ભારત-ચીન તણાવ અંગે રાહુલે પૂછ્યું- શું સરકાર ચીની સૈન્યના પ્રવેશની પુષ્ટિ કરી શકે છે?
ભારત-ચીન તણાવ અંગે રાહુલે પૂછ્યું- શું સરકાર ચીની સૈન્યના પ્રવેશની પુષ્ટિ કરી શકે છે?

નવી દિલ્હી: લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘૂસણખોરી સંબંધિત અહેવાલોની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, "શું સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?"

તેમણે એક સમાચારનો હવાલો આપીને ટ્વિટ કર્યું, 'શું ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?'

નોંધપાત્ર વાત એ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે LOC પર લગભગ એક મહિનાથી ચાલી રહેલી ગતિવિધિઓના સંદર્ભમાં કહ્યું કે, પૂર્વ લદ્દાખમાં ચીની સૈનિકો 'નોંધપાત્ર સંખ્યામાં' આવી ગયા છે અને ભારતે પણ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. સિંહે કહ્યું કે, ભારત અને ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચે 6 જૂને બેઠક થવાની છે.

આ સાથે, તેમણે ખાતરી આપી હતી કે ભારત આ સ્થિતિમાં હાર નહીં માને.

નવી દિલ્હી: લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘૂસણખોરી સંબંધિત અહેવાલોની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, "શું સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?"

તેમણે એક સમાચારનો હવાલો આપીને ટ્વિટ કર્યું, 'શું ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?'

નોંધપાત્ર વાત એ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે LOC પર લગભગ એક મહિનાથી ચાલી રહેલી ગતિવિધિઓના સંદર્ભમાં કહ્યું કે, પૂર્વ લદ્દાખમાં ચીની સૈનિકો 'નોંધપાત્ર સંખ્યામાં' આવી ગયા છે અને ભારતે પણ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. સિંહે કહ્યું કે, ભારત અને ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચે 6 જૂને બેઠક થવાની છે.

આ સાથે, તેમણે ખાતરી આપી હતી કે ભારત આ સ્થિતિમાં હાર નહીં માને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.