ETV Bharat / bharat

સોમવારનો દિવસ આપના માટે કેવો રહેશે.? જાણો આજનું રાશિફળ

author img

By

Published : Aug 10, 2020, 7:32 AM IST

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર આપના માટે કેવો રહેશે તેમજ આપની સાથે શું શું શુભ થશે તે જાણવા વાંચો રાશિફળ.

Rashifal
Rashifal

મીનઃ આજનો દિવસ આર્થિક આયોજનો માટે ઘણો સારો છે. આપે જે કામ પૂરા કરવાનું નક્કી કર્યુ હશે તે કરી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપની શારિરીક માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, તમે તમારા પરિવારજનોના સંસ્કારોથી ઘણા પ્રેરિત છો અને તેમના સંસ્કાર તમારામાં સ્પષ્ટ દેખાઇ આવે છે. આજે એ જ સંસ્કાર માતાજીની પૂજામાં જોવા મળશે. તમે સૌને સાથે રાખશો અને માતાજીની પૂજા કરવા માટે તેમને પ્રેરિત કરશો જેથી તેમના જીવનમાં પણ ખુશીઓ આવે અને પરિવારમાં એકંદરે ખુશીનો માહોલ જળવાઇ રહે. ઉપાય- તમારે સફેદ અને પીળા રંગના ફુલોથી માતાજીની પૂજા કરવી જોઈએ.

મેષઃ આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ સંપૂર્ણ આસ્થાપૂર્વક માતાજીની પૂજા કરશો અને આજનો દિવસ આપના માટે યાદગાર બની જશે. તમને પોતાના કાર્યોમાં સફળતા મળે તે માટે માતાજીને તમે પ્રાર્થના કરશો અને તમારા દરેક પ્રકારના સમયમાં આશીર્વાદ મળે તેવી મનોકામના રાખશો. તમારાથી કોઈ ભૂલ થઇ હોય તો ફરી તેનું પુનરાવર્તન ના થાય તેવી પણ આપ ઇચ્છા વ્યક્ત કરશો. ઉપાય- સંપૂર્ણ વિધિ-વિધાન સાથે શીતળા માતાની પૂજા કરો અને તેમન પીળા રંગના ફુલ ચડાવો.

વૃષભઃ આજે આપનું મન અનેક પ્રકારના વિચારોથી ઘેરાયેલું રહેશે. તંદુરસ્‍તીમાં થોડી સુસ્તિ કે આળસ વર્તાય અને ખાસ કરીને આંખની બાબતમાં સંભાળવું. ઘરમાં પરિવારજનો અને સ્‍નેહીજનો તરફથી આપને અપેક્ષા પ્રમાણે સહકાર ના મળે તો નિરાશ થવું નહીં. ખર્ચનું પ્રમાણ વધશે. શરૂ કરેલા કાર્યો પાર પાડવા માટે વધુ મહેનતની તૈયારી રાખવી. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ સતત વધી રહેલા ખર્ચાના કારણે થોડા ચિંતામાં રહેશો. જોકે, તમારે અત્યારે કોઇપણ ખોટી પળોજણોમાં પડ્યા વગર મન એકાગ્ર કરીને માતાજીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આપની બધી સમસ્યાઓ ઉકેલાઇ જશે. ઉપાય- તમારે સફેદ રંગના ફુલોથી માતાની પૂજા કરવી જોઈએ.

મિથુનઃ આજનો દિવસ આપના માટે તમામ રીતે લાભદાયી નીવડશે. અવિવાહિત વ્‍યક્તિઓને યોગ્‍ય જીવનસાથી મળી જાય. ધન પ્રાપ્તિ માટે શુભદિવસ છે. મિત્રો સાથે આનંદપ્રદ મુલાકાત થાય અને તેમના થકી લાભ મળે. સુરૂચિપૂર્ણ ભોજન અને પત્‍ની તથા પુત્ર તરફથી લાભ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય. આવકમાં વધારો થાય. દાંપત્‍યજીવન સુખમય રહે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ ઘણા ખુશ દેખાશો અને આપની કોઇ જુની ઇચ્છા પણ પૂરી થશે જેથી આપ ખુશીઓના સાગરમાં ડુબકી લગાવતા હોવ તેવો અહેસાસ થશે. માતાજીની પૂજા કરવાનું ચુકતા નહીં કારણ કે આપની ખુશીઓ માતાજીની કૃપાનું જ પરિણામ છે. આપ તેમના કૃતજ્ઞ રહેશો. ઉપાય- આજે તમારે શીતળામાતાની તેમજ ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ.

કર્કઃ આપનું દરેક કાર્ય વિના અવરોધે સરળતાથી પાર પડશે. કામમાં અનુકૂળતા સર્જાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્‍વની ચર્ચા- વિચારણા થાય. પરિવારના સભ્‍યો સાથે નિખાલસ મને ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરશો. ઘરને નવી સજાવટથી શણગારશો. નોકરી વ્‍યવસાય અર્થે પ્રવાસે જવાનું થાય. માતા સાથે સારા સંબંધો રહે. સરકારી કાર્યોમાં લાભ મળવાની શક્યતા છે. આરોગ્‍ય સારું રહેશે.‍ શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ કામકાજમાં ઘણા વ્યસ્ત રહેશો પરંતુ કામની વચ્ચે વચ્ચે પણ સમય કાઢીને પરિવારને સમય આપી શકશો અને પરિવારજનો સાથે મળીને સંપૂર્ણ ભક્તિભાવ સાથે માતાજીની પૂજા-અર્ચના કરી શકશો. આસ્થાપૂર્વક પૂજા કરવાથી આપના પર માતાજીની કૃપા રહેશે. ઉપાય- આજે આપ શીતળામાતાની પૂજા કરો અને મીઠા પુડલાનો પ્રસાદ ધરાવો તેમજ બજરંગબલીની પણ પૂજા કરો.

સિંહઃ સારા- મીઠાં અનુભવો ધરાવતો મિશ્ર ફળદાયી દિવસ છે. નિર્ધારિત કાર્ય કરવાની પ્રેરણા સાથે એ દિશામાં પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ તટસ્‍થ રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં ઉપસ્‍િથત રહેશો. દેવસ્થાનની મુલાકાતના સંજોગો ઊભા થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધશે. વિદેશથી મિત્રો કે સ્‍વજનોના સમાચાર મળે. માનસિક અસ્‍વસ્‍થતા અને સંતાનોની ચિંતાથી વ્‍યગ્રતા અનુભવો. વ્‍યવસાયમાં સમસ્‍યા સર્જાય. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપનામાં ધાર્મિકવૃત્તિ વધુ રહેશે. ખૂબ જ એકચિત્ત થઇને પૂજા-પાઠ કરી શકશો. કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પણ આપને ઇચ્છા થશે. માનસિક શાંતિની પ્રાપ્તિ થશે અને આપ ધાર્મિક બાબતોનું આચરણ કરીને પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવી શકશો. ઉપાય- તમારે આજે મંદિરમાં ભગવાનને ચાર કેળાનો પ્રસાદ આસ્થાપૂર્વક અર્પણ કરવો જોઈએ.

કન્યાઃ આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજના દિવસે આપે થોડું ધ્યાન રાખવાનું છે. કોઇપણ બાબતે તમે નિરાશાની જાળમાં ફસાતા નહીં. એટલું યાદ રાખજો કે, માતાજીની પૂજા કરવાથી તમારા તમામ વિઘ્નો ઉકેલાઇ જશે. આથી સંપૂર્ણ આસ્થાપૂર્વક માતાજીની પૂજા કરો. તેનાથી તમારો માનસિક તણાવ દૂર થશે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે. ઉપાય- આપ માતાજીની પૂજા ઉપરાંત શ્રી રાધા-કૃષ્ણની પણ પૂજા કરો અને તેમને ફુલોની સુંદર માળા ચડાવો.

તુલાઃ રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ નાટક કે ફિલ્મ માણો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આપ પરિવાર સાથે ઘણો સારો સમય વિતાવી શકશો. વેપારમાં તમારા પાર્ટનર સમક્ષ દિલની વાત શેર કરશો અને તમારા જીવનસાથીને સંપૂર્ણ સન્માન આપશો. આપની વચ્ચે એકબીજા પ્રત્યે પારસ્પરિક પ્રેમ અને આદરભાવ વધશે તેમજ સૌ સાથે મળીને માતાજીની પૂજા કરી શકશો. ખાસ કરીને તમારા જીવનસાથી તમને વિશેષ આગ્રહ કરીને પૂજા કરાવશે અને તેનાથી તમને મનોમન ઘણી ખુશી થશે. ઉપાય- તમારે આજે ગુલાબી ફુલથી માતાજીની પૂજા કરવી જોઈએ.

વૃશ્ચિકઃ પારિવારિક સુખ શાંતિને કારણે આપને શારિરીક માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. નક્કી કરેલા કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે. આપના વિરોધીઓ અને શત્રુઓની ચાલ સફળ નહી થઇ શકે. આપને આર્થિક લાભ થશે. મોસાળપક્ષથી પણ લાભ થઇ શકે. આપ જરૂર જણાય ત્યાં ખર્ચ કરશો. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ પૂજા-પાઠ કરવાની રીતભાતમાં થોડું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો. તમને એવો પણ વિચાર આવશે કે ક્યાંક તમારાથી કોઇ ભૂલ તો નથી થઇ ને. તે ભૂલ દૂર કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે તમે બહુ ચિવટતાથી પૂજા-અર્ચના કરશો અને માતાજીની આરતી કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીર્ઘાયુ માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમને અરજ કરશો. ઉપાય- આજે તમારે લાલ રંગના ફુલોથી માતાજીની પૂજા કરવી જોઈએ.

ધનઃ આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટને લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજનને મળીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આપને જાણે માતાજી પ્રત્યક્ષ સામે હોય તેવું મનોમન લાગશે. આપ માતાજીના મંદિરે જઇને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અને મન લગાવીને માતાજીની ઉપાસના કરશો. તેમને સફેદ અને લાલ ફુલોનો હાર પહેરાવવાની સલાહ છે. તમે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે માતાજીની પૂજા કરશો જેથી તમને માનસિક શાંતિ મળશે અને પરિવારમાં પણ સુખ પ્રાપ્ત થશે. ઉપાય- પીળા ફુલોથી માતાજીની પૂજા કરવાથી ઘણો ફાયદો થશે.

મકરઃ આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવશો. પરિવારજનો સાથે મળીને કોઇ બાબતે વિચારવિમર્શ કરશો અને કેટલીક જરૂરી યોજનાઓ ઘડશો. સાથે જ, પરિવાર સાથે મળીને આપ ઉત્સાહપૂર્વક માતાજીની પૂજા કરશો અને તેનાથી તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. ઉપાય- આજે તમે ઘરનાં બારણે આંબા અને આસોપાલવનાં પાનનું તોરણ બાંધો અને માતાજીની પૂજા કરશો તો ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.

કુંભઃ આજે આપને માનસિક રાહત જણાશે તેમ જણાઈ રહ્યું છે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહેતા આપનો ઉત્સાહ વધશે. સહોદરો અને પાડોશીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. ઘરમાં સંબંધીઓ અને મિત્રો આવવાથી ખુશી અનુભવશો. આપ પ્રિયજનને મળી શકશો અને વધુ ભાગ્યશાળી બનશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજના દિવસમાં તમે તમારા મિત્રોને શીતળામાતાની પૂજા-અર્ચનાનું મહત્ત્વ સમજાવશો કારણ કે તમે માતાજીના પ્રભાવ વિશે સારી રીતે જાણો છો અને માટે તેમને પણ તમે માતાજીની પૂજા કરવા માટે કહેશો. માતાજીની પૂજા કરવાથી તમારામાં સાહસવૃત્તિ વધશે અને જીવનમાં પ્રગતિ કરી શકશો. ઉપાય- તમારે માતાજીના મંદિરે જઇને વિધિવત્ તેમની પૂજા કરવી જોઈએ.

મીનઃ આજનો દિવસ આર્થિક આયોજનો માટે ઘણો સારો છે. આપે જે કામ પૂરા કરવાનું નક્કી કર્યુ હશે તે કરી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપની શારિરીક માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, તમે તમારા પરિવારજનોના સંસ્કારોથી ઘણા પ્રેરિત છો અને તેમના સંસ્કાર તમારામાં સ્પષ્ટ દેખાઇ આવે છે. આજે એ જ સંસ્કાર માતાજીની પૂજામાં જોવા મળશે. તમે સૌને સાથે રાખશો અને માતાજીની પૂજા કરવા માટે તેમને પ્રેરિત કરશો જેથી તેમના જીવનમાં પણ ખુશીઓ આવે અને પરિવારમાં એકંદરે ખુશીનો માહોલ જળવાઇ રહે. ઉપાય- તમારે સફેદ અને પીળા રંગના ફુલોથી માતાજીની પૂજા કરવી જોઈએ.

મેષઃ આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ સંપૂર્ણ આસ્થાપૂર્વક માતાજીની પૂજા કરશો અને આજનો દિવસ આપના માટે યાદગાર બની જશે. તમને પોતાના કાર્યોમાં સફળતા મળે તે માટે માતાજીને તમે પ્રાર્થના કરશો અને તમારા દરેક પ્રકારના સમયમાં આશીર્વાદ મળે તેવી મનોકામના રાખશો. તમારાથી કોઈ ભૂલ થઇ હોય તો ફરી તેનું પુનરાવર્તન ના થાય તેવી પણ આપ ઇચ્છા વ્યક્ત કરશો. ઉપાય- સંપૂર્ણ વિધિ-વિધાન સાથે શીતળા માતાની પૂજા કરો અને તેમન પીળા રંગના ફુલ ચડાવો.

વૃષભઃ આજે આપનું મન અનેક પ્રકારના વિચારોથી ઘેરાયેલું રહેશે. તંદુરસ્‍તીમાં થોડી સુસ્તિ કે આળસ વર્તાય અને ખાસ કરીને આંખની બાબતમાં સંભાળવું. ઘરમાં પરિવારજનો અને સ્‍નેહીજનો તરફથી આપને અપેક્ષા પ્રમાણે સહકાર ના મળે તો નિરાશ થવું નહીં. ખર્ચનું પ્રમાણ વધશે. શરૂ કરેલા કાર્યો પાર પાડવા માટે વધુ મહેનતની તૈયારી રાખવી. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ સતત વધી રહેલા ખર્ચાના કારણે થોડા ચિંતામાં રહેશો. જોકે, તમારે અત્યારે કોઇપણ ખોટી પળોજણોમાં પડ્યા વગર મન એકાગ્ર કરીને માતાજીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આપની બધી સમસ્યાઓ ઉકેલાઇ જશે. ઉપાય- તમારે સફેદ રંગના ફુલોથી માતાની પૂજા કરવી જોઈએ.

મિથુનઃ આજનો દિવસ આપના માટે તમામ રીતે લાભદાયી નીવડશે. અવિવાહિત વ્‍યક્તિઓને યોગ્‍ય જીવનસાથી મળી જાય. ધન પ્રાપ્તિ માટે શુભદિવસ છે. મિત્રો સાથે આનંદપ્રદ મુલાકાત થાય અને તેમના થકી લાભ મળે. સુરૂચિપૂર્ણ ભોજન અને પત્‍ની તથા પુત્ર તરફથી લાભ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય. આવકમાં વધારો થાય. દાંપત્‍યજીવન સુખમય રહે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ ઘણા ખુશ દેખાશો અને આપની કોઇ જુની ઇચ્છા પણ પૂરી થશે જેથી આપ ખુશીઓના સાગરમાં ડુબકી લગાવતા હોવ તેવો અહેસાસ થશે. માતાજીની પૂજા કરવાનું ચુકતા નહીં કારણ કે આપની ખુશીઓ માતાજીની કૃપાનું જ પરિણામ છે. આપ તેમના કૃતજ્ઞ રહેશો. ઉપાય- આજે તમારે શીતળામાતાની તેમજ ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ.

કર્કઃ આપનું દરેક કાર્ય વિના અવરોધે સરળતાથી પાર પડશે. કામમાં અનુકૂળતા સર્જાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્‍વની ચર્ચા- વિચારણા થાય. પરિવારના સભ્‍યો સાથે નિખાલસ મને ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરશો. ઘરને નવી સજાવટથી શણગારશો. નોકરી વ્‍યવસાય અર્થે પ્રવાસે જવાનું થાય. માતા સાથે સારા સંબંધો રહે. સરકારી કાર્યોમાં લાભ મળવાની શક્યતા છે. આરોગ્‍ય સારું રહેશે.‍ શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ કામકાજમાં ઘણા વ્યસ્ત રહેશો પરંતુ કામની વચ્ચે વચ્ચે પણ સમય કાઢીને પરિવારને સમય આપી શકશો અને પરિવારજનો સાથે મળીને સંપૂર્ણ ભક્તિભાવ સાથે માતાજીની પૂજા-અર્ચના કરી શકશો. આસ્થાપૂર્વક પૂજા કરવાથી આપના પર માતાજીની કૃપા રહેશે. ઉપાય- આજે આપ શીતળામાતાની પૂજા કરો અને મીઠા પુડલાનો પ્રસાદ ધરાવો તેમજ બજરંગબલીની પણ પૂજા કરો.

સિંહઃ સારા- મીઠાં અનુભવો ધરાવતો મિશ્ર ફળદાયી દિવસ છે. નિર્ધારિત કાર્ય કરવાની પ્રેરણા સાથે એ દિશામાં પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ તટસ્‍થ રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં ઉપસ્‍િથત રહેશો. દેવસ્થાનની મુલાકાતના સંજોગો ઊભા થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધશે. વિદેશથી મિત્રો કે સ્‍વજનોના સમાચાર મળે. માનસિક અસ્‍વસ્‍થતા અને સંતાનોની ચિંતાથી વ્‍યગ્રતા અનુભવો. વ્‍યવસાયમાં સમસ્‍યા સર્જાય. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપનામાં ધાર્મિકવૃત્તિ વધુ રહેશે. ખૂબ જ એકચિત્ત થઇને પૂજા-પાઠ કરી શકશો. કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પણ આપને ઇચ્છા થશે. માનસિક શાંતિની પ્રાપ્તિ થશે અને આપ ધાર્મિક બાબતોનું આચરણ કરીને પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવી શકશો. ઉપાય- તમારે આજે મંદિરમાં ભગવાનને ચાર કેળાનો પ્રસાદ આસ્થાપૂર્વક અર્પણ કરવો જોઈએ.

કન્યાઃ આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજના દિવસે આપે થોડું ધ્યાન રાખવાનું છે. કોઇપણ બાબતે તમે નિરાશાની જાળમાં ફસાતા નહીં. એટલું યાદ રાખજો કે, માતાજીની પૂજા કરવાથી તમારા તમામ વિઘ્નો ઉકેલાઇ જશે. આથી સંપૂર્ણ આસ્થાપૂર્વક માતાજીની પૂજા કરો. તેનાથી તમારો માનસિક તણાવ દૂર થશે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે. ઉપાય- આપ માતાજીની પૂજા ઉપરાંત શ્રી રાધા-કૃષ્ણની પણ પૂજા કરો અને તેમને ફુલોની સુંદર માળા ચડાવો.

તુલાઃ રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ નાટક કે ફિલ્મ માણો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આપ પરિવાર સાથે ઘણો સારો સમય વિતાવી શકશો. વેપારમાં તમારા પાર્ટનર સમક્ષ દિલની વાત શેર કરશો અને તમારા જીવનસાથીને સંપૂર્ણ સન્માન આપશો. આપની વચ્ચે એકબીજા પ્રત્યે પારસ્પરિક પ્રેમ અને આદરભાવ વધશે તેમજ સૌ સાથે મળીને માતાજીની પૂજા કરી શકશો. ખાસ કરીને તમારા જીવનસાથી તમને વિશેષ આગ્રહ કરીને પૂજા કરાવશે અને તેનાથી તમને મનોમન ઘણી ખુશી થશે. ઉપાય- તમારે આજે ગુલાબી ફુલથી માતાજીની પૂજા કરવી જોઈએ.

વૃશ્ચિકઃ પારિવારિક સુખ શાંતિને કારણે આપને શારિરીક માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. નક્કી કરેલા કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે. આપના વિરોધીઓ અને શત્રુઓની ચાલ સફળ નહી થઇ શકે. આપને આર્થિક લાભ થશે. મોસાળપક્ષથી પણ લાભ થઇ શકે. આપ જરૂર જણાય ત્યાં ખર્ચ કરશો. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ પૂજા-પાઠ કરવાની રીતભાતમાં થોડું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો. તમને એવો પણ વિચાર આવશે કે ક્યાંક તમારાથી કોઇ ભૂલ તો નથી થઇ ને. તે ભૂલ દૂર કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે તમે બહુ ચિવટતાથી પૂજા-અર્ચના કરશો અને માતાજીની આરતી કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીર્ઘાયુ માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમને અરજ કરશો. ઉપાય- આજે તમારે લાલ રંગના ફુલોથી માતાજીની પૂજા કરવી જોઈએ.

ધનઃ આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટને લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજનને મળીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આપને જાણે માતાજી પ્રત્યક્ષ સામે હોય તેવું મનોમન લાગશે. આપ માતાજીના મંદિરે જઇને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અને મન લગાવીને માતાજીની ઉપાસના કરશો. તેમને સફેદ અને લાલ ફુલોનો હાર પહેરાવવાની સલાહ છે. તમે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે માતાજીની પૂજા કરશો જેથી તમને માનસિક શાંતિ મળશે અને પરિવારમાં પણ સુખ પ્રાપ્ત થશે. ઉપાય- પીળા ફુલોથી માતાજીની પૂજા કરવાથી ઘણો ફાયદો થશે.

મકરઃ આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજે આપ મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવશો. પરિવારજનો સાથે મળીને કોઇ બાબતે વિચારવિમર્શ કરશો અને કેટલીક જરૂરી યોજનાઓ ઘડશો. સાથે જ, પરિવાર સાથે મળીને આપ ઉત્સાહપૂર્વક માતાજીની પૂજા કરશો અને તેનાથી તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. ઉપાય- આજે તમે ઘરનાં બારણે આંબા અને આસોપાલવનાં પાનનું તોરણ બાંધો અને માતાજીની પૂજા કરશો તો ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.

કુંભઃ આજે આપને માનસિક રાહત જણાશે તેમ જણાઈ રહ્યું છે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહેતા આપનો ઉત્સાહ વધશે. સહોદરો અને પાડોશીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. ઘરમાં સંબંધીઓ અને મિત્રો આવવાથી ખુશી અનુભવશો. આપ પ્રિયજનને મળી શકશો અને વધુ ભાગ્યશાળી બનશો. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જોઇએ તો, આજના દિવસમાં તમે તમારા મિત્રોને શીતળામાતાની પૂજા-અર્ચનાનું મહત્ત્વ સમજાવશો કારણ કે તમે માતાજીના પ્રભાવ વિશે સારી રીતે જાણો છો અને માટે તેમને પણ તમે માતાજીની પૂજા કરવા માટે કહેશો. માતાજીની પૂજા કરવાથી તમારામાં સાહસવૃત્તિ વધશે અને જીવનમાં પ્રગતિ કરી શકશો. ઉપાય- તમારે માતાજીના મંદિરે જઇને વિધિવત્ તેમની પૂજા કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.