ETV Bharat / bharat

#AssamFloods : આસામમાં વિનાશક પૂરથી 24 લાખ લોકો પ્રભાવિત, કાઝીરંગા ઉદ્યાનનો 90 ટકા ભાગ ડૂબમાં

author img

By

Published : Jul 21, 2020, 9:12 AM IST

આસામમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદથી બ્રહ્મપુત્રા અને કૃષ્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. આસામના મુખ્યપ્રધાન સોનવાલે પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના 24 જિલ્લાના 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. મતલિયા, ગોલપારામાં પ્રભાવિત વિસ્તારોની NDRFની ટીમે 56 લોકોનું રેસ્ક્યું કર્યું હતું.

Assam floods
Assam floods

ગુવાહાટી: આસામમાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, પૂરના કારણે કુલ 2,254 ગામના 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનવાલે પૂરથી પ્રભાવિત વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી. સોનવાલે રાજ્યમાં મદદ પહોંચાડવા માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર પૂરથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 48 કલાકમાં એક્સ-ગ્રેટિયા આપવામાં આવશે.

  • The picturesque Kaziranga National Park and its wonderful inhabitants are struggling with fury of flood.

    I made an extensive visit of the Park to gauge the extent of damages, & have instructed officials to do the best we can. My compliments to the staff for their spirited work. pic.twitter.com/QehWCqPi63

    — Himanta Biswa Sarma (@himantabiswa) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યૂએનના સંયુકત સચિવ સ્ટીફન દુબારિકે કહ્યું કે, ચોમાસાના ભારે વરસાદના કારણે આસામમાં અને નેપાળના 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાં 189 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર ભારત સરકારની મદદ કરવા માટે તૈયાર છે. સોમવારે બ્રહ્મપુત્ર નદીમાં જળસ્તર વધવાથી ડિબ્રુગઢના કેટલાક વિસ્તારોમાં પુર આવ્યું છે. સરકારે રાજ્યમાં પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે જિલ્લામાં 276 રાહત શિબિર અને 192 રાહત કેન્દ્ર શરુ કર્યા છે.

આ પૂરના કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 113 જાનવરોના મોત થયા છે. અત્યાર સુધીમાં 140 જાનવરોના જીવ બચાવવામાં આવ્યાં છે. National Disaster Response Force (NDRF)ની એક ટીમ પૂર પ્રભાવિત ગામથી 56 લોકોનું રેસ્ક્યું કર્યું છે. ટીમે કોવિડ-19 મહામારીના કારણે માસ્ક, સ્ક્રીનિંગ અને અન્ય દિશાનિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે.

NDRF ગુવાહાટીની પ્રથમ બટાલિયને અત્યાર સુધીમાં 1,450થી વધુ સ્થાનિક લોકોનું રેસ્ક્યું કર્યું છે. પૂરના કારણે એક લાખ હેક્ટર ખેડૂતનો પાકને નુકસાન પહોચ્યું છે. એનડીઆરએફની અંદાજે 12 ટીમ અને બચાવદળ આસામ જિલ્લામાં તૈનાત છે.

ગુવાહાટી: આસામમાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, પૂરના કારણે કુલ 2,254 ગામના 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનવાલે પૂરથી પ્રભાવિત વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી. સોનવાલે રાજ્યમાં મદદ પહોંચાડવા માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર પૂરથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 48 કલાકમાં એક્સ-ગ્રેટિયા આપવામાં આવશે.

  • The picturesque Kaziranga National Park and its wonderful inhabitants are struggling with fury of flood.

    I made an extensive visit of the Park to gauge the extent of damages, & have instructed officials to do the best we can. My compliments to the staff for their spirited work. pic.twitter.com/QehWCqPi63

    — Himanta Biswa Sarma (@himantabiswa) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યૂએનના સંયુકત સચિવ સ્ટીફન દુબારિકે કહ્યું કે, ચોમાસાના ભારે વરસાદના કારણે આસામમાં અને નેપાળના 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાં 189 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર ભારત સરકારની મદદ કરવા માટે તૈયાર છે. સોમવારે બ્રહ્મપુત્ર નદીમાં જળસ્તર વધવાથી ડિબ્રુગઢના કેટલાક વિસ્તારોમાં પુર આવ્યું છે. સરકારે રાજ્યમાં પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે જિલ્લામાં 276 રાહત શિબિર અને 192 રાહત કેન્દ્ર શરુ કર્યા છે.

આ પૂરના કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 113 જાનવરોના મોત થયા છે. અત્યાર સુધીમાં 140 જાનવરોના જીવ બચાવવામાં આવ્યાં છે. National Disaster Response Force (NDRF)ની એક ટીમ પૂર પ્રભાવિત ગામથી 56 લોકોનું રેસ્ક્યું કર્યું છે. ટીમે કોવિડ-19 મહામારીના કારણે માસ્ક, સ્ક્રીનિંગ અને અન્ય દિશાનિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે.

NDRF ગુવાહાટીની પ્રથમ બટાલિયને અત્યાર સુધીમાં 1,450થી વધુ સ્થાનિક લોકોનું રેસ્ક્યું કર્યું છે. પૂરના કારણે એક લાખ હેક્ટર ખેડૂતનો પાકને નુકસાન પહોચ્યું છે. એનડીઆરએફની અંદાજે 12 ટીમ અને બચાવદળ આસામ જિલ્લામાં તૈનાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.