ETV Bharat / bharat

રામ મંદિરના નિર્માણને લઈને 18 જુલાઈએ અયોધ્યામાં ટ્રસ્ટઓની બેઠક યોજાશે

author img

By

Published : Jul 3, 2020, 6:11 PM IST

લાર્સન એન્ડ ટર્બો કંપનીએ શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં રામલલાના ભવ્ય મંદિરના નિર્માણની તૈયારી વ્યક્ત કરી છે. પરિસરમાં પાયાનું કામ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, શ્રાવણ મહિનામાં મંદિરના શિલાન્યાસ પર લગાવતી અટકળોને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ તેને કાલ્પનિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, મંદિર નિર્માણ માટેની આગળની નીતિ નક્કી કરવા માટે 18 જુલાઈએ અયોધ્યામાં ટ્રસ્ટની બેઠક યોજાશે.

રામ મંદિરના નિર્માણને લઈ 18 જુલાઈએ અયોધ્યામાં ટ્રસ્ટની બેઠક યોજાશે
રામ મંદિરના નિર્માણને લઈ 18 જુલાઈએ અયોધ્યામાં ટ્રસ્ટની બેઠક યોજાશે

અયોધ્યા: રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા લોખંડના બેરિકેડીંગને હટાવ્યા બાદ સતત કામગીરી ચાલુ છે. પરિસરનું સમતુલન કાર્ય થયા બાદ હવે ખાડા ખોદીને પાયા નાખવા માટેની જગ્યા બનવવામાં આવી છે.

સંતોએ રામ મંદિરના નિર્માણ માટે શ્રાવણ મહિનાને યોગ્ય ગણાવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ અને શ્રી મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલદાસ તરફથી વડાપ્રધાનને મંદિરના શિલાન્યાસ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનને મંદિરના શિલાન્યાસ માટે 5 જુલાઈથી 5 ઓગસ્ટની વચ્ચે સમય આપવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે, મંદિર નિર્માણ માટે આગળની તારીખ નક્કી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં રામલલા મંદિરના નિર્માણના સમય વિશે પહેલાથી વાત કરવી યોગ્ય નથી.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામ જન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણની તૈયારી ચાલી રહી છે. ટ્રસ્ટની આગામી બેઠક 18 જુલાઈએ અયોધ્યામાં યોજાશે.આ બેઠકમાં, મંદિર નિર્માણની દિશામાં આગળના પગલા વિશે ચર્ચા કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું કે, પરિસરનું સમતુલન કાર્ય થયા બાદ હવે ખાડા ખોદીને પાયા નાખવા માટેની જગ્યા બનવવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિરના શિખરની ઊંચાઈ અંગે સંતોની માગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાલમાં સંતોની આવી કોઈ માગ નથી, છેલ્લા 15 દિવસમાં 200 જેટલા સંતો સાથે આ વિષય અંગે વાત કરવામાં આવી છે.

અયોધ્યા: રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા લોખંડના બેરિકેડીંગને હટાવ્યા બાદ સતત કામગીરી ચાલુ છે. પરિસરનું સમતુલન કાર્ય થયા બાદ હવે ખાડા ખોદીને પાયા નાખવા માટેની જગ્યા બનવવામાં આવી છે.

સંતોએ રામ મંદિરના નિર્માણ માટે શ્રાવણ મહિનાને યોગ્ય ગણાવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ અને શ્રી મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલદાસ તરફથી વડાપ્રધાનને મંદિરના શિલાન્યાસ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનને મંદિરના શિલાન્યાસ માટે 5 જુલાઈથી 5 ઓગસ્ટની વચ્ચે સમય આપવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે, મંદિર નિર્માણ માટે આગળની તારીખ નક્કી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં રામલલા મંદિરના નિર્માણના સમય વિશે પહેલાથી વાત કરવી યોગ્ય નથી.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામ જન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણની તૈયારી ચાલી રહી છે. ટ્રસ્ટની આગામી બેઠક 18 જુલાઈએ અયોધ્યામાં યોજાશે.આ બેઠકમાં, મંદિર નિર્માણની દિશામાં આગળના પગલા વિશે ચર્ચા કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું કે, પરિસરનું સમતુલન કાર્ય થયા બાદ હવે ખાડા ખોદીને પાયા નાખવા માટેની જગ્યા બનવવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિરના શિખરની ઊંચાઈ અંગે સંતોની માગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાલમાં સંતોની આવી કોઈ માગ નથી, છેલ્લા 15 દિવસમાં 200 જેટલા સંતો સાથે આ વિષય અંગે વાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.