ETV Bharat / bharat

કાશ્મીરમાં હિમસ્ખલનની ઘટનામાં 3 જવાન શહીદ

author img

By

Published : Dec 4, 2019, 10:56 AM IST

Updated : Dec 4, 2019, 2:34 PM IST

શ્રીનગર: ઉતર કાશ્મીરમાં સીમા રેખા પાસે હિમસ્ખલનની બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 4 જવાનો ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી 3 જવાન શહીદ થયા છે.

કાશ્મીરમાં હિમસ્ખલનમાં 4 જવાન ફસાયા
કાશ્મીરમાં હિમસ્ખલનમાં 4 જવાન ફસાયા

અધિકારીઓએ આજ રોજ માહિતી આપતા જણાવ્યું કે, કુપવાડા જિલ્લાના તંગધારમાં મંગળવારે બપોરના સમયે સેનાની એક ચોકી હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઇ હતી. જેમાં ઓછામાં ઓછા 2 જવાન ફસાયા હોવાની માહિતી સામે આવી છે.

આ ઘટનાને લઇને રાહત બચાવ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે કામગીરીને પણ સ્થગિત કરવી પડી હતી. પરંતુ, બુધવારે એટલે કે આજે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી.

અન્ય એક ઘટનામાં બાંદીપુરા જિલ્લામાં ગુરેજ સેક્ટરના દાવર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલનની ઝપેટમાં આવતા 2 જવાન ફસાયા હતા.

મળતી માહિતી મુજબ આ બંને ઘટનાઓને લઇને હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

અધિકારીઓએ આજ રોજ માહિતી આપતા જણાવ્યું કે, કુપવાડા જિલ્લાના તંગધારમાં મંગળવારે બપોરના સમયે સેનાની એક ચોકી હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઇ હતી. જેમાં ઓછામાં ઓછા 2 જવાન ફસાયા હોવાની માહિતી સામે આવી છે.

આ ઘટનાને લઇને રાહત બચાવ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે કામગીરીને પણ સ્થગિત કરવી પડી હતી. પરંતુ, બુધવારે એટલે કે આજે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી.

અન્ય એક ઘટનામાં બાંદીપુરા જિલ્લામાં ગુરેજ સેક્ટરના દાવર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલનની ઝપેટમાં આવતા 2 જવાન ફસાયા હતા.

મળતી માહિતી મુજબ આ બંને ઘટનાઓને લઇને હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Last Updated : Dec 4, 2019, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.