ETV Bharat / bharat

દિલ્હીમાં 2100 બેડની વ્યવસ્થા, અમે કોરોનાથી એક પગલું આગળઃ કેજરીવાલ

author img

By

Published : May 30, 2020, 3:24 PM IST

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને દિલ્હી સરકાર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 2100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અમારી સરકાર કોરોના સામે ચાર પગલા આગળ છે.

કેજરીવાલ
કેજરીવાલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વધતી જતી કોરોના સંક્રમિતોની સંખ્યાની વચ્ચે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વ્યવસ્થા અને આગામી રણનીતિઓને લઇને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોના સંક્રમણના આંકડા શેર કરતા જણાવ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 હજારને પાર પહોંચી છે, તો અત્યાર સુધીમાં 398 લોકોના મોત થયા છે.

પરમેનન્ટ લોકડાઉન સંભવ નથી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપણે સ્વીકાર કરવો જોઇએ કે, અમુક દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ તેજીથી વધી રહ્યા છે, પંરતુ ડરવાની કોઇ જરુર નથી. તેમણે કહ્યું કે, અમારી સરકાર કોરોનાથી ચાર પગલા આગળ ચાલી રહી છે. તેમનું એમ પણ કહેવું છે કે, આપણે પરમેનન્ટ લોકડાઉન કરી શકીએ નહીં, કારણ કે, આજે તે કોઇ કહી શકતું નથી કે જો એક મહીનો અથવા બે મહીના લોકડાઉન કરીએ તો કોરોનાનો નાશ થશે. કોરોના રહેશે અને આપણે સારવારની વ્યવસ્થા કરવી પડશે.

મુખ્ય પ્રધાનને બે મુખ્ય ચિંતાઓ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે મારી બે ચિંતાઓ છે. પહેલી ચિંતા એ કે, કોરોનાથી મોતના કેસ ન વધે અને બીજી ચિંતા એ કે, જો દિલ્હીમાં 10 હજાર દર્દીઓ હોય અને બેડ માત્ર 8 હજાર હોય. વેન્ટિલેટર અને પીપીઇની અછત થઇ જાય. તેમણએ કહ્યું કે, અમે સતત તેને લઇને કામ કરી રહ્યા છીએ. ભલે આજે દિલ્હીમાં 17,386 દર્દીઓ છે, પરંતુ તેમાંથી માત્ર 2100 જ હોસ્પિટલમાં છે, બાકી બધા પોતાના ઘરે છે.

5 જૂન સુધી 9500 બેડ

અરવિંદ કેજરીવાલે ગત્ત એક અઠવાડિયામાં કરેલા પોતાના કામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગત્ત અઠવાડિયે આપણી પાસે 4500 બેડ હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી અમે 2100 બેડની વ્યવસ્થા કરી છે. તેમનું એમ પણ કહેવું છે કે, ગત્ત અઠવાડિયે જ અમે ઓર્ડર જાહેર કર્યો છે અને 5 જૂન સુધીમાં દિલ્હીમાં 9500 બેડ થઇ જશે.

હોસ્પિટલોમાં માત્ર 2100 દર્દીઓ

બેડની ઉપલબ્ધતાનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા 2500 બેડ હતા, પરંતુ આજે 6600 બેડ છે. કેન્દ્રની હોસ્પિટલોમાં 2229 બેડ છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ 677થી વધીને 2677 થયા છે જ્યારે 5 જૂન સુધીમાં તે 3677 થઇ જશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે, 14 મેએ દિલ્હીમાં 8800 કેસ હતા, જ્યારે આજે 15 દિવસ બાદ 17 હજાર કેસ છે. તે સમયે હોસ્પિટલોમાં 1600 દર્દી હતા, જ્યારે આજે 2100 દર્દીઓ છે એટલે કે, ગત્ત 15 દિવસોમાં હોસ્પિટલોમાં માત્ર 500 દર્દીઓ વધ્યા છે.

એપથી મળશે જાણકારી

અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું કે, અમે એક એપ બનાવી રહ્યા છીએ, તેને ડાઉનલોડ કરીને કોઇ પણ જાણી શકશે કે, કઇ હોસ્પિટલમાં કોરોનાના કેટલા બેડ અથવા વેન્ટિલેટર છે અને તેમાંથી કેટલા ખાલી છે. હાલના દિવસોમાં દિલ્હીની હોસ્પિટલોના નામ પર કેટલાય વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. તેને લઇને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમુક લોકો ગંદી રાજનીતિ કરીને ભ્રમિત વીડિયો બનાવી રહ્યા છે.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વધતી જતી કોરોના સંક્રમિતોની સંખ્યાની વચ્ચે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વ્યવસ્થા અને આગામી રણનીતિઓને લઇને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોના સંક્રમણના આંકડા શેર કરતા જણાવ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 હજારને પાર પહોંચી છે, તો અત્યાર સુધીમાં 398 લોકોના મોત થયા છે.

પરમેનન્ટ લોકડાઉન સંભવ નથી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપણે સ્વીકાર કરવો જોઇએ કે, અમુક દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ તેજીથી વધી રહ્યા છે, પંરતુ ડરવાની કોઇ જરુર નથી. તેમણે કહ્યું કે, અમારી સરકાર કોરોનાથી ચાર પગલા આગળ ચાલી રહી છે. તેમનું એમ પણ કહેવું છે કે, આપણે પરમેનન્ટ લોકડાઉન કરી શકીએ નહીં, કારણ કે, આજે તે કોઇ કહી શકતું નથી કે જો એક મહીનો અથવા બે મહીના લોકડાઉન કરીએ તો કોરોનાનો નાશ થશે. કોરોના રહેશે અને આપણે સારવારની વ્યવસ્થા કરવી પડશે.

મુખ્ય પ્રધાનને બે મુખ્ય ચિંતાઓ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે મારી બે ચિંતાઓ છે. પહેલી ચિંતા એ કે, કોરોનાથી મોતના કેસ ન વધે અને બીજી ચિંતા એ કે, જો દિલ્હીમાં 10 હજાર દર્દીઓ હોય અને બેડ માત્ર 8 હજાર હોય. વેન્ટિલેટર અને પીપીઇની અછત થઇ જાય. તેમણએ કહ્યું કે, અમે સતત તેને લઇને કામ કરી રહ્યા છીએ. ભલે આજે દિલ્હીમાં 17,386 દર્દીઓ છે, પરંતુ તેમાંથી માત્ર 2100 જ હોસ્પિટલમાં છે, બાકી બધા પોતાના ઘરે છે.

5 જૂન સુધી 9500 બેડ

અરવિંદ કેજરીવાલે ગત્ત એક અઠવાડિયામાં કરેલા પોતાના કામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગત્ત અઠવાડિયે આપણી પાસે 4500 બેડ હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી અમે 2100 બેડની વ્યવસ્થા કરી છે. તેમનું એમ પણ કહેવું છે કે, ગત્ત અઠવાડિયે જ અમે ઓર્ડર જાહેર કર્યો છે અને 5 જૂન સુધીમાં દિલ્હીમાં 9500 બેડ થઇ જશે.

હોસ્પિટલોમાં માત્ર 2100 દર્દીઓ

બેડની ઉપલબ્ધતાનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા 2500 બેડ હતા, પરંતુ આજે 6600 બેડ છે. કેન્દ્રની હોસ્પિટલોમાં 2229 બેડ છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ 677થી વધીને 2677 થયા છે જ્યારે 5 જૂન સુધીમાં તે 3677 થઇ જશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે, 14 મેએ દિલ્હીમાં 8800 કેસ હતા, જ્યારે આજે 15 દિવસ બાદ 17 હજાર કેસ છે. તે સમયે હોસ્પિટલોમાં 1600 દર્દી હતા, જ્યારે આજે 2100 દર્દીઓ છે એટલે કે, ગત્ત 15 દિવસોમાં હોસ્પિટલોમાં માત્ર 500 દર્દીઓ વધ્યા છે.

એપથી મળશે જાણકારી

અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું કે, અમે એક એપ બનાવી રહ્યા છીએ, તેને ડાઉનલોડ કરીને કોઇ પણ જાણી શકશે કે, કઇ હોસ્પિટલમાં કોરોનાના કેટલા બેડ અથવા વેન્ટિલેટર છે અને તેમાંથી કેટલા ખાલી છે. હાલના દિવસોમાં દિલ્હીની હોસ્પિટલોના નામ પર કેટલાય વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. તેને લઇને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમુક લોકો ગંદી રાજનીતિ કરીને ભ્રમિત વીડિયો બનાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.