લખનૌ : યૂપીમાં કોરોના વાઇરસનો સતત પોતાનો પગ પેસારો વધી રહ્યો છે. 11 નવા કોરોના વાઇરસના પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ આ આંકડો 61 પહોંચ્યો છે. આ તકે આ તમામ દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓને તપાસ સેમ્પલ આવ્યા બાદ તમામમાં કોરોના વાઇરસની પુષ્ટિ થઇ છે.
11 નવા કોરોના વાઇરસના દર્દીઓ મળ્યા
વધતા સમયની સાથે કોરોના વાઇરસ યુપીમાં ધીરે-ધીરે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. આ કડીમાં શનિવારે 11 નવા કેસ સામે આવ્યા છે. જેમાં આ તમામ દર્દીઓને કોરોના વાઇરસ થવાની પુષ્ટિ લેબ દ્વારા થઇ છે. આ તમામ 11 દર્દીઓમાં 9 દર્દીઓ નોઇડાના રહેવાસી છે. તો એક તરફ એક દર્દી વારાણસી અને બીજા મેરઠનો છે.
યૂપીમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા પહોંચી 61 પર
કોરોના વાઇરસના દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ આ તમામ લોકોમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. જે બાદથી સ્વાસ્થ્ય વિભાગની નજર આ લોકો પર બની છે. કોરોના વાઇરસના લક્ષણ દેખાયા બાદ આ તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદ આ તમામ લોકોમાં કોરોના વાઇરસની પુષ્ટિ થઇ હતી. યૂપીમાં કુલ કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 61 પર પહોંચી છે.