- ભારત આઝાદીના 75મા વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે
- દેશને આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓને બલિદાનને યાદ કરવામાં આપણે ગર્વ અનુભવીએ છીએ
- આ સમયે વારાણસીના ભારત માતા મંદિરનો કોઈ ઉલ્લેખ ન થાય તો કંઈ અધૂરું રહી જાય
ન્યૂઝ ડેસ્કઃ સૌ કોઈ જાણે છે કે, 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આજે આઝાદીના 74 વર્ષ પૂર્ણ થયા છે. સરકારે ભારતના ગૌરવશાળી ઈતિહાસને લોકો સુધી લઈ જવા 'આઝાદીનો અમૃત મહોત્સવ'(Azaadi Ka Amrit Mahotsav) શરૂ કર્યો છે. દેશના 75મા સ્વતંત્રતા દિવસ પર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને અમે તેમના મહાન કથાનકો યાદ કરાવતાં ગર્વ અનુભવીએ છીએ. એવી એક મહાન ગાથા છે. ધર્મનગરી વારાણસીના તે અદ્ભુત મંદિરની, જેને લોકો ભારત માતા મંદિર (Bharat Mata Temple )તરીકે ઓળખે છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો,સરકાર ગુજરાતના વિકાસને લઈને પ્રતિબદ્ધઃઅરવિંદ રૈયાણી
આ ભવ્ય મંદિરની અંદર વર્ષ 1917ના અખંડ ભારતનો અદભૂત 3D નકશો છે
કહેવા માટે તો આ મંદિર છે, પરંતુ અંદર પ્રવેશ્યા પછી તમને ન તો કોઈ મૂર્તિ મળશે કે, ન તો કોઈ ભગવાનનો ફોટો. કારણ કે, આ ભવ્ય મંદિરની અંદર વર્ષ 1917ના અખંડ ભારતનો અદભૂત 3D નકશો છે. આ નકશામાં કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનને એક સંયુક્ત ભારત તરીકે દર્શાવવામાં આવ્યું છે. વારાણસીની ધરાતલ પર સ્થિત આ ભવ્ય મંદિર નિર્માણ કળાનું અદ્ભૂત ઉદાહરણ છે. આ મંદિરમાં ઉપયોગમાં લેવાયેલા લાલ પથ્થર, મકરાણા આરસ અને અન્ય બાંધકામ સામગ્રી આ મંદિરને વધુ ભવ્ય બનાવી દે છે. વર્ષ 1917 પછી આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ "Azadi Ka Amrut Mahotsav" અંતર્ગત પોરબંદર પોસ્ટ વિભાગે શામળદાસ ગાંધીનું પોસ્ટલ કવર બહાર પાડ્યું
આ મંદિર દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ માટે મોટું કેન્દ્ર છે
આ મંદિર વર્ષ 1924માં બનીને પૂર્ણ થયું હતું. અંગ્રેજોએ તે બાબતે કડકાઈ દાખવી અને મંદિરને ખોલવા દીધું નહતું. જોકે, 12 વર્ષ પછી મહાત્મા ગાંધીએ ઓક્ટોબર વર્ષ 1936માં આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. વારાણસીના ચંદવા સબ્જી મંડી વિસ્તારમાં સ્થિત આ મંદિર દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ માટે મોટુ કેન્દ્ર છે. આ મંદિરમાં પથ્થરો પર આઝાદીના મતવાલા લોકોની તસવીરો જોવા મળે છે, જેમાં મહાત્મા ગાંધીથી લઈને તે સમયના મહાન ક્રાંતિકારીઓના ફોટો છે, જે આઝાદીની ગાથા કહે છે.
વિશ્વનું આ એક માત્ર મંદિર કે, જ્યાં અખંડ ભારતની પૂજા થાય છે
વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં અખંડ ભારતની પૂજા કરવામાં આવે છે. ભારત માતા મંદિરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપ્યું છે. આઝાદીના મતવાલાઓમાં આ મંદિર ભારત માતા પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: