ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ

author img

By

Published : Nov 27, 2021, 7:03 AM IST

Updated : Nov 27, 2021, 8:44 AM IST

1919માં ગાંધીજી દ્વારા નવજીવન ટ્રસ્ટ સ્થાપવામાં (navjivan trust founded by gandhiji) આવ્યું હતું. 1919માં ગાંધીજીની તંત્રીપદે નિમણૂક થયા બાદ નવજીવન મેગેઝીનની શરૂઆત (navjivan magazine) થઈ હતી. નવજીવન ટ્રસ્ટે (navjivan trust) અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત ભારતની 18 જેટલી ભાષાઓમાં 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

75 Years Gujarat: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ
75 Years Gujarat: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ
  • નવજીવને 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા
  • 11 ફેબ્રુઆરી, 1922ના મુદ્રણાલય શરૂ કરવામાં આવ્યું
  • મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો નવજીવનને ભેટ કર્યા હતા

નવજીવન ટ્રસ્ટ (navjivan trust) ગાંધીજીના સાહિત્ય અને વિચારોનો પ્રચાર કરે છે, જે મહાત્મા ગાંધી દ્વારા 1919માં સ્થાપવામાં આવ્યું હતું. નવજીવને નિરંતર વિકાસ સાધતા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત ભારતની 18 જેટલી ભાષાઓમાં 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. 7 સપ્ટેમ્બર, 1919માં ગાંધીજીની તંત્રીપદે (Gandhiji the editor of Navjivan) નિમણૂક થયા બાદ નવજીવન મેગેઝીનની શરૂઆત થઈ હતી. નવજીવન મેગેઝીન (navjivan magazine) શરૂઆતમાં દર મહિને પ્રકાશિત થતું હતું, પરંતુ ગાંધીજીની તંત્રીપદે નિમણૂક થતાની સાથે જ તેને સાપ્તાહિક કરવામાં આવ્યું હતું.

75 Years Gujarat: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ

1922ના રોજ મુદ્રણાલય શરૂ કરવામાં આવ્યું

રોજ રૂપિયા 400ના ભાડામાં સરખીગરાની વાડી (sarkhigarani vaadi)માં મકાન ભાડે રાખીને વર્ષ 11 ફેબ્રુઆરી, 1922ના રોજ મુદ્રાણાલય (navjivan printing press) શરૂ કરવામાં આવ્યું હતું. 27 નવેમ્બર, 1929 (75 Years Gujarat)ના દિવસે નવજીવન ટ્રસ્ટનો દસ્તાવેજ (Document of Navjivan Trust) રજીસ્ટર થયો હતો અને પ્રમુખ પદે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઇ હતી.

નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ શું હતો?

નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી વિવેક દેસાઈ (trustee of navjivan trust vivek desai)એ જણાવ્યું કે, "હિન્દી, ગુજરાતી અને અન્ય ઇન્ડો-આર્યન ભાષાઓમાં નવજીવન શબ્દનો અર્થ નવું જીવન એમ થાય છે. સ્થાપનાના સમયે તેની ઘોષણામાં જણાવ્યા મુજબ, નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ હિન્દ સ્વરાજ્ય એટલે કે ભારત માટે, સ્વરાજ્યની પ્રાપ્તિ માટે શાંત અને પ્રબુદ્ધ સેવકો દ્વારા લોકોને શિક્ષિત કરીને શુદ્ધ રીતે ભારતની સેવા કરવાનો હતો. નવજીવનની શરૂઆત સ્વરાજની શાંતિપૂર્ણ પ્રાપ્તિ, પ્રચારને આગળ વધારવા, નવું જીવન પ્રદાન કરવા અને ખાસ કરીને ગાંધી વિચારધારાને આગળ ધપાવવા માટે કરવામાં આવી હતી."

મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના યંત્રો ભેટ કર્યા

વધુમાં તેમણે જણાવ્યું કે, "વર્ષ 1920માં દિલ્હીથી પ્રગટ થતું સમાચારપત્ર કોમરેડ બંધ થતા તેના માલિક મૌલાના મહોમ્મદ અલી (maulana mohammad ali)એ છાપકામના તમામ યંત્રો નવજીવનને ભેટ કર્યા હતા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ ચલાવેલા નવજીવન અને યંગ ઈન્ડિયા સાપ્તાહિક આ મશીન પર જ છપાતા હતા. આ સિવાય પણ સંખ્યાબંધ મશીનો અને ટાઈપ રાઈટર નવજીવન ટ્રસ્ટ દ્વારા સાચવીને રાખવામાં આવ્યા છે."

ગાંધીજીએ નવજીવન ટ્રસ્ટને સ્વાવલંબિત બનાવ્યું

વિવેક દેસાઈએ આગળ જણાવ્યું કે, "નવજીવન ટ્રસ્ટનો અન્ય ઉદ્દેશ લોકોની ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ માટે ગાંધીજીએ જે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી, તેના જર્નલ અને પુસ્તકોના પ્રકાશન થકી પ્રચાર કરવાનો હતો. સ્વાવલંબનમાં માનનારા ગાંધીજીએ નવજીવન ટ્રસ્ટને વિવિધ પ્રકાશનો અને મુદ્રણકાર્યો થકી સ્વાવલંબિત બનાવ્યું હતું, જે હાલમાં પણ તે જ રીતે ચાલી રહ્યું છે. જેના કારણે અત્યાર સુધી ટ્રસ્ટે કોઈ અનુદાન કે દાન સ્વીકાર્યું નથી."

આ પણ વાંચો: 26/11 mumbai attack: ભારત-પાક સંબંધો વચ્ચે લાલ રેખા દોરાઈ, ઘા હજુ પણ ભરાયા નથી

આ પણ વાંચો: CONSTITUTION DAY 2021: ચારિત્ર્ય ગુમાવનાર પક્ષો લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરશેઃ વડાપ્રધાન મોદી

  • નવજીવને 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા
  • 11 ફેબ્રુઆરી, 1922ના મુદ્રણાલય શરૂ કરવામાં આવ્યું
  • મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો નવજીવનને ભેટ કર્યા હતા

નવજીવન ટ્રસ્ટ (navjivan trust) ગાંધીજીના સાહિત્ય અને વિચારોનો પ્રચાર કરે છે, જે મહાત્મા ગાંધી દ્વારા 1919માં સ્થાપવામાં આવ્યું હતું. નવજીવને નિરંતર વિકાસ સાધતા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત ભારતની 18 જેટલી ભાષાઓમાં 1000થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. 7 સપ્ટેમ્બર, 1919માં ગાંધીજીની તંત્રીપદે (Gandhiji the editor of Navjivan) નિમણૂક થયા બાદ નવજીવન મેગેઝીનની શરૂઆત થઈ હતી. નવજીવન મેગેઝીન (navjivan magazine) શરૂઆતમાં દર મહિને પ્રકાશિત થતું હતું, પરંતુ ગાંધીજીની તંત્રીપદે નિમણૂક થતાની સાથે જ તેને સાપ્તાહિક કરવામાં આવ્યું હતું.

75 Years Gujarat: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ

1922ના રોજ મુદ્રણાલય શરૂ કરવામાં આવ્યું

રોજ રૂપિયા 400ના ભાડામાં સરખીગરાની વાડી (sarkhigarani vaadi)માં મકાન ભાડે રાખીને વર્ષ 11 ફેબ્રુઆરી, 1922ના રોજ મુદ્રાણાલય (navjivan printing press) શરૂ કરવામાં આવ્યું હતું. 27 નવેમ્બર, 1929 (75 Years Gujarat)ના દિવસે નવજીવન ટ્રસ્ટનો દસ્તાવેજ (Document of Navjivan Trust) રજીસ્ટર થયો હતો અને પ્રમુખ પદે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઇ હતી.

નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ શું હતો?

નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી વિવેક દેસાઈ (trustee of navjivan trust vivek desai)એ જણાવ્યું કે, "હિન્દી, ગુજરાતી અને અન્ય ઇન્ડો-આર્યન ભાષાઓમાં નવજીવન શબ્દનો અર્થ નવું જીવન એમ થાય છે. સ્થાપનાના સમયે તેની ઘોષણામાં જણાવ્યા મુજબ, નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ હિન્દ સ્વરાજ્ય એટલે કે ભારત માટે, સ્વરાજ્યની પ્રાપ્તિ માટે શાંત અને પ્રબુદ્ધ સેવકો દ્વારા લોકોને શિક્ષિત કરીને શુદ્ધ રીતે ભારતની સેવા કરવાનો હતો. નવજીવનની શરૂઆત સ્વરાજની શાંતિપૂર્ણ પ્રાપ્તિ, પ્રચારને આગળ વધારવા, નવું જીવન પ્રદાન કરવા અને ખાસ કરીને ગાંધી વિચારધારાને આગળ ધપાવવા માટે કરવામાં આવી હતી."

મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના યંત્રો ભેટ કર્યા

વધુમાં તેમણે જણાવ્યું કે, "વર્ષ 1920માં દિલ્હીથી પ્રગટ થતું સમાચારપત્ર કોમરેડ બંધ થતા તેના માલિક મૌલાના મહોમ્મદ અલી (maulana mohammad ali)એ છાપકામના તમામ યંત્રો નવજીવનને ભેટ કર્યા હતા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ ચલાવેલા નવજીવન અને યંગ ઈન્ડિયા સાપ્તાહિક આ મશીન પર જ છપાતા હતા. આ સિવાય પણ સંખ્યાબંધ મશીનો અને ટાઈપ રાઈટર નવજીવન ટ્રસ્ટ દ્વારા સાચવીને રાખવામાં આવ્યા છે."

ગાંધીજીએ નવજીવન ટ્રસ્ટને સ્વાવલંબિત બનાવ્યું

વિવેક દેસાઈએ આગળ જણાવ્યું કે, "નવજીવન ટ્રસ્ટનો અન્ય ઉદ્દેશ લોકોની ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ માટે ગાંધીજીએ જે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી, તેના જર્નલ અને પુસ્તકોના પ્રકાશન થકી પ્રચાર કરવાનો હતો. સ્વાવલંબનમાં માનનારા ગાંધીજીએ નવજીવન ટ્રસ્ટને વિવિધ પ્રકાશનો અને મુદ્રણકાર્યો થકી સ્વાવલંબિત બનાવ્યું હતું, જે હાલમાં પણ તે જ રીતે ચાલી રહ્યું છે. જેના કારણે અત્યાર સુધી ટ્રસ્ટે કોઈ અનુદાન કે દાન સ્વીકાર્યું નથી."

આ પણ વાંચો: 26/11 mumbai attack: ભારત-પાક સંબંધો વચ્ચે લાલ રેખા દોરાઈ, ઘા હજુ પણ ભરાયા નથી

આ પણ વાંચો: CONSTITUTION DAY 2021: ચારિત્ર્ય ગુમાવનાર પક્ષો લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરશેઃ વડાપ્રધાન મોદી

Last Updated : Nov 27, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.