ETV Bharat / state

દિવાળીનો તહેવાર નજીક આવતા મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ

દિવાળીનો તહેવાર ખેડૂતો સારી રીતે મનાવી શકે તે માટે જો ટેકાના ભાવે જ સરકારને મગફળીની ખરીદી કરવી હોય તો તે વહેલી કરવા માંગ કરી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ
મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટ યાર્ડમાં હાલ મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે તેમજ તેની ખરીદ-વેચાણ પણ થઈ રહ્યું છે, તેની સામે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, તેવું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. રાજ્ય સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે પરંતુ હજુ થોડા દિવસો બાદ એ ખરીદી શરૂ કરશે. જેથી વહેલી ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

દિવાળી પહેલા મગફળીની ખરીદી થાય: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મગફળીની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તે મગફળી આગામી લાભપાંચમના દિવસથી ખરીદી શરૂ કરવામાં આવશે, ત્યારે રાજકોટ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે. ખેડૂતોનું કહેવું છે કે,'મગફળી જો સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જ હોય તો દિવાળી પહેલા ખરીદી કરવી જોઈએ. કારણ કે અમારે બીજું વાવેતર પણ કરવાનુંં હોય, સાથે સાથે કેટલાક બિલો થવાના હોય, દવાઓના બિલ ચૂકવવાના હોય અને નવા વાવેતર માટે બીજની ખરીદી પણ કરવાની હોય. દિવાળી પહેલા અમે તહેવારો માણી શકીએ તેના માટે આ મગફળીની ખરીદી સરકારે કરવી જોઈએ.'

મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ (Etv Bharat Gujarat)

ઉપરાંત, સામા પક્ષે યાડના ચેરમેને જણાવ્યું હતું કે,'સરકાર સમગ્ર રાજ્યના વાતાવરણને ધ્યાનમાં લઇ અને ખરીદી શરૂ કરતી હોય છે. સામાન્ય રીતે દિવાળી બાદ જ મગફળીનું ઉતાર આવતો હોય છે ને ત્યારબાદ જ ખરીદી શરૂ થતી હોય છે. જો કોઈ ખેડૂતોએ ઉતારી લીઘી હોય, તો તેને 20 દિવસ જેટલો સંગ્રહ કરી રાખવો જોઈએ. જેથી તેને લાભ પાંચમના દિવસે જ્યારે ખરીદી શરૂ થાય તો ત્યારે ટેકાના ભાવે કરતા તેમને પૂરતા ભાવ મળી શકે. આમ આ બંને પક્ષોએ પોતાની રજૂઆત કરી હતી.'

આ પણ વાંચો:

  1. પ્રોટીન અને ફાઈબરના સ્ત્રોતથી ભરપૂર સોયાબીનનું સૌરાષ્ટમાં વધી રહ્યું છે વાવેતર, જાણો તેના લાભો...
  2. દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર, માર્કેટિંગ યાર્ડ ચણાથી છલોછલ

રાજકોટ: રાજકોટ યાર્ડમાં હાલ મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે તેમજ તેની ખરીદ-વેચાણ પણ થઈ રહ્યું છે, તેની સામે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, તેવું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. રાજ્ય સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે પરંતુ હજુ થોડા દિવસો બાદ એ ખરીદી શરૂ કરશે. જેથી વહેલી ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

દિવાળી પહેલા મગફળીની ખરીદી થાય: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મગફળીની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તે મગફળી આગામી લાભપાંચમના દિવસથી ખરીદી શરૂ કરવામાં આવશે, ત્યારે રાજકોટ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે. ખેડૂતોનું કહેવું છે કે,'મગફળી જો સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જ હોય તો દિવાળી પહેલા ખરીદી કરવી જોઈએ. કારણ કે અમારે બીજું વાવેતર પણ કરવાનુંં હોય, સાથે સાથે કેટલાક બિલો થવાના હોય, દવાઓના બિલ ચૂકવવાના હોય અને નવા વાવેતર માટે બીજની ખરીદી પણ કરવાની હોય. દિવાળી પહેલા અમે તહેવારો માણી શકીએ તેના માટે આ મગફળીની ખરીદી સરકારે કરવી જોઈએ.'

મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ (Etv Bharat Gujarat)

ઉપરાંત, સામા પક્ષે યાડના ચેરમેને જણાવ્યું હતું કે,'સરકાર સમગ્ર રાજ્યના વાતાવરણને ધ્યાનમાં લઇ અને ખરીદી શરૂ કરતી હોય છે. સામાન્ય રીતે દિવાળી બાદ જ મગફળીનું ઉતાર આવતો હોય છે ને ત્યારબાદ જ ખરીદી શરૂ થતી હોય છે. જો કોઈ ખેડૂતોએ ઉતારી લીઘી હોય, તો તેને 20 દિવસ જેટલો સંગ્રહ કરી રાખવો જોઈએ. જેથી તેને લાભ પાંચમના દિવસે જ્યારે ખરીદી શરૂ થાય તો ત્યારે ટેકાના ભાવે કરતા તેમને પૂરતા ભાવ મળી શકે. આમ આ બંને પક્ષોએ પોતાની રજૂઆત કરી હતી.'

આ પણ વાંચો:

  1. પ્રોટીન અને ફાઈબરના સ્ત્રોતથી ભરપૂર સોયાબીનનું સૌરાષ્ટમાં વધી રહ્યું છે વાવેતર, જાણો તેના લાભો...
  2. દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર, માર્કેટિંગ યાર્ડ ચણાથી છલોછલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.