ETV Bharat / state

દીવા તળે અંધારું! શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, રાજપરા ગામના બાળકોને હજુ સુધી શિક્ષણ મેળવવા કરવો પડે છે સંઘર્ષ - No school building in una

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 2:07 PM IST

શિક્ષણના મૂળભૂત અધિકારો મેળવવા માટે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના 230 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2011થી દરદર ભટકી રહ્યા છે. હાલ ગામમાં ધોરણ 9 અને10 ના વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા છે. સરકારના શાળા પ્રવેશોત્સવના વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણના મૂળભૂત અધિકારોને લઈને પણ આજે સંઘર્ષ કરી રહ્યા છે, તેમ છતાં શિક્ષણ વિભાગની બંધ આંખો ખુલતી નથી જેને કારણે ગામના સરપંચ અને વિદ્યાર્થીઓમાં પણ શિક્ષણ વિભાગ સામે રોષ જોવા મળે છે., No school building in Syed Rajpara village of Una

રાજપરા ગામના બાળકોને હજુ સુધી શિક્ષણ મેળવવા કરવો પડે છે સંઘર્ષ
રાજપરા ગામના બાળકોને હજુ સુધી શિક્ષણ મેળવવા કરવો પડે છે સંઘર્ષ (ETV Bharat Gujarat)
રાજપરા ગામના બાળકોને હજુ સુધી શિક્ષણ મેળવવા કરવો પડે છે સંઘર્ષ (ETV Bharat Gujarat)

જૂનાગઢ: ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં શિક્ષણની ઉલટી વ્યવસ્થા જોવા મળી છે. આજે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શાળાનું વૈભવી ભવન જોવા મળે છે. પરંતુ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં શિક્ષણની જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તેવા ચિંતા જનક દ્રશ્યો સામે આવ્યા છે. માછીમાર પરિવારોની વસ્તી ધરાવતું સૈયદ રાજપરા ગામ અહીં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી માધ્યમિક શાળામાં 230 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરી રહ્યા છે.

રાજપરા ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાટે ભટકવું પડે છે
રાજપરા ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાટે ભટકવું પડે છે (ETV Bharat Gujarat)

પરંતુ ખાટલે મોટી ખોટ સમાન વર્ષ 2011થી આજ દિન સુધી શાળાનું ભવન નહીં બનતા વિદ્યાર્થીઓ દરદર ભટકીને શિક્ષણનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યા છે. હાલ ગામમાં બનાવવામાં આવેલા પૂર અસરગ્રસ્ત માટેના નિવાસ્થાન એવા સેલ્ટર હાઉસમાં ગામના સરપંચ ભરત કામળીયાએ વિદ્યાર્થીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે હંગામી ધોરણે શાળા ઉભી કરી છે, જેમાં બાળકો ધોરણ 9 અને 10નો અભ્યાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા (ETV Bharat Gujarat)

વર્ષ 2011માં શાળાને મળી મંજૂરી: રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2011માં દરિયાઈ વિસ્તારમાં અને ખાસ કરીને જ્યાં માછીમાર પરિવારની વસ્તી હોય અને પરિવારના મોટા ભાગના સદસ્યો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હોય આવા ગામમાં RMSA યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની શાળા શરૂ કરવામાં આવી હતી. 2011થી લઈને 2024 સુધી સરકારી મંજૂરી અને નિયમોની આંટીઘૂંટીમાં આ શાળા આજે પણ ફસાયેલી જોવા મળે છે. ગ્રામ પંચાયત દ્વારા ગામતળની 10 હજાર મીટર જમીન શાળા બનાવવા માટે જિલ્લા કલેકટર નીચે મૂકવામાં આવી છે, ત્યારબાદથી લઈને અત્યાર સુધીના 13 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો હોવા છતાં પણ શાળાના નિર્માણ માટે એક કાંકરી સુધ્ધા પણ મૂકવામાં આવી નથી. જેને કારણે સરપંચ હવે ગામમાં શાળાનું નવું ભવન બને તે માટે સરકાર સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા (ETV Bharat Gujarat)

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ: સૈયદ રાજપરા ગામની માધ્યમિક શાળામાં છ શિક્ષક અને એક પટાવાળા મળીને વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બનાવવા માટે કુલ 68 લાખ 77 હજારની ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે. જે પૈકી 26 લાખ 44 હજારની ફાળવણી પણ શાળાના નવા મકાન બનાવવા માટે કરવામાં આવી છે. તેમ છતાં 13 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પરંતુ શાળાનું મકાન હજી મામાના ઘર જેટલું દૂર જોવા મળે છે, જેને કારણે માછીમાર પરિવારોના 230 જેટલા બાળકો માધ્યમિક શિક્ષણ મેળવવા માટે દરદર ભટકી રહ્યા છે.

ગામના સરપંચે સરકાર સમક્ષ રજૂઆત કરી
ગામના સરપંચે સરકાર સમક્ષ રજૂઆત કરી (ETV Bharat Gujarat)
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા (ETV Bharat Gujarat)

શિક્ષણ વિભાગના અધિકારીઓના ફોન મૂંગા મંતર: સૈયદ રાજપરા ગામની માધ્યમિક શાળાના નવા ભવનને લઈને etv ભારતે જિલ્લા શિક્ષણ અધિકારી પટેલનો ટેલીફોનિક સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષણ અધિકારીએ ફોન ઉપાડવા સુધીની તસ્દી લીધી નથી. અધિકારીઓ ફોન ઉપાડવા સુધી મહેનત કરતા નથી, ત્યારે શાળાનું નવું ભવન માછીમાર પરિવારોના બાળકોના નસીબમાં ક્યારે આવશે? તે પણ એક મોટો સવાલ છે. રાજ્યના શિક્ષણ પ્રધાન શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણની ખૂબ મોટી વાતો કરે છે. મુખ્ય પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. પરંતુ 230 જેટલા માધ્યમિક શાળાના બાળકો આજે શાળાના ભવન વગર અભ્યાસ માટે દરદર ભટકી રહ્યા છે.

  1. 'શું ડૉક્ટર બનવાનો હક માત્ર અમીરોનો જ છે' ? મેડિકલ કોલેજમાં થયેલ ફી વધારા સામે સુરતમાં વિદ્યાર્થી-વાલીઓનો વિરોધ - fee hike in medical college
  2. વલસાડમાં આવેલ આંગણવાડી કેન્દ્રોની કોઈને ચિંતા નહીં, કારણ જાણીને ચોકી જશો - Anganwadi problem in Valsad

રાજપરા ગામના બાળકોને હજુ સુધી શિક્ષણ મેળવવા કરવો પડે છે સંઘર્ષ (ETV Bharat Gujarat)

જૂનાગઢ: ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં શિક્ષણની ઉલટી વ્યવસ્થા જોવા મળી છે. આજે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શાળાનું વૈભવી ભવન જોવા મળે છે. પરંતુ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં શિક્ષણની જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તેવા ચિંતા જનક દ્રશ્યો સામે આવ્યા છે. માછીમાર પરિવારોની વસ્તી ધરાવતું સૈયદ રાજપરા ગામ અહીં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી માધ્યમિક શાળામાં 230 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરી રહ્યા છે.

રાજપરા ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાટે ભટકવું પડે છે
રાજપરા ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાટે ભટકવું પડે છે (ETV Bharat Gujarat)

પરંતુ ખાટલે મોટી ખોટ સમાન વર્ષ 2011થી આજ દિન સુધી શાળાનું ભવન નહીં બનતા વિદ્યાર્થીઓ દરદર ભટકીને શિક્ષણનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યા છે. હાલ ગામમાં બનાવવામાં આવેલા પૂર અસરગ્રસ્ત માટેના નિવાસ્થાન એવા સેલ્ટર હાઉસમાં ગામના સરપંચ ભરત કામળીયાએ વિદ્યાર્થીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે હંગામી ધોરણે શાળા ઉભી કરી છે, જેમાં બાળકો ધોરણ 9 અને 10નો અભ્યાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા (ETV Bharat Gujarat)

વર્ષ 2011માં શાળાને મળી મંજૂરી: રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2011માં દરિયાઈ વિસ્તારમાં અને ખાસ કરીને જ્યાં માછીમાર પરિવારની વસ્તી હોય અને પરિવારના મોટા ભાગના સદસ્યો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હોય આવા ગામમાં RMSA યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની શાળા શરૂ કરવામાં આવી હતી. 2011થી લઈને 2024 સુધી સરકારી મંજૂરી અને નિયમોની આંટીઘૂંટીમાં આ શાળા આજે પણ ફસાયેલી જોવા મળે છે. ગ્રામ પંચાયત દ્વારા ગામતળની 10 હજાર મીટર જમીન શાળા બનાવવા માટે જિલ્લા કલેકટર નીચે મૂકવામાં આવી છે, ત્યારબાદથી લઈને અત્યાર સુધીના 13 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો હોવા છતાં પણ શાળાના નિર્માણ માટે એક કાંકરી સુધ્ધા પણ મૂકવામાં આવી નથી. જેને કારણે સરપંચ હવે ગામમાં શાળાનું નવું ભવન બને તે માટે સરકાર સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા (ETV Bharat Gujarat)

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ: સૈયદ રાજપરા ગામની માધ્યમિક શાળામાં છ શિક્ષક અને એક પટાવાળા મળીને વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બનાવવા માટે કુલ 68 લાખ 77 હજારની ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે. જે પૈકી 26 લાખ 44 હજારની ફાળવણી પણ શાળાના નવા મકાન બનાવવા માટે કરવામાં આવી છે. તેમ છતાં 13 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પરંતુ શાળાનું મકાન હજી મામાના ઘર જેટલું દૂર જોવા મળે છે, જેને કારણે માછીમાર પરિવારોના 230 જેટલા બાળકો માધ્યમિક શિક્ષણ મેળવવા માટે દરદર ભટકી રહ્યા છે.

ગામના સરપંચે સરકાર સમક્ષ રજૂઆત કરી
ગામના સરપંચે સરકાર સમક્ષ રજૂઆત કરી (ETV Bharat Gujarat)
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા
વિદ્યાર્થીઓ પુર રાહત માટે બનાવાયેલા સેલ્ટર હાઉસમાં અભ્યાસ કરી રહ્યા (ETV Bharat Gujarat)

શિક્ષણ વિભાગના અધિકારીઓના ફોન મૂંગા મંતર: સૈયદ રાજપરા ગામની માધ્યમિક શાળાના નવા ભવનને લઈને etv ભારતે જિલ્લા શિક્ષણ અધિકારી પટેલનો ટેલીફોનિક સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષણ અધિકારીએ ફોન ઉપાડવા સુધીની તસ્દી લીધી નથી. અધિકારીઓ ફોન ઉપાડવા સુધી મહેનત કરતા નથી, ત્યારે શાળાનું નવું ભવન માછીમાર પરિવારોના બાળકોના નસીબમાં ક્યારે આવશે? તે પણ એક મોટો સવાલ છે. રાજ્યના શિક્ષણ પ્રધાન શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણની ખૂબ મોટી વાતો કરે છે. મુખ્ય પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. પરંતુ 230 જેટલા માધ્યમિક શાળાના બાળકો આજે શાળાના ભવન વગર અભ્યાસ માટે દરદર ભટકી રહ્યા છે.

  1. 'શું ડૉક્ટર બનવાનો હક માત્ર અમીરોનો જ છે' ? મેડિકલ કોલેજમાં થયેલ ફી વધારા સામે સુરતમાં વિદ્યાર્થી-વાલીઓનો વિરોધ - fee hike in medical college
  2. વલસાડમાં આવેલ આંગણવાડી કેન્દ્રોની કોઈને ચિંતા નહીં, કારણ જાણીને ચોકી જશો - Anganwadi problem in Valsad
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.