ETV Bharat / state

પારસીઓની અનોખી પરંપરા, મેઘરાજાને રીઝવવા પવિત્ર મહિના બહેમનમાં ઘી-ખીચડીનું સામૂહિક ભોજન કરાય છે - Navsari News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 6:44 PM IST

Updated : Jun 12, 2024, 10:06 PM IST

આ દિવસોમાં નવસારીનો પારસી સમાજ અનોખી પરંપરા પાળે છે. જેમાં વરસાદની રીઝવવા માટે પારસી સમાજના યુવાનો દ્વારા પારંપરીક ગીતો ગાવામાં આવે છે. તેમજ ચોખા, દાળ, તેલ અને ઘી જેવી વસ્તુઓ પારસીઓના ઘરેથી ઉઘરાવવામાં આવે છે. પારસી લોકો આ સામાનમાંથી ખીચડી બનાવી સામૂહિક ભોજન લઈ વિશ્વ કલ્યાણ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે છે. Navsari News Parasi Community Baman Month For Good Rain Mass meal Khichadi

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

નવસારીઃ ભારતમાં કુદરતને રીઝવવાની દરેક ધર્મની અનોખી પરંપરા સૈકાઓથી ચાલી આવે છે . નવસારીના પારસી સમાજમાં પણ પવિત્ર બહેમન મહિનાના રોઝ દિન ની ઉજવણી આનંદ-ઉલ્લાસ ભેર કરવામાં આવે છે. વરસાદને રીઝવવાની અનોખી પરંપરાની ઉજવણી પારસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.

વરસાદને રીઝવવાની પરંપરાઃ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર ગણાય છે . આ માસમાં પારસીઓ માત્ર શાકાહારી ભોજન કરે છે . આ માસમાં પારસીઓ પોતાના પૂર્વજોની પૂજા કરે છે. બહેમન માસમાં રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે. આ દિવસે પારસી સમાજના યુવાનો વરસાદને રીઝવવા અનોખી પરંપરાની ઉજવણી કરે છે.

ખીચડીનું સામુહિક ભોજનઃ નવસારીમાં વસતા પારસી સમાજે વર્ષ 1959માં આવેલ દુકાળમાં વરસાદને રીઝવવા આ પરંપરાની શરુઆત કરી હતી. જેમાં ઘી-ખીચડીના સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે. પારસી સમાજના યુવાનો પારસીઓ ઘરે ઘરે ફરી દાળ, ચોખા, ઘી, અને તેલનું ઉઘરાણું કરે છે. તેથી આ દિવસને ઘી-ખીચડીના દિવસ તરીકે પણ ઓળખાય છે . વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત "ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજીતો આયેગા"નું ગીત પણ ગાવામાં આવે છે.

જગત કલ્યાણની ભાવનાઃ પારસી અગ્રણી બોમી જાગીરદાર જણાવે છે કે, બહેમન માસ એ પારસી સમાજનો ખૂબ પવિત્ર મહિનો છે. સમગ્ર મહિના દરમિયાન પારસી સમાજ નોનવેજનો ત્યાગ કરી પવિત્રતા જાળવે છે. આ મહિના દરમિયાન પારસી પરંપરા પ્રમાણે સૌ યુવાનો ભેગા થઈ ગીત ગાય ખીચડી બનાવવા માટેનો સામાન પારસી મોહલ્લામાંથી ઉઘરાવે છે. સામુહિક ભોજન કરી પોતાના પૂર્વજોને યાદ કરી જગત કલ્યાણ માટેની અને સારા વરસાદ માટેની પ્રાર્થનાઓ કરે છે.

  1. Navsari News: વરસાદને રીઝવવા પારસી સમાજની અનોખી પ્રથા
  2. પારસી સમુદાયએ નવા વર્ષની ઉજવણી કરી કંઇક આવી રીતે

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

નવસારીઃ ભારતમાં કુદરતને રીઝવવાની દરેક ધર્મની અનોખી પરંપરા સૈકાઓથી ચાલી આવે છે . નવસારીના પારસી સમાજમાં પણ પવિત્ર બહેમન મહિનાના રોઝ દિન ની ઉજવણી આનંદ-ઉલ્લાસ ભેર કરવામાં આવે છે. વરસાદને રીઝવવાની અનોખી પરંપરાની ઉજવણી પારસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.

વરસાદને રીઝવવાની પરંપરાઃ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર ગણાય છે . આ માસમાં પારસીઓ માત્ર શાકાહારી ભોજન કરે છે . આ માસમાં પારસીઓ પોતાના પૂર્વજોની પૂજા કરે છે. બહેમન માસમાં રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે. આ દિવસે પારસી સમાજના યુવાનો વરસાદને રીઝવવા અનોખી પરંપરાની ઉજવણી કરે છે.

ખીચડીનું સામુહિક ભોજનઃ નવસારીમાં વસતા પારસી સમાજે વર્ષ 1959માં આવેલ દુકાળમાં વરસાદને રીઝવવા આ પરંપરાની શરુઆત કરી હતી. જેમાં ઘી-ખીચડીના સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે. પારસી સમાજના યુવાનો પારસીઓ ઘરે ઘરે ફરી દાળ, ચોખા, ઘી, અને તેલનું ઉઘરાણું કરે છે. તેથી આ દિવસને ઘી-ખીચડીના દિવસ તરીકે પણ ઓળખાય છે . વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત "ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજીતો આયેગા"નું ગીત પણ ગાવામાં આવે છે.

જગત કલ્યાણની ભાવનાઃ પારસી અગ્રણી બોમી જાગીરદાર જણાવે છે કે, બહેમન માસ એ પારસી સમાજનો ખૂબ પવિત્ર મહિનો છે. સમગ્ર મહિના દરમિયાન પારસી સમાજ નોનવેજનો ત્યાગ કરી પવિત્રતા જાળવે છે. આ મહિના દરમિયાન પારસી પરંપરા પ્રમાણે સૌ યુવાનો ભેગા થઈ ગીત ગાય ખીચડી બનાવવા માટેનો સામાન પારસી મોહલ્લામાંથી ઉઘરાવે છે. સામુહિક ભોજન કરી પોતાના પૂર્વજોને યાદ કરી જગત કલ્યાણ માટેની અને સારા વરસાદ માટેની પ્રાર્થનાઓ કરે છે.

  1. Navsari News: વરસાદને રીઝવવા પારસી સમાજની અનોખી પ્રથા
  2. પારસી સમુદાયએ નવા વર્ષની ઉજવણી કરી કંઇક આવી રીતે
Last Updated : Jun 12, 2024, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.