ETV Bharat / state

નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું, સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ... - Ban on broker in government offices

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 7:55 PM IST

સુરતના જમીનકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં વચ્ચેટિયા અને દલાલોની સામે સરકાર કડકાઈથી પગલા લઈ રહી છે. નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને સરકારી કચેરીઓમાં વચેટિયા અને દલાલો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જાણો સમગ્ર માહિતી..., Ban on brokers in government offices

નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું
નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું (ETV Bharat Gujarat)

નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું (ETV Bharat Gujarat)

નવસારી: સુરતમાં જમીનકાંડ પ્રકરણમાં સનદી અધિકારીને સસ્પેન્ડ કરવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં જમીન તેમજ દસ્તાવેજોને લગતી કામગીરીમાં સરકારી કચેરીઓમાં વચેટિયાગીરીને નાથવાનો નવસારી જિલ્લા કલેકટરે પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં વચેટીયા અને દલાલોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અરજદારો સીધા જ લાગતા વળગતા અધિકારીને મળી શકે અને સમસ્યાનું નિવારણ લાવી શકે તેના માટેની અપીલ પણ કરવામાં આવી છે.

સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ
સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ (ETV Bharat Gujarat)

દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લાઓમાં જમીનકાંડ મોટાપાયે થાય છે, અને જેના કારણે સરકારી કચેરીઓમાં પડ્યા પાથર્યા રહેતા જમીન દલાલો અને વધી રહેલી સંખ્યાને પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાથે સાથે જમીનને લગતી કામગીરીમાં સંકળાયેલા આઉટસોર્સિંગ કેટલાક કર્મચારીઓને પણ છુટા કરવામાં આવ્યા છે.

સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ
સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ (ETV Bharat Gujarat)

અધિક કલેકટર કેતન જોશી એ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં અરજદારોને અને લોભ લાલચ અને પ્રલોભન આપીને સરકારી કચેરીઓમાં કામ કરાવી આપીશું ના નામે પૈસા પડાવી લેવાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવે તે પહેલા લોક જાગૃતિના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વચેટીયાને સરકારી કચેરીઓમાં આવવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અરજદાર પોતાના કામ માટે કલેકટર શ્રીને સોમવાર અને ગુરુવાર દરમિયાન રૂબરૂ મળી શકશે. અને તેઓની અવેજીમાં નાયબ નિવાસી કલેકટરને પોતાના કામ માટે મળી શકે છે. અરજદાર સીધો સંપર્ક કરી શકે છે. જો તેઓનું કોઈ કામ અટકતું હોય તો સંબંધિત અધિકારી સીધો સંપર્ક કરે. વચેટીયા અને દલાલો નાબૂદ થાય તે માટે આ જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.

  1. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ, સંપુર્ણ રુટને CCTV કેમેરાથી કરાશે સજ્જ - THE ROUTE OF THE RATH YATRA
  2. કોણ બનશે... ગુજરાત ભાજપના "કેપ્ટન", જાણો કયો ચહેરો સૌથી આગળ - executive meeting of the state BJP

નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું (ETV Bharat Gujarat)

નવસારી: સુરતમાં જમીનકાંડ પ્રકરણમાં સનદી અધિકારીને સસ્પેન્ડ કરવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં જમીન તેમજ દસ્તાવેજોને લગતી કામગીરીમાં સરકારી કચેરીઓમાં વચેટિયાગીરીને નાથવાનો નવસારી જિલ્લા કલેકટરે પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં વચેટીયા અને દલાલોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અરજદારો સીધા જ લાગતા વળગતા અધિકારીને મળી શકે અને સમસ્યાનું નિવારણ લાવી શકે તેના માટેની અપીલ પણ કરવામાં આવી છે.

સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ
સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ (ETV Bharat Gujarat)

દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લાઓમાં જમીનકાંડ મોટાપાયે થાય છે, અને જેના કારણે સરકારી કચેરીઓમાં પડ્યા પાથર્યા રહેતા જમીન દલાલો અને વધી રહેલી સંખ્યાને પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાથે સાથે જમીનને લગતી કામગીરીમાં સંકળાયેલા આઉટસોર્સિંગ કેટલાક કર્મચારીઓને પણ છુટા કરવામાં આવ્યા છે.

સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ
સરકારી કચેરીઓમાં વચેટીયા પર પ્રતિબંધ (ETV Bharat Gujarat)

અધિક કલેકટર કેતન જોશી એ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં અરજદારોને અને લોભ લાલચ અને પ્રલોભન આપીને સરકારી કચેરીઓમાં કામ કરાવી આપીશું ના નામે પૈસા પડાવી લેવાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવે તે પહેલા લોક જાગૃતિના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વચેટીયાને સરકારી કચેરીઓમાં આવવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અરજદાર પોતાના કામ માટે કલેકટર શ્રીને સોમવાર અને ગુરુવાર દરમિયાન રૂબરૂ મળી શકશે. અને તેઓની અવેજીમાં નાયબ નિવાસી કલેકટરને પોતાના કામ માટે મળી શકે છે. અરજદાર સીધો સંપર્ક કરી શકે છે. જો તેઓનું કોઈ કામ અટકતું હોય તો સંબંધિત અધિકારી સીધો સંપર્ક કરે. વચેટીયા અને દલાલો નાબૂદ થાય તે માટે આ જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.

  1. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ, સંપુર્ણ રુટને CCTV કેમેરાથી કરાશે સજ્જ - THE ROUTE OF THE RATH YATRA
  2. કોણ બનશે... ગુજરાત ભાજપના "કેપ્ટન", જાણો કયો ચહેરો સૌથી આગળ - executive meeting of the state BJP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.