ETV Bharat / state

ભારતી આશ્રમ વિવાદ: ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય પદે તેમજ આશ્રમની તમામ પરંપરાઓમાંથી મુક્ત કર્યા - Bharti Ashram Controversy - BHARTI ASHRAM CONTROVERSY

પાછલા એકાદ વર્ષથી ભારતી આશ્રમ સરખેજ જગ્યાના સંચાલન અને ગાદીપતિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં બે દિવસ પૂર્વે ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમનો કબજો મેળવીને ભારતી આશ્રમનું સંચાલન તેમના હસ્તક લઈ લીધું હતું. ત્યારે હરીહરાનંદ ભારતીએ તેમના શિષ્યોને આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી દીધા છે., Mahant Hariharananda Bharti

ભારતી આશ્રમ
ભારતી આશ્રમ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2024, 3:57 PM IST

અમદાવાદ: ભારતી આશ્રમમાં પાછલા એકાદ વર્ષથી સરખેજ આશ્રમને લઈને સંચાલક ઋષિ ભારતી અને સમગ્ર ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં બે દિવસ પૂર્વે ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમનો કબજો મેળવીને ભારતી આશ્રમનું સંચાલન તેમના હસ્તક લઈ લીધું હતું.

ભારતી આશ્રમ વિવાદ
ભારતી આશ્રમ વિવાદ (ETV Bharat Gujarat)

ત્યારે ગઈ કાલે સમગ્ર ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરીહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી દીધા છે.

મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી
મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી (ETV Bharat Gujarat)

ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો વિવાદ: ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો વિવાદ ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ સામે આવ્યો હતો. તે પૂર્વે ઋષિ ભારતી હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં 14 મી ફેબ્રુઆરી 2020 ના રોજ વિધિવત રીતે સંન્યાસ ધારણ કરીને ભારતી આશ્રમની સંન્યાસી પરંપરામાં જોડાયા હતા.

વિશ્વેશ્વરી ભારતી (માતાજી)
વિશ્વેશ્વરી ભારતી (માતાજી) (ETV Bharat Gujarat)

ભારતી આશ્રમની પરંપરામાં જોડાયા પૂર્વે ઋષિ ભારતીનું નામ રવજી ભગત હતું. ભારતી આશ્રમમાં સમાવેશ થયા બાદ ગુરુ તરીકે હરીહરાનંદ ભારતીએ રવજી ભગતને ઋષિ ભારતી તરીકેનું સંન્યાસી નામ ધારણ કરાવ્યુ હતુ. તેવી જ રીતે વિશ્વેશ્વરી ભારતી માતાજી વર્ષ 2019 માં આયોજિત અલ્હાબાદના કુંભ મેળામાં ભારતી આશ્રમની પરંપરામાં જોડાયા હતા. તે પૂર્વે તેમનું નામ વિલાસબેન હતુ.

ઋષિ ભારતી
ઋષિ ભારતી (ETV Bharat Gujarat)

તમામ પરંપરાઓમાંથી મુક્ત: હરિહરાનંદ ભારતીએ વિલાસબેનને ભારતી આશ્રમની પરંપરા અનુસાર સંન્યાસ અપાવીને આશ્રમની પરંપરા અનુસાર તેમને નવું નામ વિશ્વેશ્વરી ભારતી માતાજી અપાવ્યું હતું વિવાદ બાદ હવે તેમના ગુરુ અને ભારતી આશ્રમના વર્તમાન મહંત અને મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય પદેથી અને ભારતી આશ્રમની તમામ પરંપરાઓમાંથી મુક્ત કરી દીધા છે.

  1. ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું નિધન, સાહિત્યજગતના એક યુગનો અંત - writer makarand mehta passed away

અમદાવાદ: ભારતી આશ્રમમાં પાછલા એકાદ વર્ષથી સરખેજ આશ્રમને લઈને સંચાલક ઋષિ ભારતી અને સમગ્ર ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં બે દિવસ પૂર્વે ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમનો કબજો મેળવીને ભારતી આશ્રમનું સંચાલન તેમના હસ્તક લઈ લીધું હતું.

ભારતી આશ્રમ વિવાદ
ભારતી આશ્રમ વિવાદ (ETV Bharat Gujarat)

ત્યારે ગઈ કાલે સમગ્ર ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરીહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી દીધા છે.

મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી
મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી (ETV Bharat Gujarat)

ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો વિવાદ: ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો વિવાદ ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ સામે આવ્યો હતો. તે પૂર્વે ઋષિ ભારતી હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં 14 મી ફેબ્રુઆરી 2020 ના રોજ વિધિવત રીતે સંન્યાસ ધારણ કરીને ભારતી આશ્રમની સંન્યાસી પરંપરામાં જોડાયા હતા.

વિશ્વેશ્વરી ભારતી (માતાજી)
વિશ્વેશ્વરી ભારતી (માતાજી) (ETV Bharat Gujarat)

ભારતી આશ્રમની પરંપરામાં જોડાયા પૂર્વે ઋષિ ભારતીનું નામ રવજી ભગત હતું. ભારતી આશ્રમમાં સમાવેશ થયા બાદ ગુરુ તરીકે હરીહરાનંદ ભારતીએ રવજી ભગતને ઋષિ ભારતી તરીકેનું સંન્યાસી નામ ધારણ કરાવ્યુ હતુ. તેવી જ રીતે વિશ્વેશ્વરી ભારતી માતાજી વર્ષ 2019 માં આયોજિત અલ્હાબાદના કુંભ મેળામાં ભારતી આશ્રમની પરંપરામાં જોડાયા હતા. તે પૂર્વે તેમનું નામ વિલાસબેન હતુ.

ઋષિ ભારતી
ઋષિ ભારતી (ETV Bharat Gujarat)

તમામ પરંપરાઓમાંથી મુક્ત: હરિહરાનંદ ભારતીએ વિલાસબેનને ભારતી આશ્રમની પરંપરા અનુસાર સંન્યાસ અપાવીને આશ્રમની પરંપરા અનુસાર તેમને નવું નામ વિશ્વેશ્વરી ભારતી માતાજી અપાવ્યું હતું વિવાદ બાદ હવે તેમના ગુરુ અને ભારતી આશ્રમના વર્તમાન મહંત અને મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય પદેથી અને ભારતી આશ્રમની તમામ પરંપરાઓમાંથી મુક્ત કરી દીધા છે.

  1. ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું નિધન, સાહિત્યજગતના એક યુગનો અંત - writer makarand mehta passed away
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.