ETV Bharat / state

જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરીનો છે અનેરો ઈતિહાસ જાણો - navaratri 2024

જૂનાગઢમાં ગિરનારની તળેટી સ્થિત અને આજથી 800 વર્ષ કરતાં પણ પૂર્વે સ્વયંમ પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજીના દર્શન નવરાત્રિના દિવસોમાં માઇ ભક્તો કરી રહ્યા છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરી
જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરી (ETV Bharat Gujarat)

જૂનાગઢ: જૂનાગઢમાં ગિરનારની તળેટી સ્થિત અને આજથી 800 વર્ષ કરતાં પણ પૂર્વે સ્વયંમ પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજીના દર્શન નવરાત્રિના દિવસોમાં માઇ ભક્તો કરી રહ્યા છે. વાઘેશ્વરી માતાને જુનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવી રહ્યા છે. નવાબના સમયમાં તેમના દ્વારા મુગટ અને છત્તર પણ માતાજીને અર્પણ કરાયું હતું. જેને કારણે પણ વાઘેશ્વરી માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ જૂનાગઢમાં પૂજાય રહ્યા છે.

નવરાત્રિમાં કરો વાઘેશ્વરી માતાના દર્શન: નવરાત્રી ચાલી રહી છે. આવા સમયે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્વયં પ્રાગટ્ય થયેલા મા વાઘેશ્વરી માઈ ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવી રહ્યા છે. જેને કારણે વાઘેશ્વરી માતાજીને જૂનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવે છે. વાઘેશ્વરી માતાનું મંદિર આજથી 800 વર્ષ પૂર્વે સ્વયં પ્રગટ થયું હોવાની પણ ધાર્મિક લોક વાયકા છે. માતાજીના તળેટી પર પ્રાગટ્ય થવાને લઈને તેમની સાથે ધાર્મિક પરંપરા જોડાયેલી છે.

જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરી (ETV Bharat Gujarat)

800 વર્ષ પૂર્વે માતાજી આ જગ્યા પર સ્થિર થયા: ગિરનાર પર્વત પર મા વાઘેશ્વરીનું સ્થાનક હતુ. પરંતુ તેમના ભક્તની અનન્ય ભક્તિને લઈને માતાજી પ્રગટ થયા અને ભક્તની ઈચ્છા અનુસાર માતાજી તળેટીમાં તેમના ઘરે પ્રસ્થાન કરે તેવી વિનંતીને લઈને માતાજી પર્વત પરથી નીચે પધાર્યા હતા. પરંતુ માતાજીએ આપેલું વચન માઈ ભક્ત દ્વારા પૂર્ણ ન થતા જે જગ્યા પર આજે વાઘેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં માતાજી સ્થિર થયા અને આજથી 800 વર્ષ પૂર્વે અહીં જ જૂનાગઢના નગરદેવી તરીકે વાઘેશ્વરી માતાજી માઇ ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરે છે.

વાઘેશ્વરી માતાજીનું મંદિર
વાઘેશ્વરી માતાજીનું મંદિર (ETV Bharat Gujarat)

નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા: જૂનાગઢના નવાબી શાસન દરમિયાન જૂનાગઢના અંતિમ નવાબ પણ વાઘેશ્વરી માતામાં ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હતા. નવાબ દ્વારા જે તે સમયે મંદિરમાં આર્થિક અનુદાન આપવાની સાથે માતાજી પર મુગટ અને છત્તરને પણ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. આ આભૂષણ આજે પણ વાઘેશ્વરી માતાના મંદિરમાં જોવા મળે છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવાબ માતાજીના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે આવતા હોવાની પણ લોક વાયકા આજે જોવા મળે છે. તો બીજી તરફ જુનાગઢના સોલંકી અને રામ નવઘણ વંશના શાસન દરમિયાન પણ તેમનો પરિવાર માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અચૂક પણે આવતો હતો.

મા અંબા
મા અંબા (ETV Bharat Gujarat)
મા વાઘેશ્વરી
મા વાઘેશ્વરી (ETV Bharat Gujarat)

શારદીય નવરાત્રિમાં ધાર્મિક આયોજન: શારદીયા નવરાત્રિમાં વાઘેશ્વરી માતાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. માતાજીને દરરોજ નવા શણગારની સાથે આભૂષણોથી ઔલોકિક શણગાર કરવામાં આવે છે અને નવ દિવસ દરમિયાન ત્રણ આરતી અને સનાતન ધર્મની સાથે જોડાયેલા ચંડીપાઠ અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. જેના દર્શન અને પૂજનનો લાભ લઈને માઇ ભક્તો નવરાત્રિ દરમિયાન મા વાઘેશ્વરીના આશીર્વાદ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી મનોકામના કરતા હોય છે.

આ પણ વાંચો:

  1. નવરાત્રિના બીજા દિવસ: જાણો માતા બ્રહ્મચારિણીની પૂજા પદ્ધતિ વિશે - WORSHIP MAA BRAHMACHARINI
  2. દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ: વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી - Navratri 2024

જૂનાગઢ: જૂનાગઢમાં ગિરનારની તળેટી સ્થિત અને આજથી 800 વર્ષ કરતાં પણ પૂર્વે સ્વયંમ પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજીના દર્શન નવરાત્રિના દિવસોમાં માઇ ભક્તો કરી રહ્યા છે. વાઘેશ્વરી માતાને જુનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવી રહ્યા છે. નવાબના સમયમાં તેમના દ્વારા મુગટ અને છત્તર પણ માતાજીને અર્પણ કરાયું હતું. જેને કારણે પણ વાઘેશ્વરી માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ જૂનાગઢમાં પૂજાય રહ્યા છે.

નવરાત્રિમાં કરો વાઘેશ્વરી માતાના દર્શન: નવરાત્રી ચાલી રહી છે. આવા સમયે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્વયં પ્રાગટ્ય થયેલા મા વાઘેશ્વરી માઈ ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવી રહ્યા છે. જેને કારણે વાઘેશ્વરી માતાજીને જૂનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવે છે. વાઘેશ્વરી માતાનું મંદિર આજથી 800 વર્ષ પૂર્વે સ્વયં પ્રગટ થયું હોવાની પણ ધાર્મિક લોક વાયકા છે. માતાજીના તળેટી પર પ્રાગટ્ય થવાને લઈને તેમની સાથે ધાર્મિક પરંપરા જોડાયેલી છે.

જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરી (ETV Bharat Gujarat)

800 વર્ષ પૂર્વે માતાજી આ જગ્યા પર સ્થિર થયા: ગિરનાર પર્વત પર મા વાઘેશ્વરીનું સ્થાનક હતુ. પરંતુ તેમના ભક્તની અનન્ય ભક્તિને લઈને માતાજી પ્રગટ થયા અને ભક્તની ઈચ્છા અનુસાર માતાજી તળેટીમાં તેમના ઘરે પ્રસ્થાન કરે તેવી વિનંતીને લઈને માતાજી પર્વત પરથી નીચે પધાર્યા હતા. પરંતુ માતાજીએ આપેલું વચન માઈ ભક્ત દ્વારા પૂર્ણ ન થતા જે જગ્યા પર આજે વાઘેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં માતાજી સ્થિર થયા અને આજથી 800 વર્ષ પૂર્વે અહીં જ જૂનાગઢના નગરદેવી તરીકે વાઘેશ્વરી માતાજી માઇ ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરે છે.

વાઘેશ્વરી માતાજીનું મંદિર
વાઘેશ્વરી માતાજીનું મંદિર (ETV Bharat Gujarat)

નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા: જૂનાગઢના નવાબી શાસન દરમિયાન જૂનાગઢના અંતિમ નવાબ પણ વાઘેશ્વરી માતામાં ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હતા. નવાબ દ્વારા જે તે સમયે મંદિરમાં આર્થિક અનુદાન આપવાની સાથે માતાજી પર મુગટ અને છત્તરને પણ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. આ આભૂષણ આજે પણ વાઘેશ્વરી માતાના મંદિરમાં જોવા મળે છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવાબ માતાજીના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે આવતા હોવાની પણ લોક વાયકા આજે જોવા મળે છે. તો બીજી તરફ જુનાગઢના સોલંકી અને રામ નવઘણ વંશના શાસન દરમિયાન પણ તેમનો પરિવાર માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અચૂક પણે આવતો હતો.

મા અંબા
મા અંબા (ETV Bharat Gujarat)
મા વાઘેશ્વરી
મા વાઘેશ્વરી (ETV Bharat Gujarat)

શારદીય નવરાત્રિમાં ધાર્મિક આયોજન: શારદીયા નવરાત્રિમાં વાઘેશ્વરી માતાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. માતાજીને દરરોજ નવા શણગારની સાથે આભૂષણોથી ઔલોકિક શણગાર કરવામાં આવે છે અને નવ દિવસ દરમિયાન ત્રણ આરતી અને સનાતન ધર્મની સાથે જોડાયેલા ચંડીપાઠ અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. જેના દર્શન અને પૂજનનો લાભ લઈને માઇ ભક્તો નવરાત્રિ દરમિયાન મા વાઘેશ્વરીના આશીર્વાદ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી મનોકામના કરતા હોય છે.

આ પણ વાંચો:

  1. નવરાત્રિના બીજા દિવસ: જાણો માતા બ્રહ્મચારિણીની પૂજા પદ્ધતિ વિશે - WORSHIP MAA BRAHMACHARINI
  2. દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ: વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી - Navratri 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.