ETV Bharat / state

જામનગર: રતન ટાટાને જામ સાહેબ દ્વારા આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ

ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા જામ સાહેબ દ્વારા તેમને એક દિવ્ય શક્તિ તરીકે પણ ઓળખાવ્યા હતા. - Ratan Tata and Jam Sahib

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 4:01 PM IST

રતન ટાટાને જામ સાહેબ દ્વારા આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ
રતન ટાટાને જામ સાહેબ દ્વારા આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)

જામનગર: જામનગરના જામ સાહેબ દ્વારા ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમણે આ ઘડીને દુઃખની ઘડી કહેતા તેમણે રતન ટાટાને એક દિવ્ય શક્તિ તરીકે પણ ઉલ્લેખ્યા હતા. તો આવો જાણીએ તેમણે શું કહ્યું...

રતન ટાટાની વિદાય એ માત્ર તેમના પરિવારજનો અને પરિચિતો માટે જ નહીં પણ સમગ્ર રાષ્ટ્ર માટે કપરા દુઃખની ઘડી છે.તેમની વિદાય રાષ્ટ્ર માટે ન પૂરી શકાય તેવી ખોટ છે. તેઓ પ્રશંસનીય પ્રગતિને સિદ્ધ કરનારા વિરાટ વ્યક્તિત્વ અને મહાન ઉદ્યોગપતિ હતા. સત્તા વિના પણ સેવાના ભાવને સાર્થક કરવાની ઈચ્છા રાખનાર મારા જેવા વ્યક્તિઓ માટે તેઓ પ્રેરણાદાયી હતા. જીવનમાં મારા જેવા જેને અનુસરી શકે તેનું ખૂબ સારું અને સમર્થ ઉદાહરણ તેઓ હતા ; કે જે બાબત ખૂબ પ્રયાસ માંગી લે તેવી અને અકલ્પનીય હતી તેમ છતાં ઘણા લોકોને સેવાના માર્ગે દોરનારી હતી. રાષ્ટ્ર તે દિવ્ય શક્તિને હંમેશા યાદ કરે.

પરોપકારી પ્રવૃત્તિમય જીવનથી દિવ્ય નિવૃત્તિ તરફ સફર કરનારા તે અલૌકિક આત્માને ઈશ્વર શાંતિ આપે.

મહારાજા જામસાહેબ ઓફ નવાનગર

  1. નવરાત્રીમાં દશાંગ યજ્ઞનું મહત્વ, જાણો નવરાત્રીના નવ દિવસની સાધના અને આરાધના
  2. રડતા-રડતા ખેડૂતે કહ્યું, "સંઘવી સાહેબના પગ પકડવા તૈયાર છીએ", જાણો બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યા અને માંગ

જામનગર: જામનગરના જામ સાહેબ દ્વારા ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમણે આ ઘડીને દુઃખની ઘડી કહેતા તેમણે રતન ટાટાને એક દિવ્ય શક્તિ તરીકે પણ ઉલ્લેખ્યા હતા. તો આવો જાણીએ તેમણે શું કહ્યું...

રતન ટાટાની વિદાય એ માત્ર તેમના પરિવારજનો અને પરિચિતો માટે જ નહીં પણ સમગ્ર રાષ્ટ્ર માટે કપરા દુઃખની ઘડી છે.તેમની વિદાય રાષ્ટ્ર માટે ન પૂરી શકાય તેવી ખોટ છે. તેઓ પ્રશંસનીય પ્રગતિને સિદ્ધ કરનારા વિરાટ વ્યક્તિત્વ અને મહાન ઉદ્યોગપતિ હતા. સત્તા વિના પણ સેવાના ભાવને સાર્થક કરવાની ઈચ્છા રાખનાર મારા જેવા વ્યક્તિઓ માટે તેઓ પ્રેરણાદાયી હતા. જીવનમાં મારા જેવા જેને અનુસરી શકે તેનું ખૂબ સારું અને સમર્થ ઉદાહરણ તેઓ હતા ; કે જે બાબત ખૂબ પ્રયાસ માંગી લે તેવી અને અકલ્પનીય હતી તેમ છતાં ઘણા લોકોને સેવાના માર્ગે દોરનારી હતી. રાષ્ટ્ર તે દિવ્ય શક્તિને હંમેશા યાદ કરે.

પરોપકારી પ્રવૃત્તિમય જીવનથી દિવ્ય નિવૃત્તિ તરફ સફર કરનારા તે અલૌકિક આત્માને ઈશ્વર શાંતિ આપે.

મહારાજા જામસાહેબ ઓફ નવાનગર

  1. નવરાત્રીમાં દશાંગ યજ્ઞનું મહત્વ, જાણો નવરાત્રીના નવ દિવસની સાધના અને આરાધના
  2. રડતા-રડતા ખેડૂતે કહ્યું, "સંઘવી સાહેબના પગ પકડવા તૈયાર છીએ", જાણો બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યા અને માંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.