ETV Bharat / state

જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો, સવા કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો - heavy rain in junagadh

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

પાછલા ત્રણ દિવસમાં બીજી વખત જુનાગઢ ધોધમાર વરસાદમાં પાણી પાણી થયું છે. આજે સાંજના સાત વાગ્યાની આસપાસ જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. સવા કલાકના સમય દરમિયાન જુનાગઢ શહેરમાં અત્ર તત્ર સર્વત્ર નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું., heavy rain in junagadh

જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો
જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો (Etv Bharat Gujarat)

જૂનાગઢ: પાછલા ત્રણ દિવસના સમયમાં જુનાગઢ બીજી વખત પાણી પાણી થયેલું જોવા મળતું હતું. આજે દિવસ દરમિયાન તડકો અને વાતાવરણ ચોખ્ખું જોવા મળતુ હતુ, ત્યારે સાંજના 7:00 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં અચાનક જોરદાર પલટો આવ્યો અને સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. સવા કલાક જેટલા સમયમાં અતિભારે પડેલા વરસાદને કારણે જુનાગઢ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળતા હતા.

સવા કલાકમાં છ ઇંચ વરસાદ: આજે સવા કલાકમાં જ ગિરનાર પર્વત પર 6 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ભવનાથ વિસ્તારમાં બીજી વખત પાણી-પાણી થયેલું જોવા મળતું હતું. ભારતી આશ્રમ ભવનાથ મંદિર સહિત સમગ્ર ભવનાથ વિસ્તારમાં જાણે કે નદીનો પ્રવાહ ચાલ્યો જતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુનાગઢ વાસીઓને ભવનાથમાં ન જવા અને જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તેમાં સાવચેતી પૂર્વક દૂર રહેવાની અપીલ પણ લોકોને કરવામાં આવી હતી. સદનસીબે સવા કલાક જેટલા સમય બાદ વરસાદ સંપૂર્ણ પણે બંધ થઈ જતા જુનાગઢ વાસીઓએ જાણે કે હાસકારો મેળવ્યો હતો.

જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો (Etv Bharat Gujarat)

અતિભારે વરસાદને કારણે જળાશયો છલકાયા: આજે જુનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે વંથલી ઓઝત વિયર 2, વિસાવદરનો આંબાજળ, જૂનાગઢમાં આવેલો વેલિંગ્ટન ડેમ અને ભવનાથમાં આવેલ દામોદર કુંડમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળતો હતો. જેને કારણે વંથલી ઓઝત વિયર ડેમના બાર દરવાજા 1.20 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે વંથલી તાલુકાના ટીનમસ, કણજા, આખા ટીકર, પાદરડી ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ: તો બીજી તરફ વિસાવદરમાં આવેલા આંબાજળ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા ગામો જાંબુડી, સતાધાર, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, તેવી જ રીતે ઓજત 2 ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ જતા તે પણ ઓવરફ્લો થયો છે, જેને કારણે નીચાણવાળા ગામો જેમકે બાદલપરા, બેલા, રામેશ્વર, પ્રભાતપુર, મેવાસા, આણંદપુર અને ઇટારા ગામના લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ઓજત નદીના પટ્ટમાં આવેલા વંથલી તાલુકાના સુખપુર, રાયપુર, સોનારડી, ગાંઠીલા, ધણફુલીયા અને શાપુર ગામમાં પણ સાવચેતીના પગલાં લેવા લોકોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ખાડાઓથી ત્રાહિમામ ભાવનગરી: ખાડાઓેના પગલે વિપક્ષે ઠાલવ્યો રોષ, જાણો સ્થાનિકોએ શું કહ્યું - bhavnagar news
  2. વાપીમાં હાઇવે અને રેલવે સ્ટેશને ઊભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વલસાડ પોલીસે અપનાવ્યો આ આઈડિયા - TRAFFIC PROBLEM ON THE HIGHWAY

જૂનાગઢ: પાછલા ત્રણ દિવસના સમયમાં જુનાગઢ બીજી વખત પાણી પાણી થયેલું જોવા મળતું હતું. આજે દિવસ દરમિયાન તડકો અને વાતાવરણ ચોખ્ખું જોવા મળતુ હતુ, ત્યારે સાંજના 7:00 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં અચાનક જોરદાર પલટો આવ્યો અને સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. સવા કલાક જેટલા સમયમાં અતિભારે પડેલા વરસાદને કારણે જુનાગઢ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળતા હતા.

સવા કલાકમાં છ ઇંચ વરસાદ: આજે સવા કલાકમાં જ ગિરનાર પર્વત પર 6 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ભવનાથ વિસ્તારમાં બીજી વખત પાણી-પાણી થયેલું જોવા મળતું હતું. ભારતી આશ્રમ ભવનાથ મંદિર સહિત સમગ્ર ભવનાથ વિસ્તારમાં જાણે કે નદીનો પ્રવાહ ચાલ્યો જતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુનાગઢ વાસીઓને ભવનાથમાં ન જવા અને જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તેમાં સાવચેતી પૂર્વક દૂર રહેવાની અપીલ પણ લોકોને કરવામાં આવી હતી. સદનસીબે સવા કલાક જેટલા સમય બાદ વરસાદ સંપૂર્ણ પણે બંધ થઈ જતા જુનાગઢ વાસીઓએ જાણે કે હાસકારો મેળવ્યો હતો.

જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો (Etv Bharat Gujarat)

અતિભારે વરસાદને કારણે જળાશયો છલકાયા: આજે જુનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે વંથલી ઓઝત વિયર 2, વિસાવદરનો આંબાજળ, જૂનાગઢમાં આવેલો વેલિંગ્ટન ડેમ અને ભવનાથમાં આવેલ દામોદર કુંડમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળતો હતો. જેને કારણે વંથલી ઓઝત વિયર ડેમના બાર દરવાજા 1.20 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે વંથલી તાલુકાના ટીનમસ, કણજા, આખા ટીકર, પાદરડી ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ: તો બીજી તરફ વિસાવદરમાં આવેલા આંબાજળ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા ગામો જાંબુડી, સતાધાર, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, તેવી જ રીતે ઓજત 2 ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ જતા તે પણ ઓવરફ્લો થયો છે, જેને કારણે નીચાણવાળા ગામો જેમકે બાદલપરા, બેલા, રામેશ્વર, પ્રભાતપુર, મેવાસા, આણંદપુર અને ઇટારા ગામના લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ઓજત નદીના પટ્ટમાં આવેલા વંથલી તાલુકાના સુખપુર, રાયપુર, સોનારડી, ગાંઠીલા, ધણફુલીયા અને શાપુર ગામમાં પણ સાવચેતીના પગલાં લેવા લોકોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ખાડાઓથી ત્રાહિમામ ભાવનગરી: ખાડાઓેના પગલે વિપક્ષે ઠાલવ્યો રોષ, જાણો સ્થાનિકોએ શું કહ્યું - bhavnagar news
  2. વાપીમાં હાઇવે અને રેલવે સ્ટેશને ઊભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વલસાડ પોલીસે અપનાવ્યો આ આઈડિયા - TRAFFIC PROBLEM ON THE HIGHWAY
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.