સુરત: સુરત જિલ્લામાં ગતરોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.જેને લઇને જન જીવન પ્રભાવિત થયું હતું.ત્યારે ગતરોજ સાંજે સુરત જિલ્લાના ચેરાપુંજી ગણતા ઉમરપાડા તાલુકામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય એવો માહોલ ભર ઉનાળે જોવા મળ્યો હતો.
![ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-05-2024/gj-surat-rural04-baraf-gj10065_14052024193432_1405f_1715695472_926.jpg)
ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડયું હતું.તેમજ ઉમરપાડા તાલુકાના માંડણપાડા સહિતના ગામોમાં મોટા મોટા બરફના કરા પણ પડયા હતા.જેને લઇને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ભર ઉનાળે થયેલ માવઠાને લઈને કેરી,તુવેર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
![ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-05-2024/gj-surat-rural04-baraf-gj10065_14052024193432_1405f_1715695472_38.jpg)
માંડણ પાડા ગામના સરપંચ સુનીલ ભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ગતરોજ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો.બરફના કરા પડતાં જાણે ઠડા પ્રદેશમાં હોય એ એવો અહેસાસ સૌ ને થયો હતોય