ETV Bharat / state

Joitabhai Patel Join BJP: જોઈતાભાઈની ભાજપમાં જોડાવાની સ્ક્રિપ્ટ બનારસમાં લખાઈ ! જાણો ETV ભારત સાથેની વાતચીતમાં શું કહ્યું ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 6:33 AM IST

Updated : Mar 20, 2024, 6:58 AM IST

બનાસકાંઠા ધાનેરાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેમના સમર્થકોના સાથે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે ETV ભારતની ટીમે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી તો ચાલો જાણીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલે શું જણાવ્યું...

બનાસકાંઠા ધાનેરાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ
બનાસકાંઠા ધાનેરાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ

બનાસકાંઠા ધાનેરાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ

ગાંધીનગર: જોઈતાભાઈ પટેલ ઉત્તર ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એક વખત લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં અનેક સહકારી સંસ્થાઓ અને સહકારી બેન્કો સાથે જોડાયેલા છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુ એક દિગ્જજ નેતા જોઈતાભાઈ પટેલે કેસરિયો ધારણ કર્યો છે. જાણો આ મામલે જોઈતાભાઈ પટેલનું શું કહેવું છે...

કોંગ્રેસે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગની અંદર હાજરી આપવી જોઈતી હતી. કોંગ્રેસે ગેરહાજર રહીને મોટે ભૂલ કરે છે. આખો દેશ રામમય છે. અમારો આખો વિસ્તાર રામભક્ત હોવાના કારણે મેેં કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ તરફથી મને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓના કોલ આવ્યા હતા પરંતુ. મેં કોલ ઉઠાવ્યા ન હતા. - જોઈતાભાઈ પટેલ

બનારસથી પાર પાડ્યો સમગ્ર ખેલ: બનાસકાંઠાથી કોંગ્રેસે વાવના લડાયક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોરની સભામાં મેદની ઉમટી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેન મજબૂત ઉમેદવાર હોવાથી જોઈતાભાઈને ભાજપમાં જોડવામાં આવ્યા છે. જોઈતાભાઈએ પ્રત્યુતર આપતા જણાવ્યું કે એવું કશું નથી. જ્યારે ચૂંટણીની જાહેરાત નહોતી થઈ અને ઉમેદવારો પણ જાહેર ન થયા હતા ત્યારે અમારૂ ભાજપમાં જવાનું નક્કી થયું હતું. બનારસમાં બનાસ ડેરી સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. ત્યાં નરેન્દ્ર મોદી આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર ભાઈ સાથે મુલાકાત થઈ હતી. મેં મોદીને કહ્યું હતું કે અમે તમારા ચાહક છીએ. ભગવાન રામમાં અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. તે વખતે જ ભાજપમાં પ્રવેશની અમે વાત કરી હતી. અમારો ફોટો પણ નરેન્દ્ર મોદી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બનાસકાંઠામાં પાણીની સમસ્યા અંગે જોઈતા ભાઈ પટેલે જણાવ્યું કે પાણીની સમસ્યા અંગે અમે રજૂઆત કરશું. ધાનેરા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકારે જુદા જુદા પ્રકારની કામગીરી શરૂ કરી છે. જોઈતા ભાઈ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસ લડાયક સ્થિતિમાં છે ત્યારે તેમણે જણાવ્યું કે બંને સીટ ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતશે.

  1. Ketan Inamdar: કેતન ઈનામદારે રાજીનામું પરત લીધું, સી.આર.પાટીલની મુલાકાત બાદ મળ્યું કયું "ઈનામ"?
  2. Kheda lok sabha seat: ખેડા લોકસભાનો ચૂંટણી સંગ્રામ, વિશ્લેષકની નજરે...

બનાસકાંઠા ધાનેરાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ

ગાંધીનગર: જોઈતાભાઈ પટેલ ઉત્તર ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એક વખત લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં અનેક સહકારી સંસ્થાઓ અને સહકારી બેન્કો સાથે જોડાયેલા છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુ એક દિગ્જજ નેતા જોઈતાભાઈ પટેલે કેસરિયો ધારણ કર્યો છે. જાણો આ મામલે જોઈતાભાઈ પટેલનું શું કહેવું છે...

કોંગ્રેસે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગની અંદર હાજરી આપવી જોઈતી હતી. કોંગ્રેસે ગેરહાજર રહીને મોટે ભૂલ કરે છે. આખો દેશ રામમય છે. અમારો આખો વિસ્તાર રામભક્ત હોવાના કારણે મેેં કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ તરફથી મને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓના કોલ આવ્યા હતા પરંતુ. મેં કોલ ઉઠાવ્યા ન હતા. - જોઈતાભાઈ પટેલ

બનારસથી પાર પાડ્યો સમગ્ર ખેલ: બનાસકાંઠાથી કોંગ્રેસે વાવના લડાયક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોરની સભામાં મેદની ઉમટી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેન મજબૂત ઉમેદવાર હોવાથી જોઈતાભાઈને ભાજપમાં જોડવામાં આવ્યા છે. જોઈતાભાઈએ પ્રત્યુતર આપતા જણાવ્યું કે એવું કશું નથી. જ્યારે ચૂંટણીની જાહેરાત નહોતી થઈ અને ઉમેદવારો પણ જાહેર ન થયા હતા ત્યારે અમારૂ ભાજપમાં જવાનું નક્કી થયું હતું. બનારસમાં બનાસ ડેરી સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. ત્યાં નરેન્દ્ર મોદી આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર ભાઈ સાથે મુલાકાત થઈ હતી. મેં મોદીને કહ્યું હતું કે અમે તમારા ચાહક છીએ. ભગવાન રામમાં અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. તે વખતે જ ભાજપમાં પ્રવેશની અમે વાત કરી હતી. અમારો ફોટો પણ નરેન્દ્ર મોદી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બનાસકાંઠામાં પાણીની સમસ્યા અંગે જોઈતા ભાઈ પટેલે જણાવ્યું કે પાણીની સમસ્યા અંગે અમે રજૂઆત કરશું. ધાનેરા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકારે જુદા જુદા પ્રકારની કામગીરી શરૂ કરી છે. જોઈતા ભાઈ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસ લડાયક સ્થિતિમાં છે ત્યારે તેમણે જણાવ્યું કે બંને સીટ ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતશે.

  1. Ketan Inamdar: કેતન ઈનામદારે રાજીનામું પરત લીધું, સી.આર.પાટીલની મુલાકાત બાદ મળ્યું કયું "ઈનામ"?
  2. Kheda lok sabha seat: ખેડા લોકસભાનો ચૂંટણી સંગ્રામ, વિશ્લેષકની નજરે...
Last Updated : Mar 20, 2024, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.