કચ્છ: આજે બકરી ઇદના દિવસે ભુજમાં મોટી સંખ્યામાં ઈદગાહ ખાતે સાથે રહીને મુસ્લિમ બિરાદરોએ "ઈદ ઉલ અધા" (બકરી ઈદ)ની નમાઝ અદા કરી હતી. આ સાથે ભારતભરમાં હિંદુ મુસ્લિમની એકતા બની રહે અને ભાઈચારો વધે તેવી દુઆ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ ઇદગાહ પર ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મોલાના સૈયદ ખેરશાબાવા અને મોલાના સલીમ કાદરીને સાલ ઓઢાડી, ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

હિન્દુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક-બાદ પાઠવી: ભુજમાં આજે બકરી ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને બકરી ઈદની ઉજવણી જકારી હતી. તે દરમિયાન મુસ્લિમ ભાઈઓએ પીએસઆઇ વાઘેલાનું પણ ફૂલહાર અર્પણ કરીને સન્માન કર્યું હતું. કચ્છનાં તમામ હિન્દુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક-બાદ પાઠવી હતી. અહી મુસ્લિમ અગ્રણીઓમાં અલી મોહમ્મદ જત, જુમ્મા નોડે, અનવર નોડે, ગની કુંભાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કચ્છ અને ભુજમાં આ વર્ષે સારો વરસાદ વરસે તેવી દુઆ પણ માંગવામાં આવી હતી.
