ETV Bharat / state

Porbandar: માછીમારીમાં છસો કણાની જાળ વપરવા બાબતે ધીંગાણું, બે જૂથમાં સામસામે ફરિયાદ નોંધાઇ

પોરબંદરમાં ગઈ કાલે સાંજે અસ્માવતી ઘાટ ખાતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા 6થી વધુ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. બંને પક્ષોએ હારબર મરીન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે. પોલીસ ઘટના અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2024, 5:31 PM IST

clash-between-two-groups-at-asmavati-ghat-in-porbandar-yesterday-evening
clash-between-two-groups-at-asmavati-ghat-in-porbandar-yesterday-evening

પોરબંદર: ખારવાવાડ અને સુભાષ નગરમાં રહેતા માછીમારોમાં છસો કણાની જાળ વાપરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુભાષનગર 5 વિસ્તારના કેટલાક માછીમારો પીલાણું લઈ અસ્માવતી ઘાટ નજીકના બારામાં માછીમારી કરી રહ્યા હતા, તેવા સમયે ત્યાં માછીમારી કરવાની અન્ય કેટલાક માછીમારોએ છસો કણની જાળ વાપરવાની મનાઇ ફરમાવી હતી. જે બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમારો થયો હતો.

બે જૂથમાં સામસામે ફરિયાદ નોંધાઇ
બે જૂથમાં સામસામે ફરિયાદ નોંધાઇ

સમગ્ર ઘટનામાં છ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. છસો કણની જાળ પ્રતિબંધિત છે ત્યારે આ જાળનો ઉપયોગ કરવામાં આવતા ખારવાવાળના દિપેશ રતન સોનેરીએ મનાઈ ફરમાવી હતી કે આ જાળ લઈને માછીમારી ન કરો ત્યારે સામા પક્ષે શામજી હરજી જેબર સાથે બોલાચાલી થતા મારામારી થઈ હતી.

દીપેશ રતનભાઇ સોનેરીએ સવજી ગગજી, દિપક કાનજી, રાહુલ સૂકા, પારસ નાનજી, જીજ્ઞેશ પવનિયા, ગોવિંદ શામજી, શામજી હરજી, દેવજી ભોવન ,વિવેક દિપક ,દીપક રામજી વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે શામજી હરજી જેબરે પણ દીપેશ રત્ના ઉમેશ રત્ના, જીતેન્દ્ર રત્ના, દીનેશ હીરાલાલ, જયેશ રત્ના, રમેશ રત્ના, લાલજી ધનજી, હિતેશ માવજી અને વિજય છગન સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બાબતે ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અધિકારી સહિતનો પોલીસ કાફલો સુભાષનગર ખાતે દોડી ગયો હતો. સુભાષનગર વિસ્તારમાંથી લોકોના ટોળા આ બાબતે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. ફરિયાદ લઈ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ખાતરી પોરબંદરના ડીવાય એસ.પી સુર્જિત મહેડુંએ આપી હતી.

  1. Kheda: નડિયાદમાંથી સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું, ભાજપના કાઉન્સિલર સામે ગુનો નોંધાયો
  2. Junagadh: બાળકોમાં શાળા કક્ષાએથી કલા કારીગીરી વિકશે તે માટે કરાયું ચિત્ર વર્કશોપનું આયોજન

પોરબંદર: ખારવાવાડ અને સુભાષ નગરમાં રહેતા માછીમારોમાં છસો કણાની જાળ વાપરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુભાષનગર 5 વિસ્તારના કેટલાક માછીમારો પીલાણું લઈ અસ્માવતી ઘાટ નજીકના બારામાં માછીમારી કરી રહ્યા હતા, તેવા સમયે ત્યાં માછીમારી કરવાની અન્ય કેટલાક માછીમારોએ છસો કણની જાળ વાપરવાની મનાઇ ફરમાવી હતી. જે બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમારો થયો હતો.

બે જૂથમાં સામસામે ફરિયાદ નોંધાઇ
બે જૂથમાં સામસામે ફરિયાદ નોંધાઇ

સમગ્ર ઘટનામાં છ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. છસો કણની જાળ પ્રતિબંધિત છે ત્યારે આ જાળનો ઉપયોગ કરવામાં આવતા ખારવાવાળના દિપેશ રતન સોનેરીએ મનાઈ ફરમાવી હતી કે આ જાળ લઈને માછીમારી ન કરો ત્યારે સામા પક્ષે શામજી હરજી જેબર સાથે બોલાચાલી થતા મારામારી થઈ હતી.

દીપેશ રતનભાઇ સોનેરીએ સવજી ગગજી, દિપક કાનજી, રાહુલ સૂકા, પારસ નાનજી, જીજ્ઞેશ પવનિયા, ગોવિંદ શામજી, શામજી હરજી, દેવજી ભોવન ,વિવેક દિપક ,દીપક રામજી વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે શામજી હરજી જેબરે પણ દીપેશ રત્ના ઉમેશ રત્ના, જીતેન્દ્ર રત્ના, દીનેશ હીરાલાલ, જયેશ રત્ના, રમેશ રત્ના, લાલજી ધનજી, હિતેશ માવજી અને વિજય છગન સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બાબતે ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અધિકારી સહિતનો પોલીસ કાફલો સુભાષનગર ખાતે દોડી ગયો હતો. સુભાષનગર વિસ્તારમાંથી લોકોના ટોળા આ બાબતે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. ફરિયાદ લઈ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ખાતરી પોરબંદરના ડીવાય એસ.પી સુર્જિત મહેડુંએ આપી હતી.

  1. Kheda: નડિયાદમાંથી સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું, ભાજપના કાઉન્સિલર સામે ગુનો નોંધાયો
  2. Junagadh: બાળકોમાં શાળા કક્ષાએથી કલા કારીગીરી વિકશે તે માટે કરાયું ચિત્ર વર્કશોપનું આયોજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.