ETV Bharat / state

મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું : જન્માષ્ટમીની ઉજવણી પર પાણી ફર્યુ, જનજીવન ખોરવાયું - Ahmedabad rain update

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2024, 5:50 PM IST

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદે શીતળા સાતમ બાદ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી પણ મેઘરાજાએ પાણી ફેરવ્યું છે. સાથે જ રોડ-રસ્તા પર ફરી વળેલા પાણીએ જાહેર જીવનને પ્રભાવિત કર્યું છે. આ વચ્ચે કેટલાક નાના-મોટા અનઇચ્છનીય બનાવો સામે આવ્યા છે, જુઓ અહેવાલ

મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું
મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું (ETV Bharat Gujarat)
જન્માષ્ટમીની ઉજવણી પર પાણી ફર્યુ, જનજીવન ખોરવાયું (ETV Bharat Gujarat)

અમદાવાદ : સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાદળથી ઘટાટોપ અંધાર છવાયેલો રહ્યો અને સતત પડતા વરસાદે અમદાવાદને પાણીથી તરબોળ કરી દીધું છે. આમ તો શુક્રવારથી આરંભાયેલ વરસાદ જન્માષ્ટમી પર્વની સવારથી વધુ પ્રમાણમાં ખાબક્યો છે.

સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર
સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર (ETV Bharat Gujarat)

અમદાવાદ જળબંબાકાર : આજે સવારથી શરુ થયેલા સતત વરસાદના કારણે શહેરના મીઠાખળી, અખબારનગર, વેજલપુર સહિતના અંડરપાસ બંધ કરવા પડ્યા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોના વાહન રોડ પર અટકી પડ્યા છે. શહેરમાં રોડ પર પાણી ભરાવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.

વૃક્ષો અને બેનરો ધરાશાયી : ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો અને બેનરો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં આશ્રમ રોડ પર નહેરુ બ્રિજ પાસે તથા એસજી હાઈવે પર ઇસ્કોન ક્રોસ રોડ નજીક વૃક્ષો ધરાશાયી થવાના બનાવ નોંધાયા છે.

વૃક્ષો અને બેનરો ધરાશાયી
વૃક્ષો અને બેનરો ધરાશાયી (ETV Bharat Gujarat)

આંબાવાડીમાં દુર્ઘટના : નહેરુનગર ચાર રસ્તા નજીક સ્થિત ઓજસ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની ગેલેરી સવારે તૂટી પડી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ તંત્ર દોડતું થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર : ભારે વરસાદને કારણે ગતરાત્રે અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના 150 જેટલા નાગરિકો ફસાયા હતા. રૂપાવટી ગામના વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક શાળાઓમાં રજા : અમદાવાદમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.

  1. અમદાવાદમાં વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યુ, આવતીકાલે પ્રાથમિક શાળામાં રજા
  2. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે "ઝીરો કેઝ્યુલીટી" અભિગમ સાથે કામ કરવા તંત્રને આદેશ

જન્માષ્ટમીની ઉજવણી પર પાણી ફર્યુ, જનજીવન ખોરવાયું (ETV Bharat Gujarat)

અમદાવાદ : સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાદળથી ઘટાટોપ અંધાર છવાયેલો રહ્યો અને સતત પડતા વરસાદે અમદાવાદને પાણીથી તરબોળ કરી દીધું છે. આમ તો શુક્રવારથી આરંભાયેલ વરસાદ જન્માષ્ટમી પર્વની સવારથી વધુ પ્રમાણમાં ખાબક્યો છે.

સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર
સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર (ETV Bharat Gujarat)

અમદાવાદ જળબંબાકાર : આજે સવારથી શરુ થયેલા સતત વરસાદના કારણે શહેરના મીઠાખળી, અખબારનગર, વેજલપુર સહિતના અંડરપાસ બંધ કરવા પડ્યા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોના વાહન રોડ પર અટકી પડ્યા છે. શહેરમાં રોડ પર પાણી ભરાવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.

વૃક્ષો અને બેનરો ધરાશાયી : ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો અને બેનરો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં આશ્રમ રોડ પર નહેરુ બ્રિજ પાસે તથા એસજી હાઈવે પર ઇસ્કોન ક્રોસ રોડ નજીક વૃક્ષો ધરાશાયી થવાના બનાવ નોંધાયા છે.

વૃક્ષો અને બેનરો ધરાશાયી
વૃક્ષો અને બેનરો ધરાશાયી (ETV Bharat Gujarat)

આંબાવાડીમાં દુર્ઘટના : નહેરુનગર ચાર રસ્તા નજીક સ્થિત ઓજસ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની ગેલેરી સવારે તૂટી પડી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ તંત્ર દોડતું થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર : ભારે વરસાદને કારણે ગતરાત્રે અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના 150 જેટલા નાગરિકો ફસાયા હતા. રૂપાવટી ગામના વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક શાળાઓમાં રજા : અમદાવાદમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.

  1. અમદાવાદમાં વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યુ, આવતીકાલે પ્રાથમિક શાળામાં રજા
  2. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે "ઝીરો કેઝ્યુલીટી" અભિગમ સાથે કામ કરવા તંત્રને આદેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.