ETV Bharat / state

જામનગરમાં અહીં બનશે નવું એસટી બસ સ્ટેન્ડ - new ST bus stand in jamnagar

જામનગરમાં નવું એસટી બસ સ્ટેન્ડ બનવાની કામગીરી હવે શરુ કરવામાં આવશે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડને હંગામી બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવી રહ્યું છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

જામનગરમાં નવું એસટી બસ સ્ટેન્ડ બનશે
જામનગરમાં નવું એસટી બસ સ્ટેન્ડ બનશે (Etv Bharat Gujarat)

જામનગર: જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડને હંગામી બસ સ્ટેશન માટે ફાળવવામાં આવ્યું છે. જામનગરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ નવા બસ સ્ટેશનની કામગીરી હવે શરુ થશે. કલેકટર કચેરીથી ST વિભાગને પ્રદર્શન ગ્રાઉન્ડ સોંપવામાં આવ્યું છે. દોઢ મહિનામાં હંગામી ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નવું ST બની જશે. બે વર્ષમાં નવું બસ સ્ટેશન જામનગરના લોકોને મળશે.

નવો ડેપો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી: જામનગરમાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. જો કે મુખ્ય મંત્રીએ નવો ડેપો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે. પણ કામગીરી શરૂ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી, કારણ કે ડેપો જર્જરિત હાલતમાં છે અને વરસાદ પડતા જ સમગ્ર ડેપોમાં પાણી ભરાઈ જાય છે અને કાદવ કિચડ જોવા મળે છે.

જામનગરમાં નવું એસટી બસ સ્ટેન્ડ બનશે (Etv Bharat Gujarat)

સમગ્ર બાબતે etv ભારતની ટીમે મુસાફરો સાથે વાત કરતા જણાવ્યું કે,'સારો ઈરાદો છે. પણ સમયસર ડેપો બનવો જોઈએ. જો તાત્કાલિક ડેપો બને તો લોકોની સુખાકારીમાં વધારો થશે. અને સમયસર બસ મુસાફરને મળી રહેશે. એસ ટી ડેપો અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. માર્ચ મહિનામાં એસટી ડેપોનું ખાત મૂહુર્ત કરવામાં આવ્યું પણ હજુ સુધી ડેપોની કોઈ કામગીરી કરવામાં આવી નથી.'

આ પણ વાંચો:

  1. જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરીનો છે અનેરો ઈતિહાસ જાણો - navaratri 2024
  2. નવરાત્રિના પહેલા નોરતે ગિરનાર પર્વત પર ભક્તોનું મહેરામણ, ઉદરીય શક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે માઈ ભક્તો - Navratri 2024

જામનગર: જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડને હંગામી બસ સ્ટેશન માટે ફાળવવામાં આવ્યું છે. જામનગરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ નવા બસ સ્ટેશનની કામગીરી હવે શરુ થશે. કલેકટર કચેરીથી ST વિભાગને પ્રદર્શન ગ્રાઉન્ડ સોંપવામાં આવ્યું છે. દોઢ મહિનામાં હંગામી ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નવું ST બની જશે. બે વર્ષમાં નવું બસ સ્ટેશન જામનગરના લોકોને મળશે.

નવો ડેપો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી: જામનગરમાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. જો કે મુખ્ય મંત્રીએ નવો ડેપો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે. પણ કામગીરી શરૂ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી, કારણ કે ડેપો જર્જરિત હાલતમાં છે અને વરસાદ પડતા જ સમગ્ર ડેપોમાં પાણી ભરાઈ જાય છે અને કાદવ કિચડ જોવા મળે છે.

જામનગરમાં નવું એસટી બસ સ્ટેન્ડ બનશે (Etv Bharat Gujarat)

સમગ્ર બાબતે etv ભારતની ટીમે મુસાફરો સાથે વાત કરતા જણાવ્યું કે,'સારો ઈરાદો છે. પણ સમયસર ડેપો બનવો જોઈએ. જો તાત્કાલિક ડેપો બને તો લોકોની સુખાકારીમાં વધારો થશે. અને સમયસર બસ મુસાફરને મળી રહેશે. એસ ટી ડેપો અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. માર્ચ મહિનામાં એસટી ડેપોનું ખાત મૂહુર્ત કરવામાં આવ્યું પણ હજુ સુધી ડેપોની કોઈ કામગીરી કરવામાં આવી નથી.'

આ પણ વાંચો:

  1. જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરીનો છે અનેરો ઈતિહાસ જાણો - navaratri 2024
  2. નવરાત્રિના પહેલા નોરતે ગિરનાર પર્વત પર ભક્તોનું મહેરામણ, ઉદરીય શક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે માઈ ભક્તો - Navratri 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.