ETV Bharat / state

ચાંદીપુરા વાયરસનો કહેર: રાજકોટમાં વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 4:19 PM IST

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 3 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેમાં એક રાજકોટ શહેરનું 5 વર્ષનું બાળક, ધ્રાંગધ્રાનું 2 વર્ષનું બાળક અને તરઘડીયાની 7 માસની બાળકીને ચાંદીપુરા હોવાની શંકા શંકાએ તેનો રિપોર્ટ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે., Chandipura virus in Rajkot

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર (ETV Bharat Gujarat)

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટની જનાના હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 3 દર્દી પોઝિટિવ છે. તો 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 5 દર્દીઓ એવાં છે કે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. એટલે કે, આ શંકાસ્પદ દર્દીઓ છે.

વધુ 3 શંકાસ્પદ કેસ: આજે એક સાથે 3 શંકાસ્પદ દર્દીઓ એડમિટ થયા છે. જેમાં રાજકોટ શહેરના આજીડેમ પાસે રહેતા 5 વર્ષનાં બાળકને ચાંદીપુરાના લક્ષણો હોવાથી તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જે મૂળ દ્વારકાના જામરાવલનો રહેવાસી છે. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના 2 વર્ષનું બાળક અહીં દાખલ કરવામાં આવ્યું છે. જેનું મૂળ વતન પાવાગઢ છે. અને 2 માસ પહેલા જ પાવાગઢથી ધ્રાંગધ્રા આવેલું છે.

આ ઊપરાંત રાજકોટના તરઘડીયાની માત્ર 7 માસની બાળકીને ચાંદીપુરા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. જેની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ચાંદીપુરાના કેસમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.

  1. ચાંદીપુરા વાયરસનો ઝડપથી ઉપદ્રવ, મૃત્યુઆંક વધીને 48 થયો જ્યારે કુલ 127 કેસો નોંધાયા - Chandipura virus cases 2024
  2. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનો કચ્છમાં પગપેસારો, બે બાળકોના મોત - Chandipura virus in Kutch

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટની જનાના હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 3 દર્દી પોઝિટિવ છે. તો 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 5 દર્દીઓ એવાં છે કે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. એટલે કે, આ શંકાસ્પદ દર્દીઓ છે.

વધુ 3 શંકાસ્પદ કેસ: આજે એક સાથે 3 શંકાસ્પદ દર્દીઓ એડમિટ થયા છે. જેમાં રાજકોટ શહેરના આજીડેમ પાસે રહેતા 5 વર્ષનાં બાળકને ચાંદીપુરાના લક્ષણો હોવાથી તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જે મૂળ દ્વારકાના જામરાવલનો રહેવાસી છે. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના 2 વર્ષનું બાળક અહીં દાખલ કરવામાં આવ્યું છે. જેનું મૂળ વતન પાવાગઢ છે. અને 2 માસ પહેલા જ પાવાગઢથી ધ્રાંગધ્રા આવેલું છે.

આ ઊપરાંત રાજકોટના તરઘડીયાની માત્ર 7 માસની બાળકીને ચાંદીપુરા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. જેની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ચાંદીપુરાના કેસમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.

  1. ચાંદીપુરા વાયરસનો ઝડપથી ઉપદ્રવ, મૃત્યુઆંક વધીને 48 થયો જ્યારે કુલ 127 કેસો નોંધાયા - Chandipura virus cases 2024
  2. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનો કચ્છમાં પગપેસારો, બે બાળકોના મોત - Chandipura virus in Kutch
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.