ETV Bharat / opinion

આંધ્રપ્રદેશમાં અરાજકતાનો અંત : એક ઐતિહાસિક જરૂરિયાત - Andhra Pradesh

author img

By ETV Bharat Gujarati Team

Published : May 12, 2024, 6:00 AM IST

મદ્રાસમાંથી વિભાજન થયા બાદ આંધ્રપ્રદેશ રાજ્યએ ઓછા સંસાધન સાથે પણ એક મજબૂત નેતૃત્વ સાથે સફળ રાજ્ય તરીકે સફળ શરૂઆત કરી હતી. જોકે 'ભારતના રાઈસ બાઉલ' તરીકે ઓળખાતું રાજ્ય છેલ્લા પાંચ વર્ષથી સતત નેગેટિવ હેડલાઈન સાથે ચર્ચામાં રહ્યું છે. આવું થવાનું કારણ અને આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શું ? જુઓ મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વાણિજ્ય વિભાગના પ્રો. NVR જ્યોતિકુમારનો ખાસ લેખ...

આંધ્રપ્રદેશમાં અરાજકતાનો અંત : એક ઐતિહાસિક જરૂરિયાત
આંધ્રપ્રદેશમાં અરાજકતાનો અંત : એક ઐતિહાસિક જરૂરિયાત (ETV Bharat Desk)

અમદાવાદ : 'ભારતના રાઈસ બાઉલ' તરીકે ઓળખાતું આંધ્રપ્રદેશ રાજ્ય દેશમાં ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે. ગુજરાત પછી આંધ્રપ્રદેશ દેશનો બીજો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. રાજ્ય સમૃદ્ધ કુદરતી સંસાધનો અને ખનિજ સંપત્તિથી સંપન્ન છે. ઐતિહાસિક રીતે આ પ્રદેશે રાજકારણ, કલા, સાહિત્ય, ફિલ્મો, શિક્ષણ, કૃષિ, વેપાર અને સેવા સહિત અનેક ક્ષેત્રોમાં અનેક અગ્રણી હસ્તીઓ અને રોલ મોડલ આપ્યા છે, તેઓ જ્યાં પણ છે ત્યાં તેમની માતૃભાષા, પ્રદેશ અને માતૃભૂમિનું નામ રોશન કરી રહ્યા છે.

હવે બ્રાન્ડ AP ને શું થયું છે ? આ રાજ્ય છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખોટા કારણોસર સતત સમાચારોમાં કેમ રહ્યું છે ? શું આવું નફરત અને વિનાશની રાજનીતિને કારણે છે ? કે પછી રાજ્યમાં જાહેર જીવનમાં વધી રહેલા અપરાધીકરણને કારણે છે ? અથવા ક્રોની મૂડીવાદના કદરૂપા ચહેરાને કારણે ?

દક્ષિણના રાજ્યો પૈકી તેલંગાણાએ 2022માં સૌથી વધુ માથાદીઠ આવક નોંધાવી હતી. ત્યારબાદ કર્ણાટક, તમિલનાડુ અને કેરળ આવે છે. આંધ્રપ્રદેશમાં માથાદીઠ આવક સૌથી ઓછી છે. ઉપરાંત દેશમાં સૌથી વધુ સ્નાતકમાં બેરોજગારીનો દર 24% આંધ્રપ્રદેશમાં છે. વર્ષ 2022-23 દરમિયાન હાથ ધરવામાં આવેલા લેટેસ્ટ સામયિક લેબર ફોર્સ સર્વે મુજબ આપણે ફક્ત આંદામાન અને નિકોબાર અને લદ્દાખ કરતાં સારી સ્થિતિમાં છીએ.

આ સ્થિતમાંથી બહાર નીકળવાનો રસ્તો શું ? આપણે શું ઈચ્છીએ છીએ કે આપણી આવનારી પેઢી આપણને કેવી રીતે યાદ રાખે ? આત્મસન્માન અને આત્મવિશ્વાસ પાછો મેળવવો શક્ય છે ? હવે તે કોના હાથમાં છે ?

બેકડ્રોપ : વિભાજન બાદ આંધ્રપ્રદેશની સ્થિતિ

વિભાજન બાદ આંધ્રપ્રદેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું આઠમું સૌથી મોટું રાજ્ય છે. આંધ્રપ્રદેશની વસ્તી 4.9 કરોડ છે, જેમાંથી 70 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. વિભાજન સમયે 58 % વસ્તી સામે આંધ્રપ્રદેશને અંદાજિત આવકના 46 % આપવામાં આવી હતી. સ્થાનના આધારે મિલકતની ફાળવણી કરવામાં આવી અને લાયબેલિટી વસ્તીના આધારે વહેંચવામાં આવી છે. તેથી શેષ રાજ્ય આંધ્રપ્રદેશને મોટાભાગની મિલકત ગુમાવવી પડી હતી, જે હૈદરાબાદમાં જ રહી ગઈ હતી. ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થાપિત રાજધાની અને વિશાળ મહાનગર જેવા હૈદરાબાદનો ફાયદો ગુમાવ્યો, જે રોજગાર સર્જન અને આવક એકત્રીકરણ દ્વારા આર્થિક વૃદ્ધિનું પ્રેરક બળ હતું. વિભાજન સમયે ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, વિભાજનને કારણે આંધ્રપ્રદેશની નાણાકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર પ્રતિકૂળ અસર થશે.

વર્ષ 2013-14 દરમિયાન સંયુક્ત રાજ્ય તરીકે આંધ્રપ્રદેશનું કૃષિ ક્ષેત્રનું યોગદાન 23% હતું, જે વિભાજન પછી વધીને 30.2% થયું છે. ઉપરાંત વર્ષ 2017-18 દરમિયાન તે વધીને 34.4% થઈ ગયું હતું. આ માત્ર આંધ્રપ્રદેશની સહજ કૃષિ લાક્ષણિકતા જ સૂચિત નથી કરતું, પરંતુ ઉત્પાદન અને સેવા જેવા ક્ષેત્રોની ખોટ પણ સૂચવે છે. ભૌગોલિક રીતે આંધ્રપ્રદેશ વિશિષ્ટ રીતે સ્થિત છે જે તેને એક સાથે દુષ્કાળ અને ચક્રવાત બંને માટે જોખમી બનાવે છે. રાજસ્થાન અને કર્ણાટક પછી આંધ્રપ્રદેશમાં ત્રીજો સૌથી મોટો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. અગાઉના 13 જિલ્લાઓમાંથી અનંતપુર, ચિત્તૂર, કડપા, કુર્નૂલ અને પ્રકાશમ એમ પાંચ જિલ્લા દુષ્કાળગ્રસ્ત છે.

એક સારી શરૂઆત :

આ પૃષ્ઠભૂમિમાં ચંદ્રબાબુ નાયડુએ 2014 માં પ્રથમ ચૂંટાયેલા મુખ્યપ્રધાન તરીકે રાજ્યની બાગડોર સંભાળી હતી. પ્રથમ સરકારે આંધ્ર પ્રદેશના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને સૂર્યોદય રાજ્ય બનાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સ્વપ્નદ્રષ્ટા અને પ્રતિબદ્ધ નેતૃત્વ દ્વારા ચંદ્રબાબુ સરકારે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને યોગ્ય મહત્વ આપવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, 2014-19 સમયગાળા દરમિયાન બજેટનું અવલોકન આંધ્રપ્રદેશની કૃષિ અર્થવ્યવસ્થા માટેની પ્રાથમિકતા સ્પષ્ટ કરે છે. તે સ્પષ્ટ છે કે રાજકોષીય સંસાધનોનો મોટો હિસ્સો કૃષિમાં જાહેર રોકાણો પર ખર્ચવામાં આવ્યો હતો. પોલાવરમ એ સરકારનો મુખ્ય સિંચાઇ પ્રોજેક્ટ હતો, તેનો બે તૃતીયાંશ ભાગ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ, નદી અને ડેમનું ઇન્ટર લિંકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રકાશમમાં વેલિગોન્ડા અને ગુંડલાકમ્મા પ્રોજેક્ટ્સ, નેલ્લોરમાં નેલ્લોર અને સંગમ બેરેજ, શ્રીકાકુલમમાં વંશધારા અને નાગવલી નદીઓને એકબીજા સાથે જોડવા અને રૈયાલાસમાં હાંદ્રી નીવા કેનાલ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા

દેશમાં ટોપ પર્ફૉર્મર તરીકે અનંતપુરમાં તેની ઐતિહાસિક પાણીની અછતને દૂર કરવા MEPMA (મિશન ફોર એલિમિનેશન ઓફ પોવર્ટી ઇન મ્યુનિસિપલ એરિયા) અને MGNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) કાર્યક્રમોને એકીકૃત કરીને એક લાખથી વધુ તળાવ ખોદવામાં આવ્યા હતા. વર્ષ 2015-19 દરમિયાન મૂડી ખર્ચમાં દર વર્ષે સરેરાશ 17% નો વધારો જોવા મળ્યો હતો.

તદુપરાંત ચંદ્રબાબુ સરકારે તેના કાર્યકાળ દરમિયાન અન્ય પ્રાદેશિક હિતોને નુકસાન પહોંચાડવા માટે માત્ર નવી રાજધાની અમરાવતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની દલીલમાં કોઈ તથ્ય ન હતું. હકીકતમાં આંધ્રપ્રદેશના વિભાજન પછી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) અને સ્થાનિક રોકાણોનો મોટો હિસ્સો ચિત્તૂર (ફર્મ્સ જેમ કે સેલકોન, કાર્બન અને ફોક્સકોન), અનંતપુર (કિયા મોટર્સ), વિશાખાપટ્ટનમ (અદાણી અને લુલુ), વિઝિયાનગરમ (પતંજલિ ફૂડ પાર્ક) અને ક્રિષ્ના (HCL) જેવા જિલ્લામાં ગયા.

આ પ્રકારના પ્રયત્નોએ ફળદાયી પરિણામો આપવાનું શરૂ કર્યું, જે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ગુણવત્તાયુક્ત નોકરીઓનું સર્જન કરવામાં આંધ્રપ્રદેશ ભારતમાં ટોચ પર છે. ઉપરાંત વર્ષ 2019 ના જસ્ટ જોબ્સ ઈન્ડેક્સ રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશ લિંગ સમાનતા, યુવા રોજગાર અને શ્રમ દળની ભાગીદારી દરની દ્રષ્ટિએ પણ ભારતમાં ટોચ પર હતું.

વર્ષ 2017-18માં શરૂ થયેલા કુર્નૂલ અને કડપાના સોલાર પાર્ક વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક હતા, દરેકનું લક્ષ્ય 1000 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરવાનું હતું. રાજ્યના પછાત રાયલસીમા ક્ષેત્રમાં સ્થિત આ સોલાર પાર્ક દ્વારા તે સમયે મોટા પાયે રોજગારી પૂરી પાડી હતી. વિશાખાપટ્ટનમ GDP અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ દક્ષિણ ભારતમાં ચોથું અને ભારતનું દસમું સૌથી ધનાઢ્ય શહેર છે, જે ઉત્તર આંધ્રપ્રદેશ માટે પહેલાથી જ એક શક્તિશાળી વૃદ્ધિ એન્જિન માનવામાં આવતું હતું.

આંધ્રપ્રદેશમાં વિનાશક આંધીના એંધાણ :

લોકશાહીની કોઈપણ પ્રણાલીમાં નેતૃત્વ પરિવર્તન એકદમ સામાન્ય બાબત છે, આંધ્રપ્રદેશ પણ અપવાદ નથી. વર્ષ 2019માં વાય.એસ. જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં YSRCP સત્તામાં આવી. ક્રોની કેપિટલિઝમ સાથે વેન્ડેટા પોલિટિક્સ આંધ્રપ્રદેશમાં દિવસનો ક્રમ બની ગયો. કોઈ પણ તર્ક વગર જૂન 2019 માં પ્રજા વેદિકાની નવી બનેલી સરકારી ઈમારતને તોડી પાડવાથી બદલાની રાજનીતિ શરૂ થઈ.

અગાઉની સરકારના વિકાસ કામો અને કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાને બદલે જગન સરકારે તમામ મહત્વના નિર્ણયો પલટાવવાનું શરૂ કર્યું. રિવર્સ ટેન્ડરિંગના નામે સરકારે પોલવારમ પ્રોજેક્ટ સહિત ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને મુખ્યમંત્રીની નજીકના મિત્રોને સોંપવાનું શરૂ કર્યું હતું. પોલવારમ પ્રોજેક્ટ હવે વર્તમાન સરકારની પ્રાથમિકતા નથી.

વિરોધ પક્ષોએ તેની પૂર્ણતામાં અતિશય વિલંબ માટે રાજ્ય સરકારની ટીકા કરી. ઉપરાંત ભારપૂર્વક જણાવ્યું કે, પોલવારમ પ્રોજેક્ટ કેટલાક રાજકારણીઓ માટે નાણાંનો સમૃદ્ધ સ્ત્રોત બની ગયો છે. નવી રાજધાની અમરાવતીના નિર્માણમાં 32,000 એકરથી વધુ જમીનનું યોગદાન આપનાર નાના ખેડૂતોને જગનની સરકાર દ્વારા અપમાનિત અને હેરાન કરવામાં આવ્યા હતા. જેણે રાજકીય પગલાના ભાગરૂપે અમરાવતી સહિત રાજ્યમાં ત્રણ રાજધાની રાખવાનો એકપક્ષીય અને ગેરકાનૂની નિર્ણય લીધો હતો.

વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પહેલાં અમરાવતીને સંપૂર્ણ સમર્થન માટે YSRCP ની ખાતરી હોવા છતાં આવું થયું. આ જનતાના આદેશનો દુરુપયોગ કરવા સમાન હતું ! તે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુની સરકારે શરૂ કરેલી નાગરિક-કેન્દ્રિત, વ્યવસાય-મૈત્રીપૂર્ણ અને માનવ વિકાસલક્ષી ઇકોસિસ્ટમના વ્યવસ્થિત વિનાશની શરૂઆત હતી. જ્યારે અન્ય રાજ્ય સરકારોએ રોકાણ અને ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી હતી, ત્યારે આંધ્રપ્રદેશ રાજ્યના હિતોની વિરુદ્ધ વાહિયાત અને ક્રૂરતાથી કામ કર્યું હતું.

ઉદાહરણ તરીકે એક સિંગાપોરિયન કન્સોર્ટિયમ કે જેણે રાજધાનીમાં સ્ટાર્ટઅપ ઝોન વિકસાવ્યો હોત, તેને બહાર કાઢવામાં આવ્યો હતો. UAE ના લુલુ ગ્રુપને વિશાખાપટ્ટનમથી બહાર મોકલવામાં આવ્યું, ફ્રેન્કલિન ટેમ્પલટનને દૂર કરવામાં આવ્યું, કિયાએ અપમાન સહન કર્યું, જોકીને પણ વિદાય લેવી પડી હતી. સૌથી ઉપર દેશની અગ્રણી બેટરી ઉત્પાદક કંપની અમારા રાજાની સરકારી કનડગતને કારણે આંધ્રપ્રદેશમાંથી વિસ્થાપન યોજના અંગેના મીડિયા અહેવાલોને કારણે દેશભરના ઉદ્યોગ વર્તુળોમાંથી આંધ્રપ્રદેશ સરકારે વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી. અમારા રાજાએ દસ વર્ષમાં જંગી રોકાણ સાથે તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં અત્યાધુનિક લિથિયમ-આયન બેટરી રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનું નક્કી કર્યું.

MSME સેક્ટરના સંદર્ભમાં જગન સરકારે ઓછામાં ઓછા રૂ. 2,500 કરોડની હદ સુધી આપવામાં આવેલી રાહત અને પ્રોત્સાહનોને સહેલાઇથી ટાળી દીધા હતા. આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (APIIC) દ્વારા સ્થપાયેલ 543 ઔદ્યોગિક ઉદ્યાનોમાં સ્થિત મોટા ભાગના સાહસો MSME છે. હાલના શાસન દરમિયાન રસ્તાની જાળવણી, પાણીનો પુરવઠો અને સ્ટ્રીટ લાઇટની જોગવાઈ જેવી પાયાની સુવિધાઓ સહિત અનેક માળખાકીય અડચણના કારણે તેઓ સહન કરી રહ્યા છે.

મેક ઇન ઇન્ડિયા મિશનના ભાગરૂપે કેન્દ્ર સરકારે નવ વર્ષ પહેલાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ (NIDC) પ્રોગ્રામ હેઠળ વિશાખાપટ્ટનમ – ચેન્નાઈ, હૈદરાબાદ – બેંગલુરુ અને ચેન્નાઈ – બેંગલુરુ એમ ત્રણ ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપી હતી. પ્રથમ કોરિડોરના કિસ્સામાં આંધ્રપ્રદેશ સરકારે 21.5% વિકાસ ખર્ચ ખર્ચ કરવો પડશે. બાદમાં અન્ય બે કોરિડોરના કિસ્સામાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ભંડોળનો ઉપયોગ કરવા સિવાય રાજ્ય સરકાર તરફથી કોરિડોરના વિકાસ માટે કોઈ નાણાકીય જવાબદારી નથી.

જો કે, આ મોરચે પણ AP સરકાર આવું કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ. વિશાખા-ચેન્નાઈ ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટને (ફેઝ 1) માત્ર રૂ. 36 કરોડની જરૂરિયાત પૂર્ણ ન કરવા દ્વારા સરકારની ઘોર બેદરકારી પ્રતિબિંબિત થાય છે ! અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટનો 70% સુધી પૂર્ણ થઈ ચૂક્યો હતો. જેના પરિણામે મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનોને અન્ય રાજ્યોમાં સ્થળાંતર થવાની ફરજ પડી છે. દર વર્ષે આંધ્રપ્રદેશમાં 2.5 લાખ લોકો સ્નાતક થઈ રહ્યા છે, જોકે તેમાંથી અડધા લોકોને પણ રાજ્યની અંદર યોગ્ય રોજગાર મળી રહ્યો નથી.

યુનિવર્સિટીના કેટલાક વાઇસ ચાન્સેલરોએ યુનિવર્સિટી કેમ્પસમાં સત્તામાં રહેલા પક્ષના રાજકીય બોસને ખુશ કરવા માટે ખુલ્લેઆમ રાજકીય પ્રવૃત્તિઓની તરફેણ કરવા માટે શંકાસ્પદ નામ મેળવ્યું હતું. મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યાઓ ભરેલી નથી. આનાથી મોટાભાગની યુનિવર્સિટીમાં શિક્ષણ - શીખવાની પ્રક્રિયા, સારા સંશોધન માટેનું વાતાવરણ અને કાર્ય સંસ્કૃતિને અસર થઈ છે. જેના પરિણામે મોટી સંખ્યામાં મૂળ વિદ્યાર્થીઓ સારી કારકિર્દી વિકસાવવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રાજ્ય છોડવાનું પસંદ કરે છે. આથી, રાજ્યની યુનિવર્સિટીઓને તેમની કાર્યપ્રણાલી અને ગુમાવેલી વિશ્વસનીયતાને પુનર્જીવિત કરીને સુધારવાની તાતી જરૂરિયાત છે.

અનૌપચારિક ક્ષેત્રના સંદર્ભમાં, મોટી સંખ્યામાં કુશળ અને અર્ધ-કુશળ કર્મચારીઓ તેમના પરિવારો અને માતાપિતાને પાછળ છોડીને તેમની આજીવિકા માટે પાડોશી રાજ્યોમાં રવાના થયા હતા. આંધ્ર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને (APPSC) પણ તેની ખામી અને ગેરવહીવટને કારણે તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી, જે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કડક નિર્ણયોમાં પ્રતિબિંબિત થાય છે.

-- પ્રો. NVR જ્યોતિકુમાર (ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટી)

અમદાવાદ : 'ભારતના રાઈસ બાઉલ' તરીકે ઓળખાતું આંધ્રપ્રદેશ રાજ્ય દેશમાં ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે. ગુજરાત પછી આંધ્રપ્રદેશ દેશનો બીજો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. રાજ્ય સમૃદ્ધ કુદરતી સંસાધનો અને ખનિજ સંપત્તિથી સંપન્ન છે. ઐતિહાસિક રીતે આ પ્રદેશે રાજકારણ, કલા, સાહિત્ય, ફિલ્મો, શિક્ષણ, કૃષિ, વેપાર અને સેવા સહિત અનેક ક્ષેત્રોમાં અનેક અગ્રણી હસ્તીઓ અને રોલ મોડલ આપ્યા છે, તેઓ જ્યાં પણ છે ત્યાં તેમની માતૃભાષા, પ્રદેશ અને માતૃભૂમિનું નામ રોશન કરી રહ્યા છે.

હવે બ્રાન્ડ AP ને શું થયું છે ? આ રાજ્ય છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખોટા કારણોસર સતત સમાચારોમાં કેમ રહ્યું છે ? શું આવું નફરત અને વિનાશની રાજનીતિને કારણે છે ? કે પછી રાજ્યમાં જાહેર જીવનમાં વધી રહેલા અપરાધીકરણને કારણે છે ? અથવા ક્રોની મૂડીવાદના કદરૂપા ચહેરાને કારણે ?

દક્ષિણના રાજ્યો પૈકી તેલંગાણાએ 2022માં સૌથી વધુ માથાદીઠ આવક નોંધાવી હતી. ત્યારબાદ કર્ણાટક, તમિલનાડુ અને કેરળ આવે છે. આંધ્રપ્રદેશમાં માથાદીઠ આવક સૌથી ઓછી છે. ઉપરાંત દેશમાં સૌથી વધુ સ્નાતકમાં બેરોજગારીનો દર 24% આંધ્રપ્રદેશમાં છે. વર્ષ 2022-23 દરમિયાન હાથ ધરવામાં આવેલા લેટેસ્ટ સામયિક લેબર ફોર્સ સર્વે મુજબ આપણે ફક્ત આંદામાન અને નિકોબાર અને લદ્દાખ કરતાં સારી સ્થિતિમાં છીએ.

આ સ્થિતમાંથી બહાર નીકળવાનો રસ્તો શું ? આપણે શું ઈચ્છીએ છીએ કે આપણી આવનારી પેઢી આપણને કેવી રીતે યાદ રાખે ? આત્મસન્માન અને આત્મવિશ્વાસ પાછો મેળવવો શક્ય છે ? હવે તે કોના હાથમાં છે ?

બેકડ્રોપ : વિભાજન બાદ આંધ્રપ્રદેશની સ્થિતિ

વિભાજન બાદ આંધ્રપ્રદેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું આઠમું સૌથી મોટું રાજ્ય છે. આંધ્રપ્રદેશની વસ્તી 4.9 કરોડ છે, જેમાંથી 70 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. વિભાજન સમયે 58 % વસ્તી સામે આંધ્રપ્રદેશને અંદાજિત આવકના 46 % આપવામાં આવી હતી. સ્થાનના આધારે મિલકતની ફાળવણી કરવામાં આવી અને લાયબેલિટી વસ્તીના આધારે વહેંચવામાં આવી છે. તેથી શેષ રાજ્ય આંધ્રપ્રદેશને મોટાભાગની મિલકત ગુમાવવી પડી હતી, જે હૈદરાબાદમાં જ રહી ગઈ હતી. ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થાપિત રાજધાની અને વિશાળ મહાનગર જેવા હૈદરાબાદનો ફાયદો ગુમાવ્યો, જે રોજગાર સર્જન અને આવક એકત્રીકરણ દ્વારા આર્થિક વૃદ્ધિનું પ્રેરક બળ હતું. વિભાજન સમયે ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, વિભાજનને કારણે આંધ્રપ્રદેશની નાણાકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર પ્રતિકૂળ અસર થશે.

વર્ષ 2013-14 દરમિયાન સંયુક્ત રાજ્ય તરીકે આંધ્રપ્રદેશનું કૃષિ ક્ષેત્રનું યોગદાન 23% હતું, જે વિભાજન પછી વધીને 30.2% થયું છે. ઉપરાંત વર્ષ 2017-18 દરમિયાન તે વધીને 34.4% થઈ ગયું હતું. આ માત્ર આંધ્રપ્રદેશની સહજ કૃષિ લાક્ષણિકતા જ સૂચિત નથી કરતું, પરંતુ ઉત્પાદન અને સેવા જેવા ક્ષેત્રોની ખોટ પણ સૂચવે છે. ભૌગોલિક રીતે આંધ્રપ્રદેશ વિશિષ્ટ રીતે સ્થિત છે જે તેને એક સાથે દુષ્કાળ અને ચક્રવાત બંને માટે જોખમી બનાવે છે. રાજસ્થાન અને કર્ણાટક પછી આંધ્રપ્રદેશમાં ત્રીજો સૌથી મોટો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. અગાઉના 13 જિલ્લાઓમાંથી અનંતપુર, ચિત્તૂર, કડપા, કુર્નૂલ અને પ્રકાશમ એમ પાંચ જિલ્લા દુષ્કાળગ્રસ્ત છે.

એક સારી શરૂઆત :

આ પૃષ્ઠભૂમિમાં ચંદ્રબાબુ નાયડુએ 2014 માં પ્રથમ ચૂંટાયેલા મુખ્યપ્રધાન તરીકે રાજ્યની બાગડોર સંભાળી હતી. પ્રથમ સરકારે આંધ્ર પ્રદેશના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને સૂર્યોદય રાજ્ય બનાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સ્વપ્નદ્રષ્ટા અને પ્રતિબદ્ધ નેતૃત્વ દ્વારા ચંદ્રબાબુ સરકારે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને યોગ્ય મહત્વ આપવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, 2014-19 સમયગાળા દરમિયાન બજેટનું અવલોકન આંધ્રપ્રદેશની કૃષિ અર્થવ્યવસ્થા માટેની પ્રાથમિકતા સ્પષ્ટ કરે છે. તે સ્પષ્ટ છે કે રાજકોષીય સંસાધનોનો મોટો હિસ્સો કૃષિમાં જાહેર રોકાણો પર ખર્ચવામાં આવ્યો હતો. પોલાવરમ એ સરકારનો મુખ્ય સિંચાઇ પ્રોજેક્ટ હતો, તેનો બે તૃતીયાંશ ભાગ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ, નદી અને ડેમનું ઇન્ટર લિંકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રકાશમમાં વેલિગોન્ડા અને ગુંડલાકમ્મા પ્રોજેક્ટ્સ, નેલ્લોરમાં નેલ્લોર અને સંગમ બેરેજ, શ્રીકાકુલમમાં વંશધારા અને નાગવલી નદીઓને એકબીજા સાથે જોડવા અને રૈયાલાસમાં હાંદ્રી નીવા કેનાલ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા

દેશમાં ટોપ પર્ફૉર્મર તરીકે અનંતપુરમાં તેની ઐતિહાસિક પાણીની અછતને દૂર કરવા MEPMA (મિશન ફોર એલિમિનેશન ઓફ પોવર્ટી ઇન મ્યુનિસિપલ એરિયા) અને MGNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) કાર્યક્રમોને એકીકૃત કરીને એક લાખથી વધુ તળાવ ખોદવામાં આવ્યા હતા. વર્ષ 2015-19 દરમિયાન મૂડી ખર્ચમાં દર વર્ષે સરેરાશ 17% નો વધારો જોવા મળ્યો હતો.

તદુપરાંત ચંદ્રબાબુ સરકારે તેના કાર્યકાળ દરમિયાન અન્ય પ્રાદેશિક હિતોને નુકસાન પહોંચાડવા માટે માત્ર નવી રાજધાની અમરાવતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની દલીલમાં કોઈ તથ્ય ન હતું. હકીકતમાં આંધ્રપ્રદેશના વિભાજન પછી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) અને સ્થાનિક રોકાણોનો મોટો હિસ્સો ચિત્તૂર (ફર્મ્સ જેમ કે સેલકોન, કાર્બન અને ફોક્સકોન), અનંતપુર (કિયા મોટર્સ), વિશાખાપટ્ટનમ (અદાણી અને લુલુ), વિઝિયાનગરમ (પતંજલિ ફૂડ પાર્ક) અને ક્રિષ્ના (HCL) જેવા જિલ્લામાં ગયા.

આ પ્રકારના પ્રયત્નોએ ફળદાયી પરિણામો આપવાનું શરૂ કર્યું, જે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ગુણવત્તાયુક્ત નોકરીઓનું સર્જન કરવામાં આંધ્રપ્રદેશ ભારતમાં ટોચ પર છે. ઉપરાંત વર્ષ 2019 ના જસ્ટ જોબ્સ ઈન્ડેક્સ રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશ લિંગ સમાનતા, યુવા રોજગાર અને શ્રમ દળની ભાગીદારી દરની દ્રષ્ટિએ પણ ભારતમાં ટોચ પર હતું.

વર્ષ 2017-18માં શરૂ થયેલા કુર્નૂલ અને કડપાના સોલાર પાર્ક વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક હતા, દરેકનું લક્ષ્ય 1000 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરવાનું હતું. રાજ્યના પછાત રાયલસીમા ક્ષેત્રમાં સ્થિત આ સોલાર પાર્ક દ્વારા તે સમયે મોટા પાયે રોજગારી પૂરી પાડી હતી. વિશાખાપટ્ટનમ GDP અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ દક્ષિણ ભારતમાં ચોથું અને ભારતનું દસમું સૌથી ધનાઢ્ય શહેર છે, જે ઉત્તર આંધ્રપ્રદેશ માટે પહેલાથી જ એક શક્તિશાળી વૃદ્ધિ એન્જિન માનવામાં આવતું હતું.

આંધ્રપ્રદેશમાં વિનાશક આંધીના એંધાણ :

લોકશાહીની કોઈપણ પ્રણાલીમાં નેતૃત્વ પરિવર્તન એકદમ સામાન્ય બાબત છે, આંધ્રપ્રદેશ પણ અપવાદ નથી. વર્ષ 2019માં વાય.એસ. જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં YSRCP સત્તામાં આવી. ક્રોની કેપિટલિઝમ સાથે વેન્ડેટા પોલિટિક્સ આંધ્રપ્રદેશમાં દિવસનો ક્રમ બની ગયો. કોઈ પણ તર્ક વગર જૂન 2019 માં પ્રજા વેદિકાની નવી બનેલી સરકારી ઈમારતને તોડી પાડવાથી બદલાની રાજનીતિ શરૂ થઈ.

અગાઉની સરકારના વિકાસ કામો અને કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાને બદલે જગન સરકારે તમામ મહત્વના નિર્ણયો પલટાવવાનું શરૂ કર્યું. રિવર્સ ટેન્ડરિંગના નામે સરકારે પોલવારમ પ્રોજેક્ટ સહિત ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને મુખ્યમંત્રીની નજીકના મિત્રોને સોંપવાનું શરૂ કર્યું હતું. પોલવારમ પ્રોજેક્ટ હવે વર્તમાન સરકારની પ્રાથમિકતા નથી.

વિરોધ પક્ષોએ તેની પૂર્ણતામાં અતિશય વિલંબ માટે રાજ્ય સરકારની ટીકા કરી. ઉપરાંત ભારપૂર્વક જણાવ્યું કે, પોલવારમ પ્રોજેક્ટ કેટલાક રાજકારણીઓ માટે નાણાંનો સમૃદ્ધ સ્ત્રોત બની ગયો છે. નવી રાજધાની અમરાવતીના નિર્માણમાં 32,000 એકરથી વધુ જમીનનું યોગદાન આપનાર નાના ખેડૂતોને જગનની સરકાર દ્વારા અપમાનિત અને હેરાન કરવામાં આવ્યા હતા. જેણે રાજકીય પગલાના ભાગરૂપે અમરાવતી સહિત રાજ્યમાં ત્રણ રાજધાની રાખવાનો એકપક્ષીય અને ગેરકાનૂની નિર્ણય લીધો હતો.

વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પહેલાં અમરાવતીને સંપૂર્ણ સમર્થન માટે YSRCP ની ખાતરી હોવા છતાં આવું થયું. આ જનતાના આદેશનો દુરુપયોગ કરવા સમાન હતું ! તે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુની સરકારે શરૂ કરેલી નાગરિક-કેન્દ્રિત, વ્યવસાય-મૈત્રીપૂર્ણ અને માનવ વિકાસલક્ષી ઇકોસિસ્ટમના વ્યવસ્થિત વિનાશની શરૂઆત હતી. જ્યારે અન્ય રાજ્ય સરકારોએ રોકાણ અને ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી હતી, ત્યારે આંધ્રપ્રદેશ રાજ્યના હિતોની વિરુદ્ધ વાહિયાત અને ક્રૂરતાથી કામ કર્યું હતું.

ઉદાહરણ તરીકે એક સિંગાપોરિયન કન્સોર્ટિયમ કે જેણે રાજધાનીમાં સ્ટાર્ટઅપ ઝોન વિકસાવ્યો હોત, તેને બહાર કાઢવામાં આવ્યો હતો. UAE ના લુલુ ગ્રુપને વિશાખાપટ્ટનમથી બહાર મોકલવામાં આવ્યું, ફ્રેન્કલિન ટેમ્પલટનને દૂર કરવામાં આવ્યું, કિયાએ અપમાન સહન કર્યું, જોકીને પણ વિદાય લેવી પડી હતી. સૌથી ઉપર દેશની અગ્રણી બેટરી ઉત્પાદક કંપની અમારા રાજાની સરકારી કનડગતને કારણે આંધ્રપ્રદેશમાંથી વિસ્થાપન યોજના અંગેના મીડિયા અહેવાલોને કારણે દેશભરના ઉદ્યોગ વર્તુળોમાંથી આંધ્રપ્રદેશ સરકારે વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી. અમારા રાજાએ દસ વર્ષમાં જંગી રોકાણ સાથે તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં અત્યાધુનિક લિથિયમ-આયન બેટરી રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનું નક્કી કર્યું.

MSME સેક્ટરના સંદર્ભમાં જગન સરકારે ઓછામાં ઓછા રૂ. 2,500 કરોડની હદ સુધી આપવામાં આવેલી રાહત અને પ્રોત્સાહનોને સહેલાઇથી ટાળી દીધા હતા. આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (APIIC) દ્વારા સ્થપાયેલ 543 ઔદ્યોગિક ઉદ્યાનોમાં સ્થિત મોટા ભાગના સાહસો MSME છે. હાલના શાસન દરમિયાન રસ્તાની જાળવણી, પાણીનો પુરવઠો અને સ્ટ્રીટ લાઇટની જોગવાઈ જેવી પાયાની સુવિધાઓ સહિત અનેક માળખાકીય અડચણના કારણે તેઓ સહન કરી રહ્યા છે.

મેક ઇન ઇન્ડિયા મિશનના ભાગરૂપે કેન્દ્ર સરકારે નવ વર્ષ પહેલાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ (NIDC) પ્રોગ્રામ હેઠળ વિશાખાપટ્ટનમ – ચેન્નાઈ, હૈદરાબાદ – બેંગલુરુ અને ચેન્નાઈ – બેંગલુરુ એમ ત્રણ ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપી હતી. પ્રથમ કોરિડોરના કિસ્સામાં આંધ્રપ્રદેશ સરકારે 21.5% વિકાસ ખર્ચ ખર્ચ કરવો પડશે. બાદમાં અન્ય બે કોરિડોરના કિસ્સામાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ભંડોળનો ઉપયોગ કરવા સિવાય રાજ્ય સરકાર તરફથી કોરિડોરના વિકાસ માટે કોઈ નાણાકીય જવાબદારી નથી.

જો કે, આ મોરચે પણ AP સરકાર આવું કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ. વિશાખા-ચેન્નાઈ ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટને (ફેઝ 1) માત્ર રૂ. 36 કરોડની જરૂરિયાત પૂર્ણ ન કરવા દ્વારા સરકારની ઘોર બેદરકારી પ્રતિબિંબિત થાય છે ! અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટનો 70% સુધી પૂર્ણ થઈ ચૂક્યો હતો. જેના પરિણામે મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનોને અન્ય રાજ્યોમાં સ્થળાંતર થવાની ફરજ પડી છે. દર વર્ષે આંધ્રપ્રદેશમાં 2.5 લાખ લોકો સ્નાતક થઈ રહ્યા છે, જોકે તેમાંથી અડધા લોકોને પણ રાજ્યની અંદર યોગ્ય રોજગાર મળી રહ્યો નથી.

યુનિવર્સિટીના કેટલાક વાઇસ ચાન્સેલરોએ યુનિવર્સિટી કેમ્પસમાં સત્તામાં રહેલા પક્ષના રાજકીય બોસને ખુશ કરવા માટે ખુલ્લેઆમ રાજકીય પ્રવૃત્તિઓની તરફેણ કરવા માટે શંકાસ્પદ નામ મેળવ્યું હતું. મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યાઓ ભરેલી નથી. આનાથી મોટાભાગની યુનિવર્સિટીમાં શિક્ષણ - શીખવાની પ્રક્રિયા, સારા સંશોધન માટેનું વાતાવરણ અને કાર્ય સંસ્કૃતિને અસર થઈ છે. જેના પરિણામે મોટી સંખ્યામાં મૂળ વિદ્યાર્થીઓ સારી કારકિર્દી વિકસાવવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રાજ્ય છોડવાનું પસંદ કરે છે. આથી, રાજ્યની યુનિવર્સિટીઓને તેમની કાર્યપ્રણાલી અને ગુમાવેલી વિશ્વસનીયતાને પુનર્જીવિત કરીને સુધારવાની તાતી જરૂરિયાત છે.

અનૌપચારિક ક્ષેત્રના સંદર્ભમાં, મોટી સંખ્યામાં કુશળ અને અર્ધ-કુશળ કર્મચારીઓ તેમના પરિવારો અને માતાપિતાને પાછળ છોડીને તેમની આજીવિકા માટે પાડોશી રાજ્યોમાં રવાના થયા હતા. આંધ્ર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને (APPSC) પણ તેની ખામી અને ગેરવહીવટને કારણે તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી, જે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કડક નિર્ણયોમાં પ્રતિબિંબિત થાય છે.

-- પ્રો. NVR જ્યોતિકુમાર (ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.