ETV Bharat / international

પાકિસ્તાનને તાલિબાને આપી ખુલ્લી ચેતવણી, 15 હજાર લડવૈયા મોકલ્યા - PAKISTAN TALIBAN WAR

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. પાકિસ્તાની એરફોર્સના હુમલાનો જવાબ આપવા તાલિબાને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 15,000 લડવૈયા મોકલ્યા છે.

તાલિબાનના લડવૈયા
તાલિબાનના લડવૈયા (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2024, 1:03 PM IST

કાબુલ : અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ થયા પછી પાકિસ્તાન પ્રથમ દેશ હતો, જેણે 2021 માં તાલિબાનને માન્યતા આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વાસ્તવમાં પાકિસ્તાન એરફોર્સે ગયા મંગળવારે અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને તહરિક-એ-તાલિબાન પર હુમલો કર્યો, જેના કારણે તાલિબાન આક્રમક મૂડમાં છે.

પાકિસ્તાન-તાલિબાન યુદ્ધ : એવું લાગે છે કે તાલિબાન હવે પાકિસ્તાનને છોડી દેવાના મૂડમાં નથી. હવે તાલિબાન પાકિસ્તાનના એ જ હાથ કરડવા તૈયાર છે, જેણે તેને ખાવા-પીવાનું આપ્યું અને પાલન-પોષણ કર્યું છે. પાકિસ્તાની વાયુસેનાના હુમલાથી તાલિબાન ગુસ્સે થયું અને હવે તેણે પાકિસ્તાન પાસેથી બદલો લેવા 15,000 લડવૈયા મોકલ્યા છે.

તાલિબાને મોકલ્યા 15,000 લડવૈયા : અફઘાનિસ્તાને કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના પ્રભારીને બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નારાજ તાલિબાને જાહેરાત કરી કે તેના 15,000 લડવૈયાઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મીરા અલી સરહદ તરફ કૂચ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સનો હુમલો : તમને જણાવી દઈએ કે મંગળવારે પાકિસ્તાની એરફોર્સના હુમલામાં અફઘાનિસ્તાનમાં 46 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં સશસ્ત્ર જૂથો પર હુમલા કર્યા હતા. તાલિબાન સરકારે પાકિસ્તાન પર નાગરિકોને નિશાન બનાવીને મારવાનો આરોપ લગાવ્યો અને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી હતી.

સરહદ પર હથિયારો તૈનાત : આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સરકારે પાકિસ્તાની સરહદ તરફ ટેન્ક અને અન્ય ખતરનાક હથિયારોની તૈનાતી વધારી દીધી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સરહદ પર હથિયારો તૈનાત અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મુહમ્મદ યાકુબ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપ્યા બાદ કરવામાં આવ્યા છે.

  1. કાબુલમાં બમ વિસ્ફોટ, શરણાર્થી મામલાઓના મંત્રી હક્કાની મૌત
  2. તાલિબાનની સરમુખત્યારશાહી, અફઘાનિસ્તાનમાં આ રમત પર પ્રતિબંધ...

કાબુલ : અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ થયા પછી પાકિસ્તાન પ્રથમ દેશ હતો, જેણે 2021 માં તાલિબાનને માન્યતા આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વાસ્તવમાં પાકિસ્તાન એરફોર્સે ગયા મંગળવારે અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને તહરિક-એ-તાલિબાન પર હુમલો કર્યો, જેના કારણે તાલિબાન આક્રમક મૂડમાં છે.

પાકિસ્તાન-તાલિબાન યુદ્ધ : એવું લાગે છે કે તાલિબાન હવે પાકિસ્તાનને છોડી દેવાના મૂડમાં નથી. હવે તાલિબાન પાકિસ્તાનના એ જ હાથ કરડવા તૈયાર છે, જેણે તેને ખાવા-પીવાનું આપ્યું અને પાલન-પોષણ કર્યું છે. પાકિસ્તાની વાયુસેનાના હુમલાથી તાલિબાન ગુસ્સે થયું અને હવે તેણે પાકિસ્તાન પાસેથી બદલો લેવા 15,000 લડવૈયા મોકલ્યા છે.

તાલિબાને મોકલ્યા 15,000 લડવૈયા : અફઘાનિસ્તાને કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના પ્રભારીને બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નારાજ તાલિબાને જાહેરાત કરી કે તેના 15,000 લડવૈયાઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મીરા અલી સરહદ તરફ કૂચ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સનો હુમલો : તમને જણાવી દઈએ કે મંગળવારે પાકિસ્તાની એરફોર્સના હુમલામાં અફઘાનિસ્તાનમાં 46 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં સશસ્ત્ર જૂથો પર હુમલા કર્યા હતા. તાલિબાન સરકારે પાકિસ્તાન પર નાગરિકોને નિશાન બનાવીને મારવાનો આરોપ લગાવ્યો અને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી હતી.

સરહદ પર હથિયારો તૈનાત : આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સરકારે પાકિસ્તાની સરહદ તરફ ટેન્ક અને અન્ય ખતરનાક હથિયારોની તૈનાતી વધારી દીધી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સરહદ પર હથિયારો તૈનાત અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મુહમ્મદ યાકુબ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપ્યા બાદ કરવામાં આવ્યા છે.

  1. કાબુલમાં બમ વિસ્ફોટ, શરણાર્થી મામલાઓના મંત્રી હક્કાની મૌત
  2. તાલિબાનની સરમુખત્યારશાહી, અફઘાનિસ્તાનમાં આ રમત પર પ્રતિબંધ...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.