ETV Bharat / bharat

ઉત્તરભારતમાં આજથી શ્રવાણ માસનો પ્રારંભ, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ - sawan 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 8:53 AM IST

Updated : Jul 22, 2024, 9:14 AM IST

ઉત્તરભારતના રાજ્યોમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત અને પહેલો શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો છે.sawan 2024

ઉત્તરભારતમાં આજથી શ્રવાણ માસનો પ્રારંભ
ઉત્તરભારતમાં આજથી શ્રવાણ માસનો પ્રારંભ (Etv Bharat)

હૈદરાબાદ: ઉત્તરભારત ખાસ કરીને હિન્દીભાષી રાજ્યોમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત અને પહેલો શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો છે. આ અવસર પર દેવઘરના બાબા બૈદ્યનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કેટલાંક ભાવિકો મોડી રાત્રિથી બાબાના દર્શન કરવા માટે કતારમાં ઉભી ગયા હતાં. જ્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારનું વ્રત પણ છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ભગવાન શિવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવનું સાસરી નિવાસ ઉત્તરાખંડના હરિદ્વારમાં છે. શ્રાવણ માસ દરમિયાન, ભોલેનાથ પોતાના સાસરિયા કનખલમાં રોકાણ કરે છે.

મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી.

હરિદ્વારમાં ગંગાસ્નાન માટે ઉમટી ભાવિકો ભીડ: ઉત્તરાખંડના હરિદ્વારમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારેે મોટી સંખ્યામાં ભક્તો હર કી પૌડીમાં પવિત્ર ગંગાસ્નાન કરવા ઉમટી પડ્યા.

રાજસ્થાનના જયપુરમાં શ્રાવણના મહિનાના પહેલા સોમવારે ઝારખંડ મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા કરી.

મુંબઈમાં પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારના અવસરે બાબુલનાથ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી.

હૈદરાબાદ: ઉત્તરભારત ખાસ કરીને હિન્દીભાષી રાજ્યોમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત અને પહેલો શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો છે. આ અવસર પર દેવઘરના બાબા બૈદ્યનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કેટલાંક ભાવિકો મોડી રાત્રિથી બાબાના દર્શન કરવા માટે કતારમાં ઉભી ગયા હતાં. જ્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારનું વ્રત પણ છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ભગવાન શિવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવનું સાસરી નિવાસ ઉત્તરાખંડના હરિદ્વારમાં છે. શ્રાવણ માસ દરમિયાન, ભોલેનાથ પોતાના સાસરિયા કનખલમાં રોકાણ કરે છે.

મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી.

હરિદ્વારમાં ગંગાસ્નાન માટે ઉમટી ભાવિકો ભીડ: ઉત્તરાખંડના હરિદ્વારમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારેે મોટી સંખ્યામાં ભક્તો હર કી પૌડીમાં પવિત્ર ગંગાસ્નાન કરવા ઉમટી પડ્યા.

રાજસ્થાનના જયપુરમાં શ્રાવણના મહિનાના પહેલા સોમવારે ઝારખંડ મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા કરી.

મુંબઈમાં પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારના અવસરે બાબુલનાથ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી.

Last Updated : Jul 22, 2024, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.