ETV Bharat / bharat

આંધ્રના અનાથાલયમાં સમોસા આરોગ્યા બાદ 3 બાળકોના મોત- 27ની હાલત ગંભીર - Food Positioning in AP

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 10:57 AM IST

આંધ્રપ્રદેશના એક અનાથાશ્રમમાં સમોસા આરોગ્યા બાદ 27થી વધુ બાળકોની હાલત ગંભીર બની ગઈ છે અને ત્રણ માસુમ બાળકોના મોત થયા છે. આ દુઃખદ ઘટનાને લઈને મુખ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા છે તો બીજી તરફ 10 લાખની આર્થીક સહાય જાહેર કરી છે... Andhra Pradesh Orphanage eating samosas

અનાથાલયમાં સમોસા આરોગ્યા બાદ 3 બાળકોના મોત- 27ની હાલત ગંભીર
અનાથાલયમાં સમોસા આરોગ્યા બાદ 3 બાળકોના મોત- 27ની હાલત ગંભીર (Etv Bharat)

અનાકાપલ્લીઃ પરિશુદ્ધાત્મા અગ્નિસ્તુતિ આરાધના ટ્રસ્ટના હોસ્ટેલ મેનેજરની બેદરકારીના કારણે ત્રણ માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનો આરોપ લાગી રહ્યાં છે. ત્યાર આ ઘટનામાં 27 થી વધુ બાળકો ગંભીર રીતે બીમાર છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુઃખદ ઘટના કૈલાસપટ્ટનમ, અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાતલા મંડલમાં બની હતી. પોલીસે હોસ્ટેલ રાઉન્ડઅપ કરી મેનેજરની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

કોટાવુરાતલા મંડલના કૈલાસપટ્ટનમમાં એક ખ્રિસ્તી સંગઠન વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને આવાસ અને શિક્ષણ પૂરું પાડાય છે. સંસ્થામાં 80 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શનિવારે સાંજે તેને નાસ્તામાં સમોસા પીરસવામાં આવ્યા હતા. સમોસા ખાધા બાદ વિદ્યાર્થીઓને ઉલ્ટી થવા લાગી હતી. જ્યારે સંસ્થાના અધિકારીઓને આ બાબતની માહિતી મળી તો તેઓ ગંભીર રીતે બીમાર ત્રણેય વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ ગયા. સોમવારે સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા હતા, જેમની ઓળખ જોશુઆ, ભવાની, શ્રદ્ધા અને નિત્યા તરીકે થઈ છે.

અન્ય તમામ બાળ સંભાળ કેન્દ્રો અને છાત્રાલયોમાં તપાસનો આદેશ

મુખ્યમંત્રી ચંદ્રબાબુએ અનાથાશ્રમમાં દૂષિત ખોરાક ખાવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોતની ઘટનાની સમીક્ષા કરી હતી. ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને રૂ.10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અનૌપચારિક અનાથાશ્રમ બંધ કરી દેવામાં આવશે અને ત્યાંના બાળકોની જવાબદારી સરકાર લેશે તેવું બહાર આવ્યું છે. શિક્ષણ મંત્રી નારા લોકેશ સાથે તેમણે વાત કરી અને વિગતો જાણી હતી. મુખ્યમંત્રીએ મંત્રીને સલાહ આપી કે સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓને વધુ સારી તબીબી સારવાર પૂરી પાડવામાં આવે. આ સંદર્ભમાં, ચંદ્રાબાબુએ જિલ્લા કલેક્ટરને રાજ્યની તમામ છાત્રાલયો અને બાળ સંભાળ કેન્દ્રોની તપાસ કરવાનો આદેશ આપ્યો અને તેમની પાસે પરમિટ છે કે નહીં. જે અંગે 'X' માં પોસ્ટ પણ કરવામાં આવ્યું છે.

દરમિયાન, અન્ય 23 વિદ્યાર્થીઓ નરસીપટ્ટનમ, અનાકાપલ્લે અને વિશાખાપટ્ટનમ KGH હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. નરસીપટ્ટનમ પ્રાદેશિક હોસ્પિટલમાં સાત બાળકોની સારવાર ચાલી રહી છે. 14 બાળકોને KGH, વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) જયરામ નરસીપટ્ટનમ હોસ્પિટલ પહોંચ્યા અને અહીં દાખલ વિદ્યાર્થીઓની સ્થિતિની સમીક્ષા કરી અને વધુ સારી સારવાર આપવાનો આદેશ આપ્યો.

  1. વૈશ્વિક સ્તરે Mpoxના કેસોમાં વધારો થતાં ભારતે વધારે સતર્કતા0, અધિકારીઓએ કહ્યું, રોગ સામેની તમામ તૈયારીઓ - WHO ABOUT Mpox
  2. PG રૂમમાંથી મળ્યો ભેદી સંજોગોમાં નર્સિંગની વિદ્યાર્થિનીનો મૃતદેહ, પોલીસ લાગી તપાસમાં - NEW ASHOK NAGAR NURSING STUDENT

અનાકાપલ્લીઃ પરિશુદ્ધાત્મા અગ્નિસ્તુતિ આરાધના ટ્રસ્ટના હોસ્ટેલ મેનેજરની બેદરકારીના કારણે ત્રણ માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનો આરોપ લાગી રહ્યાં છે. ત્યાર આ ઘટનામાં 27 થી વધુ બાળકો ગંભીર રીતે બીમાર છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુઃખદ ઘટના કૈલાસપટ્ટનમ, અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાતલા મંડલમાં બની હતી. પોલીસે હોસ્ટેલ રાઉન્ડઅપ કરી મેનેજરની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

કોટાવુરાતલા મંડલના કૈલાસપટ્ટનમમાં એક ખ્રિસ્તી સંગઠન વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને આવાસ અને શિક્ષણ પૂરું પાડાય છે. સંસ્થામાં 80 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શનિવારે સાંજે તેને નાસ્તામાં સમોસા પીરસવામાં આવ્યા હતા. સમોસા ખાધા બાદ વિદ્યાર્થીઓને ઉલ્ટી થવા લાગી હતી. જ્યારે સંસ્થાના અધિકારીઓને આ બાબતની માહિતી મળી તો તેઓ ગંભીર રીતે બીમાર ત્રણેય વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ ગયા. સોમવારે સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા હતા, જેમની ઓળખ જોશુઆ, ભવાની, શ્રદ્ધા અને નિત્યા તરીકે થઈ છે.

અન્ય તમામ બાળ સંભાળ કેન્દ્રો અને છાત્રાલયોમાં તપાસનો આદેશ

મુખ્યમંત્રી ચંદ્રબાબુએ અનાથાશ્રમમાં દૂષિત ખોરાક ખાવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોતની ઘટનાની સમીક્ષા કરી હતી. ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને રૂ.10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અનૌપચારિક અનાથાશ્રમ બંધ કરી દેવામાં આવશે અને ત્યાંના બાળકોની જવાબદારી સરકાર લેશે તેવું બહાર આવ્યું છે. શિક્ષણ મંત્રી નારા લોકેશ સાથે તેમણે વાત કરી અને વિગતો જાણી હતી. મુખ્યમંત્રીએ મંત્રીને સલાહ આપી કે સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓને વધુ સારી તબીબી સારવાર પૂરી પાડવામાં આવે. આ સંદર્ભમાં, ચંદ્રાબાબુએ જિલ્લા કલેક્ટરને રાજ્યની તમામ છાત્રાલયો અને બાળ સંભાળ કેન્દ્રોની તપાસ કરવાનો આદેશ આપ્યો અને તેમની પાસે પરમિટ છે કે નહીં. જે અંગે 'X' માં પોસ્ટ પણ કરવામાં આવ્યું છે.

દરમિયાન, અન્ય 23 વિદ્યાર્થીઓ નરસીપટ્ટનમ, અનાકાપલ્લે અને વિશાખાપટ્ટનમ KGH હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. નરસીપટ્ટનમ પ્રાદેશિક હોસ્પિટલમાં સાત બાળકોની સારવાર ચાલી રહી છે. 14 બાળકોને KGH, વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રેવેન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) જયરામ નરસીપટ્ટનમ હોસ્પિટલ પહોંચ્યા અને અહીં દાખલ વિદ્યાર્થીઓની સ્થિતિની સમીક્ષા કરી અને વધુ સારી સારવાર આપવાનો આદેશ આપ્યો.

  1. વૈશ્વિક સ્તરે Mpoxના કેસોમાં વધારો થતાં ભારતે વધારે સતર્કતા0, અધિકારીઓએ કહ્યું, રોગ સામેની તમામ તૈયારીઓ - WHO ABOUT Mpox
  2. PG રૂમમાંથી મળ્યો ભેદી સંજોગોમાં નર્સિંગની વિદ્યાર્થિનીનો મૃતદેહ, પોલીસ લાગી તપાસમાં - NEW ASHOK NAGAR NURSING STUDENT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.