ETV Bharat / bharat

વાયનાડમાં ભૂસ્ખલન મુદ્દે ગૃહમંત્રીએ કેરળ સરકાર પર નિશાન સાધ્યું, CM વિજયે વળતો પ્રહાર કર્યો - Amit Shah on Wayanad Landslide

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 9:47 PM IST

અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું કે, 30 જુલાઈએ વાયનાડ ભૂસ્ખલનના સાત દિવસ પહેલા રાજ્યને પૂર્વ ચેતવણી મોકલવામાં આવી હતી. બીજી ચેતવણી 24 જુલાઈએ આપવામાં આવી હતી. અમિત શાહે આ અંગે કેરળ સરકાર પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ કેરળના સીએમ પિનરાઈ વિજયને જવાબમાં કહ્યું કે, આ દોષ દેવાનો સમય નથી...

વાયનાડમાં ભૂસ્ખલન મુદ્દે શાહે કેરળ સરકાર પર નિશાન સાધ્યું
વાયનાડમાં ભૂસ્ખલન મુદ્દે શાહે કેરળ સરકાર પર નિશાન સાધ્યું (Etv Bharat)

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું કે, કેરળ સરકારને 23 જુલાઈએ જ ભારે વરસાદને કારણે વાયનાડમાં સંભવિત કુદરતી આપત્તિ વિશે ચેતવણી આપવામાં આવી હતી. તે જ દિવસે 9 NDRF ટીમોને રાજ્યમાં મોકલવામાં આવી હતી. શાહે રાજ્યસભામાં કહ્યું કે, કેરળ સરકારે પ્રારંભિક ચેતવણી પર ધ્યાન આપ્યું ન હતું અને NDRF બટાલિયનના આગમન પછી પણ સતર્ક ન હતી. બીજી તરફ કેરળના મુખ્યમંત્રીએ અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ દોષનો સમય નથી. આપત્તિના કિસ્સામાં આપણે સાથે મળીને આ સમસ્યાઓનો સામનો કરવો જોઈએ.

  • કેરળ સરકારે કેન્દ્રની ચેતવણી પર ધ્યાન આપ્યું નથી : અમિત શાહ

અમિત શાહે ગૃહને આશ્વાસન આપ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર આ દુ:ખની ઘડીમાં કેરળ સરકાર અને રાજ્યના લોકો સાથે 'ખડક'ની જેમ ઉભી છે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદનું વચન પણ આપ્યું હતું. રાજ્યસભામાં વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટના પર ટૂંકા ગાળાના ધ્યાન પ્રસ્તાવમાં હસ્તક્ષેપ કરતા અમિત શાહે પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય અને લોકોને કેન્દ્રની મદદ અને સમર્થનની ખાતરી પણ આપી હતી.

  • ગૃહમંત્રીએ કેરળ સરકાર પર નિશાન સાધ્યું

અમિત શાહે કેન્દ્ર સરકારની વહેલી ચેતવણી પ્રણાલીઓ અને દુર્ઘટના અંગે સવાલ ઉઠાવવા માટે વિપક્ષની ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું કે, 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનના 7 દિવસ પહેલા રાજ્યને પ્રારંભિક ચેતવણી મોકલવામાં આવી હતી. બીજી ચેતવણી પણ 24મી જુલાઈએ આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું, '23 જુલાઈએ જ NDRFની 9 બટાલિયન મોકલવામાં આવી અને 30 જુલાઈએ વધુ ત્રણ બટાલિયન મોકલવામાં આવી હતી.'

  • કેરળના CM વિજયે વળતો પ્રહાર કર્યો પલટવાર કર્યો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ વિજયે સ્પષ્ટતા કરી કે કેન્દ્રએ 23 થી 29 જુલાઈ સુધી કોઈ રેડ એલર્ટ જારી કર્યું નથી. ભારતીય હવામાન વિભાગે (IMD) ભૂસ્ખલન પહેલા માત્ર વાયનાડ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. મંગળવારે સવારે ભૂસ્ખલન થયા બાદ જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સીએમ વિજયે કહ્યું કે, અમિત શાહે જે કહ્યું છે તે અમુક હદ સુધી સાચું છે. કેન્દ્રએ હવામાનની ચેતવણી આપી હતી, પરંતુ કોઈ આપત્તિની ચેતવણી જારી કરવામાં આવી નથી.

  1. "MCDનો કોઈ અધિકારી પકડાયો?", કોચિંગ અકસ્માત મામલે દિલ્હી હાઈકોર્ટે તંત્રને આપ્યો ઠપકો - DELHI HIGHCOURT NOTICE TO MCD
  2. બાબા મહાકાલની નગરી ડમરુના નાદથી ગુંજી ઉઠશે, 1500 ડમરુ વાદકો બનાવશે વર્લ્ડ રેકોર્ડ - 1500 DAMRU PLAYERS MAKING RECORD

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું કે, કેરળ સરકારને 23 જુલાઈએ જ ભારે વરસાદને કારણે વાયનાડમાં સંભવિત કુદરતી આપત્તિ વિશે ચેતવણી આપવામાં આવી હતી. તે જ દિવસે 9 NDRF ટીમોને રાજ્યમાં મોકલવામાં આવી હતી. શાહે રાજ્યસભામાં કહ્યું કે, કેરળ સરકારે પ્રારંભિક ચેતવણી પર ધ્યાન આપ્યું ન હતું અને NDRF બટાલિયનના આગમન પછી પણ સતર્ક ન હતી. બીજી તરફ કેરળના મુખ્યમંત્રીએ અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ દોષનો સમય નથી. આપત્તિના કિસ્સામાં આપણે સાથે મળીને આ સમસ્યાઓનો સામનો કરવો જોઈએ.

  • કેરળ સરકારે કેન્દ્રની ચેતવણી પર ધ્યાન આપ્યું નથી : અમિત શાહ

અમિત શાહે ગૃહને આશ્વાસન આપ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર આ દુ:ખની ઘડીમાં કેરળ સરકાર અને રાજ્યના લોકો સાથે 'ખડક'ની જેમ ઉભી છે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદનું વચન પણ આપ્યું હતું. રાજ્યસભામાં વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટના પર ટૂંકા ગાળાના ધ્યાન પ્રસ્તાવમાં હસ્તક્ષેપ કરતા અમિત શાહે પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય અને લોકોને કેન્દ્રની મદદ અને સમર્થનની ખાતરી પણ આપી હતી.

  • ગૃહમંત્રીએ કેરળ સરકાર પર નિશાન સાધ્યું

અમિત શાહે કેન્દ્ર સરકારની વહેલી ચેતવણી પ્રણાલીઓ અને દુર્ઘટના અંગે સવાલ ઉઠાવવા માટે વિપક્ષની ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું કે, 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનના 7 દિવસ પહેલા રાજ્યને પ્રારંભિક ચેતવણી મોકલવામાં આવી હતી. બીજી ચેતવણી પણ 24મી જુલાઈએ આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું, '23 જુલાઈએ જ NDRFની 9 બટાલિયન મોકલવામાં આવી અને 30 જુલાઈએ વધુ ત્રણ બટાલિયન મોકલવામાં આવી હતી.'

  • કેરળના CM વિજયે વળતો પ્રહાર કર્યો પલટવાર કર્યો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ વિજયે સ્પષ્ટતા કરી કે કેન્દ્રએ 23 થી 29 જુલાઈ સુધી કોઈ રેડ એલર્ટ જારી કર્યું નથી. ભારતીય હવામાન વિભાગે (IMD) ભૂસ્ખલન પહેલા માત્ર વાયનાડ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. મંગળવારે સવારે ભૂસ્ખલન થયા બાદ જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સીએમ વિજયે કહ્યું કે, અમિત શાહે જે કહ્યું છે તે અમુક હદ સુધી સાચું છે. કેન્દ્રએ હવામાનની ચેતવણી આપી હતી, પરંતુ કોઈ આપત્તિની ચેતવણી જારી કરવામાં આવી નથી.

  1. "MCDનો કોઈ અધિકારી પકડાયો?", કોચિંગ અકસ્માત મામલે દિલ્હી હાઈકોર્ટે તંત્રને આપ્યો ઠપકો - DELHI HIGHCOURT NOTICE TO MCD
  2. બાબા મહાકાલની નગરી ડમરુના નાદથી ગુંજી ઉઠશે, 1500 ડમરુ વાદકો બનાવશે વર્લ્ડ રેકોર્ડ - 1500 DAMRU PLAYERS MAKING RECORD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.